ગુજરાતમાં વિદેશી પર્યટકોને આકર્ષવા પાછળ સરકારનું કરોડોનું આંધણ, છેલ્લા 2 વર્ષમાં માત્ર 465 પ્રવાસીઓ આવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-14 16:47:42

ગુજરાત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે, આ રાજ્યમાં અનેક ઐતિહાસિક અને નયનરમ્ય પર્યટન સ્થળો આવેલા છે. સરકાર પણ વિદેશી પર્યટકોને આકર્ષવા માટે કરોડોનો ખર્ચ કરે છે, તેમ છતાં પણ રાજ્યમાં પર્યટકોની સંખ્યા જોઈએ તેટલી વધી શકી નથી. આઘાતજનક બાબત તો એ  છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓએ જ રાજ્યની મુલાકાત લીધી છે.


વિવિધ ફેસ્ટિલવનું આયોજન કરાયું 


રાજ્યમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને વધુને વધુ વિદેશી પર્યટરો ગુજરાતની મુલાકાતે આવે તે માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો તે અંગે વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં રાજ્ય વિધાનસભામાં નાણામંત્રીએ જણાવ્યું કે  "છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્ય સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણોત્સવ,  સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ સહિતના વિવિધ 11 જેટલા નાના-મોટા ઉત્સવો પાછળ રાજ્ય સરકારે રોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે."


ઉત્સવો પાછળ કેટલો ખર્ચ થયો?


રાજ્ય સરકારે વિવિધ ઉત્સવો પાછશ વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિતની સજાવટ પાછળ કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો  અને અખબારોમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.