વાઘોડિયાનાં “દબંગ અને બાહુબલી”ફરી વિવાદમાં, મધુ શ્રીવાસ્તવે હરિફ ઉમેદાવારોને કહ્યા 'છક્કાઓ'


  • Published By :
  • Published Date : 2022-11-29 14:30:14

ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા વાઘોડિયાનાં દબંગ નેતા મધુ શ્રી વાસ્તવ ફરી એક વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે વડોદરા પાસે આવેલા જરોદ ખાતે તેમના પ્રચાર કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં હરિફ ઉમેદવારોને પડકાર્યા હતા.


મધુ શ્રીવાસ્તવે ભાષણમાં શું કહ્યું? 


વાઘોડિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે. જેમણે મદિરા પિવડાવવાના ધંધા કર્યા, બીજું કશું કર્યું નથી. તેમને સબક શિખવાડવો જોઇએ કે લોકોનાં કામ કરો. વિકાસના કાર્ય કરો, લોકોને રોજી રોટી મળે એ કામ કરો. પાણી પહોંચાડવાના પ્રયાસ કરો. નાત-જાત ભેદભાવ વિના લોકોના નિઃસ્વાર્થ કામ કરો. 25 વર્ષના ઈતિહાસમાં વાઘોડિયા અને નંદેસરીના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કોઈ દિવસ કંપનીના માલિક કે મેનેજર પાસે ચૂંટણી ફંડ માગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. 5 તારીખે 7 નંબરનું બટન દબાવીને વિજયી બનાવશો તેની મને ખાતરી છે. અડધી રાત્રે મધુ શ્રીવાસ્તવ કામ આવશે. બીજું કોઈ કામ નહીં આવે. બે ઉમેદવારોએ તો ડિપોઝિટ બચાવી લેવી પડશે. વેપારીઓને વિનંતી કરું છું, તમારા ગ્રાહકોને પણ મને મત આપવા કહેજો. 2002માં આખું ગુજરાત ભળકે બળતું હતું, પણ મારા વાઘોડિયાને ભળકે બળવા દીધું નથી અને જાનહાનિ થવા દીધી નથી અને આગળ વધ્યો છું.


વાઘોડિયા બેઠકના સમીકરણો


વડોદરા જિલ્લાના વાઘોડિયાની બેઠક પર છેલ્લા છ ટર્મથી જીતતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વખતે અપક્ષ ઉમેદવાર છે. તેમની સામે ભાજપે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે. શ્રીવાસ્તવની સાથે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બળવાખોર બનીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોવાથી સ્પર્ધા રસપ્રદ બની છે. કોંગ્રેસે વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.