ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન, NCPએ પાંચ બેઠકો માંગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:59:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકિય પાર્ટીઓ મતદારોને રિઝવવા તથા રાજકીય ગઠબંધનો કરવાના પ્રયાસોમાં લાગી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા જણાઈ રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ગઠબંધનના કારણે NCPએ એક બેઠક જીતી હતી. કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા જીતવામાં સફળ રહ્યા હતા.


 કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે યોજાઈ બેઠક


વિધાનસભાની ચૂંટણી પહેલા ગઢબંધન અને ચૂટણી રણનિતી નક્કી કરવા કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી ગઘુ શર્મા, તથા NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બેઠક યોજાઈ હતી. બંધબારણે યોજાયેલી આ બેઠકમાં NCPના નેતાઓએ રાજ્યમાં 7-8 બેઠકો માંગી હતી જો કે અંતે 5-6 બેઠકો પર સર્વસંમતી બની હતી. 


અશોક ગહેલોત કરશે આખરી નિર્ણય


આજે સાંજે કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે અશોક ગહેલોત બેઠકો અંગે અંતિમ નિર્ણય લેશે. કાલે NCP દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાશે અને ગઠબંધન અંગેની માહિતી આપવામાં આવશે.


NCP કઈ 5 બેઠકો માગે છે?


કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનઆ બેઠકને લઇને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ નિવેદન આપતા કહ્યું કે, 'NCPએ 5 સીટ માંગી છે. અશોક ગેહલોત સાથે બેઠક કરીને અમે ગઠબંધનની જાહેરાત કરીશું. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે. ગોંડલથી રેશ્મા પટેલ માટે ટિકિટ માંગી છે. ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે ટિકિટ માંગી છે. જ્યારે નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે.'



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .