જીતની બાજી હારમાં પલટી નાખવા સક્ષમ બળવાખોરોએ ભાજપ-કોંગ્રેસ-AAPની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-11-17 20:50:20


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો. જો કે આ દિવસ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત આ ત્રણેય પાર્ટીઓના બળવાખોરો પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમની પાર્ટીઓ ટિકિટ ન આપતા આ ઉમેદવારોએ પાર્ટી સામે ખુલ્લો બળવો કર્યો છે. બળવાખોરોથી ભાજપ અને કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ભાજપના સૌથી વધુ ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ બળવાખોરો રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બન્યા છે. 



ભાજપ-કોંગ્રેસ-AAPના બળવાખોર ઉમેદવારો


માવજીભાઈ દેસાઈ-ધાનેરા-ભાજપ

હર્ષદ વસાવા-નાંદોદ-ભાજપ 

શબ્દશરણ તડવી-નાંદોદ-ભાજપ
જયપ્રકાશ પટેલ-લુણાવાડા-ભાજપ
સી.ડી. પટેલ-લુણાવાડા-ભાજપ
એસ.એમ. ખાંટ-લુણાવાડા-ભાજપ
નિરંજન પટેલ-પેટલાદ-ભાજપ
રામસિંહ ઠાકોર-ખેરાલુ-ભાજપ
ધવલસિંહ- બાયડ-ભાજપ
મધુ શ્રીવાસ્તવ-વાઘોડિયા-ભાજપ
અરવિંદ લાડાણી-કેશોદ-ભાજપ
દીનું મામા-પાદરા -ભાજપ
ભાવેશ પટેલ -બહુચરાજી-કોંગ્રેસ 
પી કે ચૌહાણ- શહેરા-કોંગ્રેસ 
કાંધલ જાડેજા-કુતિયાણા-NCP
સૂર્યસિંહ ડાભી- ગાંધીનગર ઉત્તર-AAP



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.