ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? અટકળોનું બજાર ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:28:57

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ કાગડોળે રાહ જોઈ રહી છે. આજે ચૂંટણી જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે ચૂંટણી પંચે હાલ માત્ર હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જ જાહેરાત કરી છે. હવે રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજાશે તેને લઈને લોકો અટકળો લગાવવા લાગ્યા છે. દરેક વ્યક્તિ પોતાનું ગણિત, અનુમાન અને લેખાજોખા રજુ કરવામાં વ્યસ્ત બન્યો છે. આમ રાજ્યમાં હાલ અટકળોનું બજાર ગરમ છે.


2017ની ચૂંટણી 25 ઓક્ટોબરે જાહેર થઇ હતી


ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.


વિધાનસભાની ચૂંટણી ખરેખર ક્યારે યોજાશે?


આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. હવે જોવાની વાત એ છે કે ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8 ડિસેમ્બરે  યોજવાનું છે. તો સવાલ એ થાય કે ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે? એક સામાન્ય અનુમાન એ છે કે આ વખતે જો બે તબક્કામાં મતદાન થશે તો વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંત અને ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સમાપ્ત થાય તેવું માનવામાં આવે  છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .