ધારાસભ્ય બનવાની હોડ, પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1362 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2022-11-15 15:12:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ ચૂંટણીના પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે. ત્યારે પહેલા તબક્કાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. હવે ચૂંટણી પંચે જાહેર થયેલા આકડાં પ્રમાણે આ તબક્કામાં  કુલ 1,362 ફોર્મ ભરાયા છે. જ્યારે બીજા તબક્કા માટે અત્યાર સુધીમાં 95 ફોર્મ ભરવામાં આવ્યા છે.


પ્રથમ તબક્કામાં ક્યાં યોજાશે ચૂંટણી


રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 સીટ પર ચૂંટણી યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર  અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આજથી ફોર્મ ચકાસણીની શરૂઆત કરવામાં આવશે.


મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં


વિધાનસભાની ચૂંટણીમાં બેઠક દીઠ 10થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.  તેનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટી,ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત 7 ફોર્મ અપક્ષ ઉમેદવારોએ પણ ભર્યા છે. આ વખતે અપક્ષ ઉમેદવારો પણ મોટા પ્રમાણમાં છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.