ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? અટકળોનું બજાર ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:28:57

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ કાગડોળે રાહ જોઈ રહી છે. આજે ચૂંટણી જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે ચૂંટણી પંચે હાલ માત્ર હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જ જાહેરાત કરી છે. હવે રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજાશે તેને લઈને લોકો અટકળો લગાવવા લાગ્યા છે. દરેક વ્યક્તિ પોતાનું ગણિત, અનુમાન અને લેખાજોખા રજુ કરવામાં વ્યસ્ત બન્યો છે. આમ રાજ્યમાં હાલ અટકળોનું બજાર ગરમ છે.


2017ની ચૂંટણી 25 ઓક્ટોબરે જાહેર થઇ હતી


ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.


વિધાનસભાની ચૂંટણી ખરેખર ક્યારે યોજાશે?


આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. હવે જોવાની વાત એ છે કે ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8 ડિસેમ્બરે  યોજવાનું છે. તો સવાલ એ થાય કે ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે? એક સામાન્ય અનુમાન એ છે કે આ વખતે જો બે તબક્કામાં મતદાન થશે તો વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંત અને ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સમાપ્ત થાય તેવું માનવામાં આવે  છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.