ગાંધીનગર દક્ષિણ, રાધનપુર..,, ક્યાં ક્યાંથી લડવા માગે છે અલ્પેશ ઠાકોર?


  • Published By :
  • Published Date : 2022-11-09 16:46:40

ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે હજું અસ્પષ્ટતા પ્રવર્તે છે, અલ્પેશ રાધનપુર કે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. જો કે રાધનપુર અને ગાંધીનગર દક્ષિણ બેઠકને લઈ સ્થાનિક નેતાની માગણી બુલંદ બની છે. ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં તો સ્થાનિકો આયાતી ઉમૈદવારનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરના વિરોધમાં અનેક સ્થાનોએ હોર્ડિગ્સ લાગેલા જોવા મળ્યા હતા.


અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી મેદાનમાં ઉતરશે?


ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, એવામાં જો અલ્પેશ પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે તો ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ ગણી શકાય. નોંધનીય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ પહેલેથી જ હતી, રાધનપુર એ જ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર સામે વિરોધ છે. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમનો વિરોધ કરી રહ્યા છે. લવિંગજીએ તો સમીમાં ઠાકોર સમેલન યોજી શક્તિપ્રદર્શન પણ કર્યું હતું. 


ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં અલ્પેશ સામે લાગ્યા બેનર


આજે ગાંધીગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોર સામે ઠેર-ઠેર હોર્ડિગ લાગ્યા છે. જેમાં તેમને આયાતી ઉમેદવાર ગણાવી આ સીટ પરથી ચૂંટણી ન લડવા કહેવામાં આવ્યું છે. અને જો તે લડશે તો તેમણે લીલા તોરણે પાછા જવું પડશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"