ભાજપને ઝટકો, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડલાનો નિર્ધાર વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-10 20:19:24

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ વખતે ભાજપે 84 જેટલા નેતાઓને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. 


મધુ શ્રી વાસ્તવના બદલાયા સુર


છેલ્લા 6 ટર્મથી ભાજપનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક પરથી પણ ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. તેવામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડીશ. 


ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો 


મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું કે હું અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો ત્યારે 10,000 થી વધુ મતથી જીત્યો હતો. એ જ રેકોર્ડથી હું જીતીને બતાવીશ. લોકોના પ્રશ્નો જે કાંઈ બાકી છે તે પૂર્ણ કરવાના છે. કાર્યકર્તા કહે તે કરીશ. હું લોકોના કામ કરતો આવ્યો છું અને હજુ ક્ષમતા છે. કાર્યકર્તા મને ટિકિટ ના મળતા નારાજ છે. મારે એટલે ચૂંટણી લડવી પડશે. જીતવાનું નક્કી જ છે. તેમણે કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી લડીશ. ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.