શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસને મત આપવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-02 20:37:01

ગુજરાત વિધાનસભણી ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાય તેવું મનાઈ રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી હતી. વાઘેલાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું જેથી ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપથી બચવુ હોય તો કોંગ્રેસને લાવો તેવી તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.


ભાજપ પર કર્યા આકરા પ્રહાર


શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે "જે પાર્ટીને ખભા પર બેસાડી 1995માં સત્તા સ્થાને લઇ ગયા તે અત્યારે ખોટા લોકોના હાથમાં જતી રહી છે. ભાવી પેઢી માટે મોંઘવારી અને બેરોજગારીથી બચવા માટે ભાજપને નિકાળો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ રહેવા દો બીજા કોઇને વચ્ચે ન લાવો. આ લોકો આપદામાં અવસર શોધે છે. તેમણે વધુમાં કહ્યું કે હું ભાજપ અને કોંગ્રેસ બંનેને બંનેને બરાબર જાણુ છુ. જો ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો. હું કોગ્રેસમાં હોઉ કે ન હોઉ તેનાથી કોઇ ફર્ક નથી પડતો. આ આર્ટીફીશીયલ અને ચીટર લોકો છે લોકોને ઠગે છે. 25 વર્ષ સુધી ભાજપને મોકો આપ્યો હવે ન આપતા."



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.