ભાજપને ઝટકો, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડલાનો નિર્ધાર વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-10 20:19:24

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ વખતે ભાજપે 84 જેટલા નેતાઓને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પણ સમાવેશ થાય છે. 


મધુ શ્રી વાસ્તવના બદલાયા સુર


છેલ્લા 6 ટર્મથી ભાજપનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક પરથી પણ ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. તેવામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડીશ. 


ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો 


મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું કે હું અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો ત્યારે 10,000 થી વધુ મતથી જીત્યો હતો. એ જ રેકોર્ડથી હું જીતીને બતાવીશ. લોકોના પ્રશ્નો જે કાંઈ બાકી છે તે પૂર્ણ કરવાના છે. કાર્યકર્તા કહે તે કરીશ. હું લોકોના કામ કરતો આવ્યો છું અને હજુ ક્ષમતા છે. કાર્યકર્તા મને ટિકિટ ના મળતા નારાજ છે. મારે એટલે ચૂંટણી લડવી પડશે. જીતવાનું નક્કી જ છે. તેમણે કહ્યું કે, પાર્ટી નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષમાંથી લડીશ. ચૂંટણી લડવાનું નક્કી નક્કી અને નક્કી.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.