ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન, NCPએ પાંચ બેઠકો માંગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:59:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકિય પાર્ટીઓ મતદારોને રિઝવવા તથા રાજકીય ગઠબંધનો કરવાના પ્રયાસોમાં લાગી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા જણાઈ રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ગઠબંધનના કારણે NCPએ એક બેઠક જીતી હતી. કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા જીતવામાં સફળ રહ્યા હતા.


 કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે યોજાઈ બેઠક


વિધાનસભાની ચૂંટણી પહેલા ગઢબંધન અને ચૂટણી રણનિતી નક્કી કરવા કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી ગઘુ શર્મા, તથા NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બેઠક યોજાઈ હતી. બંધબારણે યોજાયેલી આ બેઠકમાં NCPના નેતાઓએ રાજ્યમાં 7-8 બેઠકો માંગી હતી જો કે અંતે 5-6 બેઠકો પર સર્વસંમતી બની હતી. 


અશોક ગહેલોત કરશે આખરી નિર્ણય


આજે સાંજે કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે અશોક ગહેલોત બેઠકો અંગે અંતિમ નિર્ણય લેશે. કાલે NCP દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાશે અને ગઠબંધન અંગેની માહિતી આપવામાં આવશે.


NCP કઈ 5 બેઠકો માગે છે?


કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનઆ બેઠકને લઇને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ નિવેદન આપતા કહ્યું કે, 'NCPએ 5 સીટ માંગી છે. અશોક ગેહલોત સાથે બેઠક કરીને અમે ગઠબંધનની જાહેરાત કરીશું. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે. ગોંડલથી રેશ્મા પટેલ માટે ટિકિટ માંગી છે. ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે ટિકિટ માંગી છે. જ્યારે નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે.'



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.