પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ નાગરિત્વ મેળવ્યા બાદ પ્રથમ વખત મતદાન કરશે


  • Published By :
  • Published Date : 2022-11-27 14:02:40

ગુજરાત વિધાનસભાની  ચૂંટણીમાં પાકિસ્તાની મૂળના હિંદુઓ પણ પ્રથમ વખત મતદાન કરશે. રાજકોટ જિલ્લામાં નિવાસ કરતા આ પાકિસ્તાની હિંદુઓને ભારતનુ નાગરિત્વ મળ્યા પછી તેઓ હવે મતદાન કરવાને હક્કદાર બન્યા છે. પાકિસ્તાનમાંથી ગુજરાતમાં આવેલા કુલ 135 સ્થળાંતર કરનારાઓ રાજકોટ જિલ્લામાં આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.


નાગરિત્વ મળતા ખુશ


આ પાકિસ્તાની હિંદુઓએ નાગરિત્વ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ખુબ ખુશ છે, કે તેઓ હવે તેમનું પાકિસ્તાની શરણાર્થી જીવન છોડી શકે છે અને હવે તેઓ 'પાકિસ્તાની' કહેવાશે નહીં.


ચૂંટણી કાર્ડ બન્યું વાસ્તવિક ઓળખ 


આ પાકિસ્તાની હિંદુઓમાંથી મોટા ભાગના લોકો રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહે છે.  ભારતીય નાગરિકતા મેળવનાર હિંદુઓએ કહ્યું, “ચૂંટણી કાર્ડ હવે અમારી વાસ્તવિક ઓળખ છે."



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .