ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? અટકળોનું બજાર ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:28:57

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ કાગડોળે રાહ જોઈ રહી છે. આજે ચૂંટણી જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે ચૂંટણી પંચે હાલ માત્ર હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જ જાહેરાત કરી છે. હવે રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજાશે તેને લઈને લોકો અટકળો લગાવવા લાગ્યા છે. દરેક વ્યક્તિ પોતાનું ગણિત, અનુમાન અને લેખાજોખા રજુ કરવામાં વ્યસ્ત બન્યો છે. આમ રાજ્યમાં હાલ અટકળોનું બજાર ગરમ છે.


2017ની ચૂંટણી 25 ઓક્ટોબરે જાહેર થઇ હતી


ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.


વિધાનસભાની ચૂંટણી ખરેખર ક્યારે યોજાશે?


આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. હવે જોવાની વાત એ છે કે ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8 ડિસેમ્બરે  યોજવાનું છે. તો સવાલ એ થાય કે ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે? એક સામાન્ય અનુમાન એ છે કે આ વખતે જો બે તબક્કામાં મતદાન થશે તો વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંત અને ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સમાપ્ત થાય તેવું માનવામાં આવે  છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.