બંગાળીઓ અંગે નિવેદન કરી બરાબરના ફસાયા પરેશ રાવલ, વિરોધ વધતા માંફી માગી


  • Published By :
  • Published Date : 2022-12-02 16:55:56

ભાજપના પૂર્વ સાંસદ અને બોલિવુડ કલાકાર પરેશ રાવલ તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈ બરાબરના ફસાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે પ્રચાર કરવા આવેલા પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ અંગે ઉલ્લેખ કરતા એવું બોલી ગયા કે સોશિયલ મીડિયા પર યુઝર્સે પરેશ રાવલને નિશાન બનાવ્યા હતા. અતં  વિવાદ ખુબ વધી જતા પરેશ રાવલને યૂ ટર્ન લેવાની ફરજ પડી હતી અને  તેમણે તેમના નિવેદનને લઈ સ્પષ્ટતા કરતા માંફી માંગવી પડી હતી.

  

પરેશ રાવલનું નિવેદન શું હતું? 

 

વલસાડમાં એક રેલી સંબોધતા અભિનેતા પરેશ રાવલે ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને કોંગ્રેસના વિરોધ વચ્ચે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ગેસ સિલિન્ડરના ભાવ ફરી એક વખત નીચે આવશે, પરંતુ જો રોહિંગ્યાઓ કે બાંગ્લાદેશીઓ તમારા ઘરની નજીક રહેવા લાગશે ત્યારે તમે શું કરશો, શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો.'


પરેશ રાવલે યુ ટર્ન લીધો


પરેશ રાવલ સામે સોશિયલ મીડિયા પર વિરોધ વધતા અંતે શુક્રવારે સવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. પરેશ રાવલને પોતાની ભૂલની અનુભૂતી થતા અંતે આજે સવારે 9.43 વાગ્યે એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું- 'જો મારા નિવેદનથી બંગાળીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેની માફી માંગુ છું. મેં માછલી વિશે જે નિવેદન આપ્યું હતું તે રોહિંગ્યાઓ અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અંગે હતો.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.