ગાંધીનગર દક્ષિણ, રાધનપુર..,, ક્યાં ક્યાંથી લડવા માગે છે અલ્પેશ ઠાકોર?


  • Published By :
  • Published Date : 2022-11-09 16:46:40

ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે હજું અસ્પષ્ટતા પ્રવર્તે છે, અલ્પેશ રાધનપુર કે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. જો કે રાધનપુર અને ગાંધીનગર દક્ષિણ બેઠકને લઈ સ્થાનિક નેતાની માગણી બુલંદ બની છે. ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં તો સ્થાનિકો આયાતી ઉમૈદવારનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરના વિરોધમાં અનેક સ્થાનોએ હોર્ડિગ્સ લાગેલા જોવા મળ્યા હતા.


અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી મેદાનમાં ઉતરશે?


ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, એવામાં જો અલ્પેશ પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે તો ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ ગણી શકાય. નોંધનીય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ પહેલેથી જ હતી, રાધનપુર એ જ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર સામે વિરોધ છે. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમનો વિરોધ કરી રહ્યા છે. લવિંગજીએ તો સમીમાં ઠાકોર સમેલન યોજી શક્તિપ્રદર્શન પણ કર્યું હતું. 


ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં અલ્પેશ સામે લાગ્યા બેનર


આજે ગાંધીગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોર સામે ઠેર-ઠેર હોર્ડિગ લાગ્યા છે. જેમાં તેમને આયાતી ઉમેદવાર ગણાવી આ સીટ પરથી ચૂંટણી ન લડવા કહેવામાં આવ્યું છે. અને જો તે લડશે તો તેમણે લીલા તોરણે પાછા જવું પડશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.