ગુજરાતમાં વિદેશી પર્યટકોને આકર્ષવા પાછળ સરકારનું કરોડોનું આંધણ, છેલ્લા 2 વર્ષમાં માત્ર 465 પ્રવાસીઓ આવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-14 16:47:42

ગુજરાત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે, આ રાજ્યમાં અનેક ઐતિહાસિક અને નયનરમ્ય પર્યટન સ્થળો આવેલા છે. સરકાર પણ વિદેશી પર્યટકોને આકર્ષવા માટે કરોડોનો ખર્ચ કરે છે, તેમ છતાં પણ રાજ્યમાં પર્યટકોની સંખ્યા જોઈએ તેટલી વધી શકી નથી. આઘાતજનક બાબત તો એ  છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓએ જ રાજ્યની મુલાકાત લીધી છે.


વિવિધ ફેસ્ટિલવનું આયોજન કરાયું 


રાજ્યમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને વધુને વધુ વિદેશી પર્યટરો ગુજરાતની મુલાકાતે આવે તે માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો તે અંગે વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં રાજ્ય વિધાનસભામાં નાણામંત્રીએ જણાવ્યું કે  "છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્ય સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણોત્સવ,  સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ સહિતના વિવિધ 11 જેટલા નાના-મોટા ઉત્સવો પાછળ રાજ્ય સરકારે રોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે."


ઉત્સવો પાછળ કેટલો ખર્ચ થયો?


રાજ્ય સરકારે વિવિધ ઉત્સવો પાછશ વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિતની સજાવટ પાછળ કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો  અને અખબારોમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.