ધારાસભ્ય બનવાની હોડ, પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1362 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2022-11-15 15:12:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ ચૂંટણીના પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે. ત્યારે પહેલા તબક્કાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. હવે ચૂંટણી પંચે જાહેર થયેલા આકડાં પ્રમાણે આ તબક્કામાં  કુલ 1,362 ફોર્મ ભરાયા છે. જ્યારે બીજા તબક્કા માટે અત્યાર સુધીમાં 95 ફોર્મ ભરવામાં આવ્યા છે.


પ્રથમ તબક્કામાં ક્યાં યોજાશે ચૂંટણી


રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 સીટ પર ચૂંટણી યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર  અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આજથી ફોર્મ ચકાસણીની શરૂઆત કરવામાં આવશે.


મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં


વિધાનસભાની ચૂંટણીમાં બેઠક દીઠ 10થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.  તેનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટી,ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત 7 ફોર્મ અપક્ષ ઉમેદવારોએ પણ ભર્યા છે. આ વખતે અપક્ષ ઉમેદવારો પણ મોટા પ્રમાણમાં છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.