ગુજરાત વિધાનસભાનું 2 દિવસનું ચોમાસુ સત્ર તોફાની બનશે, 7 જેટલા સુધારા બિલ પસાર કરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 19:08:06

ગુજરાત વિધાનસભાનું બે દિવસ સુધી ચાલનારૂ ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે અંતિમ દિવસે કેટલાક સુધારા વિધયોકો રજૂ કરવામાં આવશે.આ સત્રમાં 7 જેટલા સુધારા વિધયક પસાર કરવામાં આવશે. જો કે આ વખતે વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળની બાદબાકી કરવામાં આવી છે તેથી ચોમાસું સત્ર તોફાની રહેવાની સંભાવના છે. 


ચોમાસું સત્રમાં કયા સુધારા વિધેયક પસાર થશે?


ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનઃગઠન નિયમન બિલ

ગુજરાત વિનિયોગ અધિનિયમો રદ કરવા બાબત વિધેયક

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક

ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ વિધેયક પુનઃ વિચારણા


રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે ઉગ્ર ચર્ચા


આ ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભામાં પસાર થનારા સુધારા બિલમાં સૌથી વધુ ઉગ્ર ચર્ચા રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે. આ કાયદાને રાજ્યપાલે પુનઃ વિચારણા કરવા માટે પરત મોકલ્યો છે. આ બિલને લઈને કોંગ્રેસ દ્વારા ગૃહમાં વિરોધ પણ દર્શાવામાં આવશે. જો કે આ બિલને લઈને રાજ્યમાં જે રીતે માલધારી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યા છે. તેને અનુલક્ષીને સરકાર ગૃહમાં બિલ પરત ખેંચી શકે છે.


વિધાનસભાના ચોમાસુ સ્ત્રના બે દિવસ તોફાની બની શકે છે. વિધાનસભા બહાર વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ સાંપ્રત મુદ્દાને લઈને ગૃહમાં વિરોધ દર્શાવી શકે છે. આ અંગે કોંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં કર્મચારીઓની જૂની પેન્શન, કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ન, કર્મચારીઓના વેતન અને ગ્રેડ પેનો મુદ્દો અને ગ્રામીણ વિસ્તારમાં શાળાના ઓરડાને લઈને કોંગ્રેસ સત્રમાં વિરોધ દર્શાવશે.


સંસદીય બાબતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. સત્રમાં વિવિધ 7 જેટલા બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંકી મુદતના પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.