જીતની બાજી હારમાં પલટી નાખવા સક્ષમ બળવાખોરોએ ભાજપ-કોંગ્રેસ-AAPની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-11-17 20:50:20


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો. જો કે આ દિવસ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત આ ત્રણેય પાર્ટીઓના બળવાખોરો પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમની પાર્ટીઓ ટિકિટ ન આપતા આ ઉમેદવારોએ પાર્ટી સામે ખુલ્લો બળવો કર્યો છે. બળવાખોરોથી ભાજપ અને કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ભાજપના સૌથી વધુ ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ બળવાખોરો રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બન્યા છે. 



ભાજપ-કોંગ્રેસ-AAPના બળવાખોર ઉમેદવારો


માવજીભાઈ દેસાઈ-ધાનેરા-ભાજપ

હર્ષદ વસાવા-નાંદોદ-ભાજપ 

શબ્દશરણ તડવી-નાંદોદ-ભાજપ
જયપ્રકાશ પટેલ-લુણાવાડા-ભાજપ
સી.ડી. પટેલ-લુણાવાડા-ભાજપ
એસ.એમ. ખાંટ-લુણાવાડા-ભાજપ
નિરંજન પટેલ-પેટલાદ-ભાજપ
રામસિંહ ઠાકોર-ખેરાલુ-ભાજપ
ધવલસિંહ- બાયડ-ભાજપ
મધુ શ્રીવાસ્તવ-વાઘોડિયા-ભાજપ
અરવિંદ લાડાણી-કેશોદ-ભાજપ
દીનું મામા-પાદરા -ભાજપ
ભાવેશ પટેલ -બહુચરાજી-કોંગ્રેસ 
પી કે ચૌહાણ- શહેરા-કોંગ્રેસ 
કાંધલ જાડેજા-કુતિયાણા-NCP
સૂર્યસિંહ ડાભી- ગાંધીનગર ઉત્તર-AAP



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.