ચૂંટણીનાં ગરમ માહોલ વચ્ચે પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે કરી ચાય પે ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-29 13:34:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. કોંગ્રેસના અમરેલી સીટ પરના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરવા નિકળ્યા ત્યારે ભાજપના કાર્યાલયની મુલાકાત લીધી હતી. પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સાથે ચાની ચૂસકી લીધી ત્યારે સુખદ આશ્ચર્ય થયું હતું.


ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા


કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય પહોચ્યા અને તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચૂસકી લીધી હતી. પરેશ ધાનાણી સાથે તેમના  નાના ભાઈ શરદ ધાનાણી પણ હતા. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા હતા. તેમની મુલાકાતને લઈ પરેશ ધાનાણીએ કહ્યું કે, 'જે કાર્યકરો તનથી ભાજપ કાર્યાલયમાં છે અને મનથી કોંગ્રેસમાં છે તે મને આશીર્વાદ આપે.' પરેશ ધાનાણીએ અડધો કલાક સુધી ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી.


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી પર આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ છે. ભાજપમાંથી કૌશિક વેકરિયા, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણી વચ્ચે જંગ છે. જો કે આ સીટ પરેશ ધાનાણીનો ગઢ રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.