ગુજરાત વિધાનસભાનું 2 દિવસનું ચોમાસુ સત્ર તોફાની બનશે, 7 જેટલા સુધારા બિલ પસાર કરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 19:08:06

ગુજરાત વિધાનસભાનું બે દિવસ સુધી ચાલનારૂ ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે અંતિમ દિવસે કેટલાક સુધારા વિધયોકો રજૂ કરવામાં આવશે.આ સત્રમાં 7 જેટલા સુધારા વિધયક પસાર કરવામાં આવશે. જો કે આ વખતે વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળની બાદબાકી કરવામાં આવી છે તેથી ચોમાસું સત્ર તોફાની રહેવાની સંભાવના છે. 


ચોમાસું સત્રમાં કયા સુધારા વિધેયક પસાર થશે?


ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનઃગઠન નિયમન બિલ

ગુજરાત વિનિયોગ અધિનિયમો રદ કરવા બાબત વિધેયક

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક

ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ વિધેયક પુનઃ વિચારણા


રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે ઉગ્ર ચર્ચા


આ ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભામાં પસાર થનારા સુધારા બિલમાં સૌથી વધુ ઉગ્ર ચર્ચા રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે. આ કાયદાને રાજ્યપાલે પુનઃ વિચારણા કરવા માટે પરત મોકલ્યો છે. આ બિલને લઈને કોંગ્રેસ દ્વારા ગૃહમાં વિરોધ પણ દર્શાવામાં આવશે. જો કે આ બિલને લઈને રાજ્યમાં જે રીતે માલધારી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યા છે. તેને અનુલક્ષીને સરકાર ગૃહમાં બિલ પરત ખેંચી શકે છે.


વિધાનસભાના ચોમાસુ સ્ત્રના બે દિવસ તોફાની બની શકે છે. વિધાનસભા બહાર વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ સાંપ્રત મુદ્દાને લઈને ગૃહમાં વિરોધ દર્શાવી શકે છે. આ અંગે કોંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં કર્મચારીઓની જૂની પેન્શન, કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ન, કર્મચારીઓના વેતન અને ગ્રેડ પેનો મુદ્દો અને ગ્રામીણ વિસ્તારમાં શાળાના ઓરડાને લઈને કોંગ્રેસ સત્રમાં વિરોધ દર્શાવશે.


સંસદીય બાબતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. સત્રમાં વિવિધ 7 જેટલા બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંકી મુદતના પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.