Gujarat ATS એક્શનમાં! Junagadhમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈમાં થઈ ધરપકડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:46:56

થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નફરત ભર્યું ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ જૂનાગઢમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે. ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો પહોંચી ગયા હતા.  

ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદ 

31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. જુનાગઢમાં નરસિંહ સ્કૂલના મેદાનમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ભાષણના અમુક ટૂકડા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.  જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ IPC કલમ 153-B (ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505-(2) (ઉશ્કેરણીજનક ભાષણ) હેઠળ FIR નોંધવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.

અટકાયત બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રખાયા હોવાની માહિતી!

એવી માહિતી સામે આવી છે કે ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાની અટકાયત મુંબઈથી કરી લેવામાં આવી છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી અટકાયત બાદ મૌલાનાની પ્રતિક્રિયા સામે આવી છે. મુફ્તી સલમાન અઝહરીના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી અનેક ટ્વીટ્સ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે તેમની અટકાયત ગુજરાત એટીએસ, મુંબઇ એટીએસ અને ચિરાગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સવારે 11.56 વાગ્યે કરી લીધી છે. મળતી માહિતી અનુસાર મુફ્તી સલમાન અઝહરીને મુંબઇના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. મૌલાના પહેલા આ મામલે બે લોકોની ધરપકડ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.