PM મોદી ગુજરાતની મુલાકાતે, મહંત સ્વામી અને માતા હીરાબાના આશિર્વાદ લીધા


  • Published By :
  • Published Date : 2022-12-04 18:55:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ ગુજરાતમાં આવતા જ તેમણે BAPSના મહેત સ્વામી તથા માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. માતાના આશિર્વાદ લીધા બાદ તેઓ કમલમમાં જવા રવાના થયા છે. પીએમ મોદી આવતી કાલે અમદાવાદના રાણીપમાં મતદાન કરશે. 


પીએમ મોદીએ માતા હીરાબાના આશિર્વાદ લીધા


પીએમ મોદીએ આજે પહેલા મહંતસ્વામીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ પોતાના માતા હીરા બાના દર્શન માટે ગાંધીનગર પહોંચ્યા હતા. હીરાબાને મળવા માટે તેઓ ભાઇના નિવાસ સ્થાન વૃંદાવન -2 બંગ્લોઝમાં મળવા માટે પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ કમલમ જવા માટે રવાના થયા હતા. અહીં તેઓ મતદાન પહેલાની અંતિમ તૈયારીઓ અંગે માહિતી મેળવશે અને માર્ગદર્શન આપશે. 


આવતી કાલે મતદાન કરશે


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્ક અંતર્ગત 5 ડિસેમ્બર, 2022 ના દિવસે બીજા તબક્કાનું મતદાન થશે. 93 બેઠકો પર આવતીકાલે સવારે મતદાન થવાનું છે. આ તબક્કામાં વડાપ્રધાન મોદીનું પણ મતદાન હોવાથી તેઓ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આવતીકાલે સવારે તેઓ 8.30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવેલી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચશે. 


પોલીસ બંદોબસ્ત વચ્ચે કરશે મતદાન


પીએમ મતદાન કરવા માટે આવવાના હોવાને કારણે નિશાન સ્કુલ ખાતે તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજી દ્વારા અને શહેર પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. નિશાંત સ્કુલ પર સમગ્ર રાષ્ટ્રના મીડિયાની નજર પણ રહેવાની હોવાથી શાળા અને મતદાનમાં કોઇ કચાશ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.