આવતીકાલે કોંગ્રેસનો ગુજરાત બંધ કાર્યક્રમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 19:34:18

દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિરોધ નોંધાવવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ આવતીકાલે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધ પાળશે. ગુજરાતની જનતાને સાથે રાખવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વેપારીઓને બંધ પાળવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી. આજે કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ બંધ પાળવા માટે ઘરે-ઘરે અને દુકાનો સુધી પહોંચીને તમામ વેપારીઓ અને લોકોને મળ્યા હતા. તમામ લોકો સાથે મળીને કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગુજરાત બંધ પાળવામાં મદદની અપીલ કરી હતી. 


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરી હતી બંધ પાળવાની જાહેરાત

રાહુલ ગાંધીના રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે 10 સપ્ટેમ્બરે 'ગુજરાત બંધ'નું એલાન કર્યું હતું. કાર્યકર્તાઓને મોંઘવારી જેવા મુદ્દાઓ સામે વિરોધ નોંધાવવા માટે બંધ પાળવા સૂચના આપી હતી. કોંગ્રેસનાની સભામાં ઉપસ્થિત 50 હજારથી વધુ કાર્યકર્તાઓએ બંધ પાળવા માટે સમર્થન આપ્યું હતું.


5 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજી બુથ લેવલના 50 હજારથી વધુ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. સંબોધન બાદ રાહુલ ગાંધીએ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે ગાંધીજીના આશિર્વાદ લીધા હતા. 


જમાવટે કોંગ્રેસના કાર્યકર પાસેથી મેળવી માહિતી

કોંગ્રસના કાર્યકર સાથે જમાવટે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "તૈયારીઓ થઈ ગઈ છે. કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાત બંધ મામલે ઉપરથી નજર રાખશે. જ્યારે કાર્યકર્તાઓ બંધ પાળવા માટે જમીન પર ઉતરી લોકોને મનાવશે અને અપીલ કરશે. આજના દિવસે ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્થાનિક વેપારીઓને મળીને બંધ પાળવાની અપીલ કરી હતી. આવતીકાલે કોંગ્રેસે પ્રજાના અવાજને બુલંદ કરવા માટે અને બહેરી સરકારને જગાડવા માટે ;ગુજરાત બંધ' પાળશે."



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"