Gujarat ATS એક્શનમાં! Junagadhમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈમાં થઈ ધરપકડ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:46:56

થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નફરત ભર્યું ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ જૂનાગઢમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે. ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો પહોંચી ગયા હતા.  

ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદ 

31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. જુનાગઢમાં નરસિંહ સ્કૂલના મેદાનમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ભાષણના અમુક ટૂકડા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.  જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ IPC કલમ 153-B (ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505-(2) (ઉશ્કેરણીજનક ભાષણ) હેઠળ FIR નોંધવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.

અટકાયત બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રખાયા હોવાની માહિતી!

એવી માહિતી સામે આવી છે કે ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાની અટકાયત મુંબઈથી કરી લેવામાં આવી છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી અટકાયત બાદ મૌલાનાની પ્રતિક્રિયા સામે આવી છે. મુફ્તી સલમાન અઝહરીના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી અનેક ટ્વીટ્સ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે તેમની અટકાયત ગુજરાત એટીએસ, મુંબઇ એટીએસ અને ચિરાગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સવારે 11.56 વાગ્યે કરી લીધી છે. મળતી માહિતી અનુસાર મુફ્તી સલમાન અઝહરીને મુંબઇના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. મૌલાના પહેલા આ મામલે બે લોકોની ધરપકડ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.