ચૂંટણીનાં ગરમ માહોલ વચ્ચે પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે કરી ચાય પે ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-29 13:34:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. કોંગ્રેસના અમરેલી સીટ પરના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરવા નિકળ્યા ત્યારે ભાજપના કાર્યાલયની મુલાકાત લીધી હતી. પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સાથે ચાની ચૂસકી લીધી ત્યારે સુખદ આશ્ચર્ય થયું હતું.


ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા


કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય પહોચ્યા અને તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચૂસકી લીધી હતી. પરેશ ધાનાણી સાથે તેમના  નાના ભાઈ શરદ ધાનાણી પણ હતા. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા હતા. તેમની મુલાકાતને લઈ પરેશ ધાનાણીએ કહ્યું કે, 'જે કાર્યકરો તનથી ભાજપ કાર્યાલયમાં છે અને મનથી કોંગ્રેસમાં છે તે મને આશીર્વાદ આપે.' પરેશ ધાનાણીએ અડધો કલાક સુધી ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી.


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી પર આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ છે. ભાજપમાંથી કૌશિક વેકરિયા, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણી વચ્ચે જંગ છે. જો કે આ સીટ પરેશ ધાનાણીનો ગઢ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.