Gujarat ATS એક્શનમાં! Junagadhમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈમાં થઈ ધરપકડ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:46:56

થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નફરત ભર્યું ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ જૂનાગઢમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે. ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો પહોંચી ગયા હતા.  

ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરૂદ્ધ નોંધાઈ હતી ફરિયાદ 

31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. જુનાગઢમાં નરસિંહ સ્કૂલના મેદાનમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ભાષણના અમુક ટૂકડા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.  જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ IPC કલમ 153-B (ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505-(2) (ઉશ્કેરણીજનક ભાષણ) હેઠળ FIR નોંધવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.

અટકાયત બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રખાયા હોવાની માહિતી!

એવી માહિતી સામે આવી છે કે ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાની અટકાયત મુંબઈથી કરી લેવામાં આવી છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી અટકાયત બાદ મૌલાનાની પ્રતિક્રિયા સામે આવી છે. મુફ્તી સલમાન અઝહરીના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી અનેક ટ્વીટ્સ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે તેમની અટકાયત ગુજરાત એટીએસ, મુંબઇ એટીએસ અને ચિરાગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ સવારે 11.56 વાગ્યે કરી લીધી છે. મળતી માહિતી અનુસાર મુફ્તી સલમાન અઝહરીને મુંબઇના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. મૌલાના પહેલા આ મામલે બે લોકોની ધરપકડ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.  



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.