વિધાનસભાની ચૂંટણી ટાણે જ પક્ષોને આદિવાસીઓની યાદ કેમ આવે છે, શું છે તેમની મજબુરી?


  • Published By :
  • Published Date : 2022-11-21 19:28:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નજીક છે ત્યારે વિકાસની રાજનીતિ બાજુ પર રહીં ગઈ છે. તમામ પક્ષો જાતિગત સમિકરણો બેસાડવામાં પડ્યા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટો તમામ રાજકીય પક્ષોના નેતાઓના ફોક્સમાં આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસીઓને રીઝવવા રીતસર મથામણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચલાવી રહ્યા છે. જો કે તે બાબત પણ મહત્વની છે કે આદિવાસીઓ હંમેશાથી કોંગ્રેસની કમિટેડ વોંટબેંક રહી છે. હવે સવાલ એ થાય છે કે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ આદિવાસીઓના શરણે કેમ જઈ રહ્યા છે?


ગુજરાતમાં એક કરોડ આદિવાસીઓ


ગુજરાતમાં આદિવાસી સમુદાય ખુબ મોટી સંખ્યામાં છે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના પટ્ટામાં લગભગ એક કરોડ આદિવાસીઓની વસ્તી છે. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. તેમાં પણ 15 લાખ આદિવાસી તો એવા છે જે આજે પણ અંતરિયાળ જંગલોમાં વસવાટ કરે છે. બાકી, મોટાભાગના આદિવાસીઓ ભલે ખેતી સાથે સંકળાયેલા હોય પણ શિક્ષિત છે. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં 29 પેટા જ્ઞાતિ છે, રાજ્યમાં આદિવાસીઓની ખુબ સમૃધ્ધ સંસ્કૃતિ, પરંપરા, તહેવારો, લોકકળા, ભાતીગળ પહેરવેશ અને લોક મેળા છે. ચૂંટણીના સમયે જ તમામ પાર્ટીઓને આદિવાસીઓની યાદ આવે છે. 


રાજ્યની 27 સીટ આદિવાસી માટે અનામત


ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. જેમ કે દાંતા, ખેડબ્રહ્મા, ભીલોડા, મોરવા હડફ, સંતરામપુર, ફતેપુરા, દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડા, છોટા ઉદેપુર, જેતપુર પાવી,સંખેડા, નાંદોદ, ડેડીયાપાડા, ઝઘડિયા, માંડવી, મહુવા, માંગરોળ, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાંસદા, ધરમપુર, કપરાડા,ઉંમરગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 38 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી છે. 


વર્ષ 2017માં કયા પક્ષને કેટલી સીટો મળી?


કોંગ્રેસ-15
ભાજપ-09 
BTP-02
અપક્ષ-01


ભાજપ આદિવાસીઓના દિલ જીતવામાં નિષ્ફળ કેમ? 


ગુજરાતમાં ભાજપનું છેલ્લા 27 વર્ષથી શાસન છે, જો કે તેમ છતા ભાજપ આદિવાસી પટ્ટા જોઈએ તેવી પેઠ બનાવી શકી નથી. ભાજપે કોંગ્રેસના આયાતી આદિવાસી ધારાસભ્યોને આવકાર્યા છે પણ આદિવાસીઓએ ભાજપના ઉમેદવારોને નકાર્યા છે તે પણ નગ્ન સત્ય છે. ભાજપનું હિંદુત્વનું કાર્ડ આદિવાસીઓ પર કોઈ અસર કરી શક્યું નથી. ભાજપની સરકારે આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યો કર્યા છે પણ તેમ છતાં તે છેવાડાના વનવાસીનું દિલ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસના વફાદાર મતદારો રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .