શંકરસિંહ વાઘેલાની જીભ લપસી, બાપુએ કોંગ્રેસના બદલે કમળને મત આપવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-02 18:42:03

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાના વોટિંગ પહેલા કોંગ્રેસ પાર્ટી એક્ટિવ થઈ ચૂકી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાયડથી ચૂંટણી લડી રહેલા તેમના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર સિંહ વાઘેલા માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન જીભ બાપુની લપસી ગઈ હતી.


બાપુએ શું બફાટ કર્યો?


શંકરસિંહ બાપુએ બાયડમાં મીડિયા સાથે ચર્ચા કરતા ભાંગરો વાંટ્યો હતો. બાપુએ કોંગ્રેસ માટે મત માગવાની જગ્યાએ ભૂલથી ભાજપનો પ્રચાર કરી દીધો હતો તેમણે કહ્યું કે કમળ પર મતદાન આપીએ, જો કે શંકરસિંહે સમયસૂચકતા દાખવીને પોતાની વાત બદલી નાખી અને કહ્યું હતું કે ભાજપને જાકારો આપીને કોંગ્રેસના ઉમેદવારોને વીજયી બનાવે જનતા એવો સંદેશ આપું છું. બાપુના ક્લિપ હાલ ખુબ વાઈરલ થઈ રહી છે.


શંકરસિંહે ભાજપ પર કર્યા પ્રહાર


શંકરસિંહ વાઘેલાએ રેલીમાં કહ્યું કે કોંગ્રેસને હવે એક તક જનતા આપે. કામ ન ગમે તો પાર્ટીને સત્તા પરથી દૂર કરી દેજો. પરંતુ છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. બેરોજગારી, મોંઘવારી પેન્શનનો મુદ્દે તથા પેપર લિક કૌભાંડ વિશે જનતા જાણે છે. પ્રથમ ચરણમાં મતદાનમાં નીરસતા જોવા મળી છે. ગુજરાતની જનતાને ભાજપથી નફરત છે, આ સરકાર માટે હરખાવા જેવું નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.