વાઘોડિયાનાં “દબંગ અને બાહુબલી”ફરી વિવાદમાં, મધુ શ્રીવાસ્તવે હરિફ ઉમેદાવારોને કહ્યા 'છક્કાઓ'


  • Published By :
  • Published Date : 2022-11-29 14:30:14

ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા વાઘોડિયાનાં દબંગ નેતા મધુ શ્રી વાસ્તવ ફરી એક વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે વડોદરા પાસે આવેલા જરોદ ખાતે તેમના પ્રચાર કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં હરિફ ઉમેદવારોને પડકાર્યા હતા.


મધુ શ્રીવાસ્તવે ભાષણમાં શું કહ્યું? 


વાઘોડિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે. જેમણે મદિરા પિવડાવવાના ધંધા કર્યા, બીજું કશું કર્યું નથી. તેમને સબક શિખવાડવો જોઇએ કે લોકોનાં કામ કરો. વિકાસના કાર્ય કરો, લોકોને રોજી રોટી મળે એ કામ કરો. પાણી પહોંચાડવાના પ્રયાસ કરો. નાત-જાત ભેદભાવ વિના લોકોના નિઃસ્વાર્થ કામ કરો. 25 વર્ષના ઈતિહાસમાં વાઘોડિયા અને નંદેસરીના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કોઈ દિવસ કંપનીના માલિક કે મેનેજર પાસે ચૂંટણી ફંડ માગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. 5 તારીખે 7 નંબરનું બટન દબાવીને વિજયી બનાવશો તેની મને ખાતરી છે. અડધી રાત્રે મધુ શ્રીવાસ્તવ કામ આવશે. બીજું કોઈ કામ નહીં આવે. બે ઉમેદવારોએ તો ડિપોઝિટ બચાવી લેવી પડશે. વેપારીઓને વિનંતી કરું છું, તમારા ગ્રાહકોને પણ મને મત આપવા કહેજો. 2002માં આખું ગુજરાત ભળકે બળતું હતું, પણ મારા વાઘોડિયાને ભળકે બળવા દીધું નથી અને જાનહાનિ થવા દીધી નથી અને આગળ વધ્યો છું.


વાઘોડિયા બેઠકના સમીકરણો


વડોદરા જિલ્લાના વાઘોડિયાની બેઠક પર છેલ્લા છ ટર્મથી જીતતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વખતે અપક્ષ ઉમેદવાર છે. તેમની સામે ભાજપે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે. શ્રીવાસ્તવની સાથે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બળવાખોર બનીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોવાથી સ્પર્ધા રસપ્રદ બની છે. કોંગ્રેસે વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.