વિધાનસભાની ચૂંટણી ટાણે જ પક્ષોને આદિવાસીઓની યાદ કેમ આવે છે, શું છે તેમની મજબુરી?


  • Published By :
  • Published Date : 2022-11-21 19:28:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નજીક છે ત્યારે વિકાસની રાજનીતિ બાજુ પર રહીં ગઈ છે. તમામ પક્ષો જાતિગત સમિકરણો બેસાડવામાં પડ્યા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટો તમામ રાજકીય પક્ષોના નેતાઓના ફોક્સમાં આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસીઓને રીઝવવા રીતસર મથામણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચલાવી રહ્યા છે. જો કે તે બાબત પણ મહત્વની છે કે આદિવાસીઓ હંમેશાથી કોંગ્રેસની કમિટેડ વોંટબેંક રહી છે. હવે સવાલ એ થાય છે કે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ આદિવાસીઓના શરણે કેમ જઈ રહ્યા છે?


ગુજરાતમાં એક કરોડ આદિવાસીઓ


ગુજરાતમાં આદિવાસી સમુદાય ખુબ મોટી સંખ્યામાં છે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના પટ્ટામાં લગભગ એક કરોડ આદિવાસીઓની વસ્તી છે. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. તેમાં પણ 15 લાખ આદિવાસી તો એવા છે જે આજે પણ અંતરિયાળ જંગલોમાં વસવાટ કરે છે. બાકી, મોટાભાગના આદિવાસીઓ ભલે ખેતી સાથે સંકળાયેલા હોય પણ શિક્ષિત છે. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં 29 પેટા જ્ઞાતિ છે, રાજ્યમાં આદિવાસીઓની ખુબ સમૃધ્ધ સંસ્કૃતિ, પરંપરા, તહેવારો, લોકકળા, ભાતીગળ પહેરવેશ અને લોક મેળા છે. ચૂંટણીના સમયે જ તમામ પાર્ટીઓને આદિવાસીઓની યાદ આવે છે. 


રાજ્યની 27 સીટ આદિવાસી માટે અનામત


ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. જેમ કે દાંતા, ખેડબ્રહ્મા, ભીલોડા, મોરવા હડફ, સંતરામપુર, ફતેપુરા, દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડા, છોટા ઉદેપુર, જેતપુર પાવી,સંખેડા, નાંદોદ, ડેડીયાપાડા, ઝઘડિયા, માંડવી, મહુવા, માંગરોળ, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાંસદા, ધરમપુર, કપરાડા,ઉંમરગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 38 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી છે. 


વર્ષ 2017માં કયા પક્ષને કેટલી સીટો મળી?


કોંગ્રેસ-15
ભાજપ-09 
BTP-02
અપક્ષ-01


ભાજપ આદિવાસીઓના દિલ જીતવામાં નિષ્ફળ કેમ? 


ગુજરાતમાં ભાજપનું છેલ્લા 27 વર્ષથી શાસન છે, જો કે તેમ છતા ભાજપ આદિવાસી પટ્ટા જોઈએ તેવી પેઠ બનાવી શકી નથી. ભાજપે કોંગ્રેસના આયાતી આદિવાસી ધારાસભ્યોને આવકાર્યા છે પણ આદિવાસીઓએ ભાજપના ઉમેદવારોને નકાર્યા છે તે પણ નગ્ન સત્ય છે. ભાજપનું હિંદુત્વનું કાર્ડ આદિવાસીઓ પર કોઈ અસર કરી શક્યું નથી. ભાજપની સરકારે આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યો કર્યા છે પણ તેમ છતાં તે છેવાડાના વનવાસીનું દિલ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસના વફાદાર મતદારો રહ્યા છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.