બંગાળીઓ અંગે નિવેદન કરી બરાબરના ફસાયા પરેશ રાવલ, વિરોધ વધતા માંફી માગી


  • Published By :
  • Published Date : 2022-12-02 16:55:56

ભાજપના પૂર્વ સાંસદ અને બોલિવુડ કલાકાર પરેશ રાવલ તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈ બરાબરના ફસાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે પ્રચાર કરવા આવેલા પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ અંગે ઉલ્લેખ કરતા એવું બોલી ગયા કે સોશિયલ મીડિયા પર યુઝર્સે પરેશ રાવલને નિશાન બનાવ્યા હતા. અતં  વિવાદ ખુબ વધી જતા પરેશ રાવલને યૂ ટર્ન લેવાની ફરજ પડી હતી અને  તેમણે તેમના નિવેદનને લઈ સ્પષ્ટતા કરતા માંફી માંગવી પડી હતી.

  

પરેશ રાવલનું નિવેદન શું હતું? 

 

વલસાડમાં એક રેલી સંબોધતા અભિનેતા પરેશ રાવલે ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને કોંગ્રેસના વિરોધ વચ્ચે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ગેસ સિલિન્ડરના ભાવ ફરી એક વખત નીચે આવશે, પરંતુ જો રોહિંગ્યાઓ કે બાંગ્લાદેશીઓ તમારા ઘરની નજીક રહેવા લાગશે ત્યારે તમે શું કરશો, શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો.'


પરેશ રાવલે યુ ટર્ન લીધો


પરેશ રાવલ સામે સોશિયલ મીડિયા પર વિરોધ વધતા અંતે શુક્રવારે સવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. પરેશ રાવલને પોતાની ભૂલની અનુભૂતી થતા અંતે આજે સવારે 9.43 વાગ્યે એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું- 'જો મારા નિવેદનથી બંગાળીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેની માફી માંગુ છું. મેં માછલી વિશે જે નિવેદન આપ્યું હતું તે રોહિંગ્યાઓ અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અંગે હતો.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.