ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન, NCPએ પાંચ બેઠકો માંગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:59:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકિય પાર્ટીઓ મતદારોને રિઝવવા તથા રાજકીય ગઠબંધનો કરવાના પ્રયાસોમાં લાગી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા જણાઈ રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ગઠબંધનના કારણે NCPએ એક બેઠક જીતી હતી. કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા જીતવામાં સફળ રહ્યા હતા.


 કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે યોજાઈ બેઠક


વિધાનસભાની ચૂંટણી પહેલા ગઢબંધન અને ચૂટણી રણનિતી નક્કી કરવા કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી ગઘુ શર્મા, તથા NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બેઠક યોજાઈ હતી. બંધબારણે યોજાયેલી આ બેઠકમાં NCPના નેતાઓએ રાજ્યમાં 7-8 બેઠકો માંગી હતી જો કે અંતે 5-6 બેઠકો પર સર્વસંમતી બની હતી. 


અશોક ગહેલોત કરશે આખરી નિર્ણય


આજે સાંજે કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે અશોક ગહેલોત બેઠકો અંગે અંતિમ નિર્ણય લેશે. કાલે NCP દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાશે અને ગઠબંધન અંગેની માહિતી આપવામાં આવશે.


NCP કઈ 5 બેઠકો માગે છે?


કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનઆ બેઠકને લઇને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ નિવેદન આપતા કહ્યું કે, 'NCPએ 5 સીટ માંગી છે. અશોક ગેહલોત સાથે બેઠક કરીને અમે ગઠબંધનની જાહેરાત કરીશું. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે. ગોંડલથી રેશ્મા પટેલ માટે ટિકિટ માંગી છે. ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે ટિકિટ માંગી છે. જ્યારે નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે.'



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"