વિધાનસભાની ચૂંટણી ટાણે જ પક્ષોને આદિવાસીઓની યાદ કેમ આવે છે, શું છે તેમની મજબુરી?


  • Published By :
  • Published Date : 2022-11-21 19:28:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નજીક છે ત્યારે વિકાસની રાજનીતિ બાજુ પર રહીં ગઈ છે. તમામ પક્ષો જાતિગત સમિકરણો બેસાડવામાં પડ્યા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટો તમામ રાજકીય પક્ષોના નેતાઓના ફોક્સમાં આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસીઓને રીઝવવા રીતસર મથામણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચલાવી રહ્યા છે. જો કે તે બાબત પણ મહત્વની છે કે આદિવાસીઓ હંમેશાથી કોંગ્રેસની કમિટેડ વોંટબેંક રહી છે. હવે સવાલ એ થાય છે કે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ આદિવાસીઓના શરણે કેમ જઈ રહ્યા છે?


ગુજરાતમાં એક કરોડ આદિવાસીઓ


ગુજરાતમાં આદિવાસી સમુદાય ખુબ મોટી સંખ્યામાં છે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના પટ્ટામાં લગભગ એક કરોડ આદિવાસીઓની વસ્તી છે. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. તેમાં પણ 15 લાખ આદિવાસી તો એવા છે જે આજે પણ અંતરિયાળ જંગલોમાં વસવાટ કરે છે. બાકી, મોટાભાગના આદિવાસીઓ ભલે ખેતી સાથે સંકળાયેલા હોય પણ શિક્ષિત છે. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં 29 પેટા જ્ઞાતિ છે, રાજ્યમાં આદિવાસીઓની ખુબ સમૃધ્ધ સંસ્કૃતિ, પરંપરા, તહેવારો, લોકકળા, ભાતીગળ પહેરવેશ અને લોક મેળા છે. ચૂંટણીના સમયે જ તમામ પાર્ટીઓને આદિવાસીઓની યાદ આવે છે. 


રાજ્યની 27 સીટ આદિવાસી માટે અનામત


ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. જેમ કે દાંતા, ખેડબ્રહ્મા, ભીલોડા, મોરવા હડફ, સંતરામપુર, ફતેપુરા, દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડા, છોટા ઉદેપુર, જેતપુર પાવી,સંખેડા, નાંદોદ, ડેડીયાપાડા, ઝઘડિયા, માંડવી, મહુવા, માંગરોળ, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાંસદા, ધરમપુર, કપરાડા,ઉંમરગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 38 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી છે. 


વર્ષ 2017માં કયા પક્ષને કેટલી સીટો મળી?


કોંગ્રેસ-15
ભાજપ-09 
BTP-02
અપક્ષ-01


ભાજપ આદિવાસીઓના દિલ જીતવામાં નિષ્ફળ કેમ? 


ગુજરાતમાં ભાજપનું છેલ્લા 27 વર્ષથી શાસન છે, જો કે તેમ છતા ભાજપ આદિવાસી પટ્ટા જોઈએ તેવી પેઠ બનાવી શકી નથી. ભાજપે કોંગ્રેસના આયાતી આદિવાસી ધારાસભ્યોને આવકાર્યા છે પણ આદિવાસીઓએ ભાજપના ઉમેદવારોને નકાર્યા છે તે પણ નગ્ન સત્ય છે. ભાજપનું હિંદુત્વનું કાર્ડ આદિવાસીઓ પર કોઈ અસર કરી શક્યું નથી. ભાજપની સરકારે આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યો કર્યા છે પણ તેમ છતાં તે છેવાડાના વનવાસીનું દિલ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસના વફાદાર મતદારો રહ્યા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.