Gujarat : આવતા અઠવાડિયે મળવાની ભાજપની કારોબારી બેઠક, બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે થઈ શકે છે ચર્ચા, જાણો કોના નામ રેસમાં ચાલી રહ્યા આગળ?


  • Published By :
  • Published Date : 2024-06-28 13:07:14

ગુજરાતના રાજકારણમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી હતી. ગુજરાત ભાજપને હવે નવા અધ્યક્ષ મળશે કારણ કે સી.આર.પાટીલ હવે દિલ્હી જશે. કેન્દ્રીય મંત્રી મંડળમાં સી.આર.પાટીલને સ્થાન મળ્યું છે. સી.આર.પાટીલ તો દિલ્હી જતા રહેશે પરંતુ ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં સોંપાશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.. ગુજરાત ભાજપ અધ્યક્ષના અનેક નામો ચર્ચામાં જે પાટીલની ગાદી સંભાળી શકે છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે..... 

પાટીલને મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન  

સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી. ગુજરાત વિધાનસભામાં પાટીલે 156 બેઠકો અપાવી પોતાનું ઉત્કૃષ્ટ કામ દર્શાવ્યું હતું.. તે બાદ પક્ષપલટાની મૌસમ આવી, પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ અને ભારતીય જનતા પાર્ટીની સંખ્યા વધીને 161 થઈ ગઈ.. ત્યારપછી લોકસભાની ચૂંટણીઓમાં લાગી ગયા હતા.. હવે મોદી સરકાર 3.0માં સી.આર.પાટીલને દિલ્હીની ગાદી મળી તો ગુજરાત ભાજપના નવા સુકાની કોણ બનશે તેની ચર્ચાઓ જોરશોરથી શરુ થઈ ચુકી છે... 



સાળંગપુર ખાતે મળવાની છે ભાજપની કારોબારી બેઠક 

ચર્ચા એવી પણ છે કે ભાજપની જે કારોબારી બેઠક મળવા જઈ રહી છે તેમાં ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે.... 4-5 જુલાઈના રોજ ભાજપની કારોબારી બેઠક મળવા જઈ રહી છે... જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. મંડલ સ્તર સુધીના પદાધિકારીઓને બેઠકમા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગાંધીનગર નહીં, સાળંગપુર ખાતે મળશે. 




આવતા અઠવાડિયે ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ

કારોબારી બેઠક બાદ સદસ્યતા અભિયાન શરૂ થશે. ત્યા સુધી સંભવતઃ કાર્યકારી પ્રમુખ તરીકે કોઈને જવાબદારી સોંપવામાં આવી શકે છે એવી પણ ચર્ચા છે.... તો આ ચર્ચા જો સાચી માનીએ તો આવતા સપ્તાહે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે....  ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ પરિવર્તનોની પ્રક્રિયા હવે શરુ થઈ ચુકી છે. પાટીલના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપે વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 161 બેઠકો મેળવીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. સાથે રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અંગેની અટકળો પણ વેગ પકડી રહી છે..... 


અતિથિ તરીકે બેઠકમાં હાજર રહેશે પિયુષ ગોયેલ

આ સિવાય આ કારોબારી બેઠક ચૂંટણી પછીની ઔપચારિકતા સમાન રહેશે આ દરમિયાન એક પ્રસ્તાવ પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા માટે અભિનંદન પાઠવવામાં આવશે... આ બેઠકમાં અતિથિ તરીકે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે... જે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક બેઠક ઓછી થવા પર પાર્ટીમાં વ્યાપેલી નિરાશા દૂર કરવા માટે નેતાઓ મંચ પરથી તેમના પદાધિકારીઓને પાનો ચઢાવશે... આ બેઠકમાં સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અને જિલ્લાના પ્રતિનિધીઓ પણ બેઠકમાં હાજર રહેશે....



ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ ના કરી શક્યું હાંસલ 

આ વખતની ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવી છે. પક્ષને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત ભાજપમાં લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પક્ષપલટુઓને મોટી જવાબદારી મળતા અનેક નેતાઓ તેમજ કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે. ભાજપમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે આવી રહ્યો છે. તેની મોટી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી. 


કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

ભાજપ પ્રદેશ પ્રમુખ માટે દેવુસિંહ ચૌહાણ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા, વિનોદ ચાવડા, મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, ગણપત વસાવા, રજની પટેલ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજા, શંકર ચૌધરી આ બધાના નામ ચર્ચામાં છે... પણ ભાજપ આ સિવાય પણ કોઈ નવા નેતાનું નામ લઈને આવે તો પણ નવાઈ નહીં.... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.