Gujarat : આવતા અઠવાડિયે મળવાની ભાજપની કારોબારી બેઠક, બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે થઈ શકે છે ચર્ચા, જાણો કોના નામ રેસમાં ચાલી રહ્યા આગળ?


  • Published By :
  • Published Date : 2024-06-28 13:07:14

ગુજરાતના રાજકારણમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી હતી. ગુજરાત ભાજપને હવે નવા અધ્યક્ષ મળશે કારણ કે સી.આર.પાટીલ હવે દિલ્હી જશે. કેન્દ્રીય મંત્રી મંડળમાં સી.આર.પાટીલને સ્થાન મળ્યું છે. સી.આર.પાટીલ તો દિલ્હી જતા રહેશે પરંતુ ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં સોંપાશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.. ગુજરાત ભાજપ અધ્યક્ષના અનેક નામો ચર્ચામાં જે પાટીલની ગાદી સંભાળી શકે છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે..... 

પાટીલને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન  

સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી. ગુજરાત વિધાનસભામાં પાટીલે 156 બેઠકો અપાવી પોતાનું ઉત્કૃષ્ટ કામ દર્શાવ્યું હતું.. તે બાદ પક્ષપલટાની મૌસમ આવી, પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ અને ભારતીય જનતા પાર્ટીની સંખ્યા વધીને 161 થઈ ગઈ.. ત્યારપછી લોકસભાની ચૂંટણીઓમાં લાગી ગયા હતા.. હવે મોદી સરકાર 3.0માં સી.આર.પાટીલને દિલ્હીની ગાદી મળી તો ગુજરાત ભાજપના નવા સુકાની કોણ બનશે તેની ચર્ચાઓ જોરશોરથી શરુ થઈ ચુકી છે... 



સાળંગપુર ખાતે મળવાની છે ભાજપની કારોબારી બેઠક 

ચર્ચા એવી પણ છે કે ભાજપની જે કારોબારી બેઠક મળવા જઈ રહી છે તેમાં ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે.... 4-5 જુલાઈના રોજ ભાજપની કારોબારી બેઠક મળવા જઈ રહી છે... જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. મંડલ સ્તર સુધીના પદાધિકારીઓને બેઠકમા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગાંધીનગર નહીં, સાળંગપુર ખાતે મળશે. 




આવતા અઠવાડિયે ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ

કારોબારી બેઠક બાદ સદસ્યતા અભિયાન શરૂ થશે. ત્યા સુધી સંભવતઃ કાર્યકારી પ્રમુખ તરીકે કોઈને જવાબદારી સોંપવામાં આવી શકે છે એવી પણ ચર્ચા છે.... તો આ ચર્ચા જો સાચી માનીએ તો આવતા સપ્તાહે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે....  ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ પરિવર્તનોની પ્રક્રિયા હવે શરુ થઈ ચુકી છે. પાટીલના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપે વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 161 બેઠકો મેળવીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. સાથે રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અંગેની અટકળો પણ વેગ પકડી રહી છે..... 


અતિથિ તરીકે બેઠકમાં હાજર રહેશે પિયુષ ગોયેલ

આ સિવાય આ કારોબારી બેઠક ચૂંટણી પછીની ઔપચારિકતા સમાન રહેશે આ દરમિયાન એક પ્રસ્તાવ પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા માટે અભિનંદન પાઠવવામાં આવશે... આ બેઠકમાં અતિથિ તરીકે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે... જે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક બેઠક ઓછી થવા પર પાર્ટીમાં વ્યાપેલી નિરાશા દૂર કરવા માટે નેતાઓ મંચ પરથી તેમના પદાધિકારીઓને પાનો ચઢાવશે... આ બેઠકમાં સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અને જિલ્લાના પ્રતિનિધીઓ પણ બેઠકમાં હાજર રહેશે....



ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ ના કરી શક્યું હાંસલ 

આ વખતની ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવી છે. પક્ષને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત ભાજપમાં લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પક્ષપલટુઓને મોટી જવાબદારી મળતા અનેક નેતાઓ તેમજ કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે. ભાજપમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે આવી રહ્યો છે. તેની મોટી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી. 


કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

ભાજપ પ્રદેશ પ્રમુખ માટે દેવુસિંહ ચૌહાણ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા, વિનોદ ચાવડા, મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, ગણપત વસાવા, રજની પટેલ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજા, શંકર ચૌધરી આ બધાના નામ ચર્ચામાં છે... પણ ભાજપ આ સિવાય પણ કોઈ નવા નેતાનું નામ લઈને આવે તો પણ નવાઈ નહીં.... 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"