ગુજરાતમાં વિદેશી પર્યટકોને આકર્ષવા પાછળ સરકારનું કરોડોનું આંધણ, છેલ્લા 2 વર્ષમાં માત્ર 465 પ્રવાસીઓ આવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-14 16:47:42

ગુજરાત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે, આ રાજ્યમાં અનેક ઐતિહાસિક અને નયનરમ્ય પર્યટન સ્થળો આવેલા છે. સરકાર પણ વિદેશી પર્યટકોને આકર્ષવા માટે કરોડોનો ખર્ચ કરે છે, તેમ છતાં પણ રાજ્યમાં પર્યટકોની સંખ્યા જોઈએ તેટલી વધી શકી નથી. આઘાતજનક બાબત તો એ  છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓએ જ રાજ્યની મુલાકાત લીધી છે.


વિવિધ ફેસ્ટિલવનું આયોજન કરાયું 


રાજ્યમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને વધુને વધુ વિદેશી પર્યટરો ગુજરાતની મુલાકાતે આવે તે માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો તે અંગે વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં રાજ્ય વિધાનસભામાં નાણામંત્રીએ જણાવ્યું કે  "છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્ય સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણોત્સવ,  સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ સહિતના વિવિધ 11 જેટલા નાના-મોટા ઉત્સવો પાછળ રાજ્ય સરકારે રોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે."


ઉત્સવો પાછળ કેટલો ખર્ચ થયો?


રાજ્ય સરકારે વિવિધ ઉત્સવો પાછશ વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિતની સજાવટ પાછળ કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો  અને અખબારોમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.