શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસને મત આપવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-02 20:37:01

ગુજરાત વિધાનસભણી ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાય તેવું મનાઈ રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી હતી. વાઘેલાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું જેથી ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપથી બચવુ હોય તો કોંગ્રેસને લાવો તેવી તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.


ભાજપ પર કર્યા આકરા પ્રહાર


શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે "જે પાર્ટીને ખભા પર બેસાડી 1995માં સત્તા સ્થાને લઇ ગયા તે અત્યારે ખોટા લોકોના હાથમાં જતી રહી છે. ભાવી પેઢી માટે મોંઘવારી અને બેરોજગારીથી બચવા માટે ભાજપને નિકાળો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ રહેવા દો બીજા કોઇને વચ્ચે ન લાવો. આ લોકો આપદામાં અવસર શોધે છે. તેમણે વધુમાં કહ્યું કે હું ભાજપ અને કોંગ્રેસ બંનેને બંનેને બરાબર જાણુ છુ. જો ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો. હું કોગ્રેસમાં હોઉ કે ન હોઉ તેનાથી કોઇ ફર્ક નથી પડતો. આ આર્ટીફીશીયલ અને ચીટર લોકો છે લોકોને ઠગે છે. 25 વર્ષ સુધી ભાજપને મોકો આપ્યો હવે ન આપતા."



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.