ગાંધીનગર દક્ષિણ, રાધનપુર..,, ક્યાં ક્યાંથી લડવા માગે છે અલ્પેશ ઠાકોર?


  • Published By :
  • Published Date : 2022-11-09 16:46:40

ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે હજું અસ્પષ્ટતા પ્રવર્તે છે, અલ્પેશ રાધનપુર કે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. જો કે રાધનપુર અને ગાંધીનગર દક્ષિણ બેઠકને લઈ સ્થાનિક નેતાની માગણી બુલંદ બની છે. ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં તો સ્થાનિકો આયાતી ઉમૈદવારનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરના વિરોધમાં અનેક સ્થાનોએ હોર્ડિગ્સ લાગેલા જોવા મળ્યા હતા.


અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી મેદાનમાં ઉતરશે?


ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, એવામાં જો અલ્પેશ પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે તો ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ ગણી શકાય. નોંધનીય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ પહેલેથી જ હતી, રાધનપુર એ જ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર સામે વિરોધ છે. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમનો વિરોધ કરી રહ્યા છે. લવિંગજીએ તો સમીમાં ઠાકોર સમેલન યોજી શક્તિપ્રદર્શન પણ કર્યું હતું. 


ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં અલ્પેશ સામે લાગ્યા બેનર


આજે ગાંધીગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોર સામે ઠેર-ઠેર હોર્ડિગ લાગ્યા છે. જેમાં તેમને આયાતી ઉમેદવાર ગણાવી આ સીટ પરથી ચૂંટણી ન લડવા કહેવામાં આવ્યું છે. અને જો તે લડશે તો તેમણે લીલા તોરણે પાછા જવું પડશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.