Gujarat ATS એક્શનમાં! Junagadhમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈમાં થઈ ધરપકડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:46:56

થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નફરત ભર્યું ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ જૂનાગઢમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે. ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો પહોંચી ગયા હતા.  

ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદ 

31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. જુનાગઢમાં નરસિંહ સ્કૂલના મેદાનમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ભાષણના અમુક ટૂકડા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.  જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ IPC કલમ 153-B (ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505-(2) (ઉશ્કેરણીજનક ભાષણ) હેઠળ FIR નોંધવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.

અટકાયત બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રખાયા હોવાની માહિતી!

એવી માહિતી સામે આવી છે કે ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાની અટકાયત મુંબઈથી કરી લેવામાં આવી છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી અટકાયત બાદ મૌલાનાની પ્રતિક્રિયા સામે આવી છે. મુફ્તી સલમાન અઝહરીના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી અનેક ટ્વીટ્સ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે તેમની અટકાયત ગુજરાત એટીએસ, મુંબઇ એટીએસ અને ચિરાગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સવારે 11.56 વાગ્યે કરી લીધી છે. મળતી માહિતી અનુસાર મુફ્તી સલમાન અઝહરીને મુંબઇના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. મૌલાના પહેલા આ મામલે બે લોકોની ધરપકડ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.