ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન: મધદરિયે ઝડપ્યું 200 કરોડનું 40 કિલો ડ્ર્ગ્સ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 11:15:37

અરબ સાગરમાં ડ્ર્ગ્સ માફિયાઓ ડ્ર્ગ્સ તસ્કરીનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ બાબત તાજેતરમાં મોટાપાયે પકડાયેલા ડ્ર્ગ્સના જથ્થા પરથી જાણી શકાય છે. આજે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સયુંકત મેગા ઓપરેશન પાર પાડ્યું છે. ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાની બોટ સાથે 40 કિલો ડ્રગ્સ ઝડપી પાડયું છે. મધદરિયે પકડાયેલા આ 40 કિલો ડ્ર્ગ્સની આંતરરાષ્ટ્રિય બજારમાં  200 કરોડ જેટલી થાય છે. 

 

બોટ સાથે 6 પાકિસ્તાની ક્રુની પણ અટકાયત


ICGની બે ફાસ્ટ એટેક બોટએ ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પાકિસ્તાની બોટ અલ તૈયસાની સાથે બોટના 6 પાકિસ્તાની ક્રુની પણ અટકાયત કરવામાં આવી છે. પાકિસ્તાની અલ તૈયસાને બોટને તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. સુત્રો દ્વારા મળતી વિગત મુજબ પંજાબની કપુરથલા જેલમાં બંધ નાઈજીરિયાના એક નાગરિકે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. ડ્ર્ગ્સનું આ સંપૂર્ણ નેટવર્ક જેલમાંથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સામાન્ય અનુમાન મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ 6 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. તાજેતરમાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસના પ્રયાસોની પ્રસંશા કરી ચુક્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી