ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 15 ફેબ્રુઆરી બાદ યોજાશે, કનુ દેસાઈ બજેટ રજૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-01-11 14:43:34

વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ વિધાનસભાના અધ્યક્ષની વરણી માટે માત્રે એક દિવસનું સત્ર 20 ડિસેમ્બરે મળ્યું હતું. એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠકો મળી હતી. પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કર્યું હતું. બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થઈ હતી. જે બાદ વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ પણ રજૂ કરવામાં આવ્યું હતું..


બજેટ 
સત્ર 15  ફેબ્રુઆરી બાદ મળશે 


રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 બન્યા પછી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ થશે. નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભામા બજેટ સત્રનો આરંભ થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન સંદર્ભે  સિનિયર મંત્રીઓની કમિટી રચવામાં આવશે. નાણા મંત્રી તરીકે કનુ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર નવા કાયદા રજૂ થશે જ્યારે જૂના કાયદામાં સુધારા કરશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.