ભાજપને ઝટકો, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડલાનો નિર્ધાર વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-10 20:19:24

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ વખતે ભાજપે 84 જેટલા નેતાઓને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. 


મધુ શ્રી વાસ્તવના બદલાયા સુર


છેલ્લા 6 ટર્મથી ભાજપનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક પરથી પણ ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. તેવામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડીશ. 


ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો 


મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું કે હું અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો ત્યારે 10,000 થી વધુ મતથી જીત્યો હતો. એ જ રેકોર્ડથી હું જીતીને બતાવીશ. લોકોના પ્રશ્નો જે કાંઈ બાકી છે તે પૂર્ણ કરવાના છે. કાર્યકર્તા કહે તે કરીશ. હું લોકોના કામ કરતો આવ્યો છું અને હજુ ક્ષમતા છે. કાર્યકર્તા મને ટિકિટ ના મળતા નારાજ છે. મારે એટલે ચૂંટણી લડવી પડશે. જીતવાનું નક્કી જ છે. તેમણે કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી લડીશ. ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.