આવતીકાલે કોંગ્રેસનો ગુજરાત બંધ કાર્યક્રમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 19:34:18

દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિરોધ નોંધાવવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ આવતીકાલે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધ પાળશે. ગુજરાતની જનતાને સાથે રાખવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વેપારીઓને બંધ પાળવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી. આજે કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ બંધ પાળવા માટે ઘરે-ઘરે અને દુકાનો સુધી પહોંચીને તમામ વેપારીઓ અને લોકોને મળ્યા હતા. તમામ લોકો સાથે મળીને કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગુજરાત બંધ પાળવામાં મદદની અપીલ કરી હતી. 


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરી હતી બંધ પાળવાની જાહેરાત

રાહુલ ગાંધીના રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે 10 સપ્ટેમ્બરે 'ગુજરાત બંધ'નું એલાન કર્યું હતું. કાર્યકર્તાઓને મોંઘવારી જેવા મુદ્દાઓ સામે વિરોધ નોંધાવવા માટે બંધ પાળવા સૂચના આપી હતી. કોંગ્રેસનાની સભામાં ઉપસ્થિત 50 હજારથી વધુ કાર્યકર્તાઓએ બંધ પાળવા માટે સમર્થન આપ્યું હતું.


5 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજી બુથ લેવલના 50 હજારથી વધુ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. સંબોધન બાદ રાહુલ ગાંધીએ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે ગાંધીજીના આશિર્વાદ લીધા હતા. 


જમાવટે કોંગ્રેસના કાર્યકર પાસેથી મેળવી માહિતી

કોંગ્રસના કાર્યકર સાથે જમાવટે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "તૈયારીઓ થઈ ગઈ છે. કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાત બંધ મામલે ઉપરથી નજર રાખશે. જ્યારે કાર્યકર્તાઓ બંધ પાળવા માટે જમીન પર ઉતરી લોકોને મનાવશે અને અપીલ કરશે. આજના દિવસે ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્થાનિક વેપારીઓને મળીને બંધ પાળવાની અપીલ કરી હતી. આવતીકાલે કોંગ્રેસે પ્રજાના અવાજને બુલંદ કરવા માટે અને બહેરી સરકારને જગાડવા માટે ;ગુજરાત બંધ' પાળશે."



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.