જીતની બાજી હારમાં પલટી નાખવા સક્ષમ બળવાખોરોએ ભાજપ-કોંગ્રેસ-AAPની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-11-17 20:50:20


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો. જો કે આ દિવસ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત આ ત્રણેય પાર્ટીઓના બળવાખોરો પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમની પાર્ટીઓ ટિકિટ ન આપતા આ ઉમેદવારોએ પાર્ટી સામે ખુલ્લો બળવો કર્યો છે. બળવાખોરોથી ભાજપ અને કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ભાજપના સૌથી વધુ ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ બળવાખોરો રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બન્યા છે. 



ભાજપ-કોંગ્રેસ-AAPના બળવાખોર ઉમેદવારો


માવજીભાઈ દેસાઈ-ધાનેરા-ભાજપ

હર્ષદ વસાવા-નાંદોદ-ભાજપ 

શબ્દશરણ તડવી-નાંદોદ-ભાજપ
જયપ્રકાશ પટેલ-લુણાવાડા-ભાજપ
સી.ડી. પટેલ-લુણાવાડા-ભાજપ
એસ.એમ. ખાંટ-લુણાવાડા-ભાજપ
નિરંજન પટેલ-પેટલાદ-ભાજપ
રામસિંહ ઠાકોર-ખેરાલુ-ભાજપ
ધવલસિંહ- બાયડ-ભાજપ
મધુ શ્રીવાસ્તવ-વાઘોડિયા-ભાજપ
અરવિંદ લાડાણી-કેશોદ-ભાજપ
દીનું મામા-પાદરા -ભાજપ
ભાવેશ પટેલ -બહુચરાજી-કોંગ્રેસ 
પી કે ચૌહાણ- શહેરા-કોંગ્રેસ 
કાંધલ જાડેજા-કુતિયાણા-NCP
સૂર્યસિંહ ડાભી- ગાંધીનગર ઉત્તર-AAP



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.