ગુજરાત વિધાનસભાનું 2 દિવસનું ચોમાસુ સત્ર તોફાની બનશે, 7 જેટલા સુધારા બિલ પસાર કરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 19:08:06

ગુજરાત વિધાનસભાનું બે દિવસ સુધી ચાલનારૂ ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે અંતિમ દિવસે કેટલાક સુધારા વિધયોકો રજૂ કરવામાં આવશે.આ સત્રમાં 7 જેટલા સુધારા વિધયક પસાર કરવામાં આવશે. જો કે આ વખતે વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળની બાદબાકી કરવામાં આવી છે તેથી ચોમાસું સત્ર તોફાની રહેવાની સંભાવના છે. 


ચોમાસું સત્રમાં કયા સુધારા વિધેયક પસાર થશે?


ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનઃગઠન નિયમન બિલ

ગુજરાત વિનિયોગ અધિનિયમો રદ કરવા બાબત વિધેયક

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક

ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ વિધેયક પુનઃ વિચારણા


રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે ઉગ્ર ચર્ચા


આ ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભામાં પસાર થનારા સુધારા બિલમાં સૌથી વધુ ઉગ્ર ચર્ચા રખડતા ઢોર નિયત્રણ બિલ પર થશે. આ કાયદાને રાજ્યપાલે પુનઃ વિચારણા કરવા માટે પરત મોકલ્યો છે. આ બિલને લઈને કોંગ્રેસ દ્વારા ગૃહમાં વિરોધ પણ દર્શાવામાં આવશે. જો કે આ બિલને લઈને રાજ્યમાં જે રીતે માલધારી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યા છે. તેને અનુલક્ષીને સરકાર ગૃહમાં બિલ પરત ખેંચી શકે છે.


વિધાનસભાના ચોમાસુ સ્ત્રના બે દિવસ તોફાની બની શકે છે. વિધાનસભા બહાર વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ સાંપ્રત મુદ્દાને લઈને ગૃહમાં વિરોધ દર્શાવી શકે છે. આ અંગે કોંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં કર્મચારીઓની જૂની પેન્શન, કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ન, કર્મચારીઓના વેતન અને ગ્રેડ પેનો મુદ્દો અને ગ્રામીણ વિસ્તારમાં શાળાના ઓરડાને લઈને કોંગ્રેસ સત્રમાં વિરોધ દર્શાવશે.


સંસદીય બાબતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે. સત્રમાં વિવિધ 7 જેટલા બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંકી મુદતના પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.