ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 15 ફેબ્રુઆરી બાદ યોજાશે, કનુ દેસાઈ બજેટ રજૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-01-11 14:43:34

વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ વિધાનસભાના અધ્યક્ષની વરણી માટે માત્રે એક દિવસનું સત્ર 20 ડિસેમ્બરે મળ્યું હતું. એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠકો મળી હતી. પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કર્યું હતું. બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થઈ હતી. જે બાદ વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ પણ રજૂ કરવામાં આવ્યું હતું..


બજેટ 
સત્ર 15  ફેબ્રુઆરી બાદ મળશે 


રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 બન્યા પછી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ થશે. નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભામા બજેટ સત્રનો આરંભ થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન સંદર્ભે  સિનિયર મંત્રીઓની કમિટી રચવામાં આવશે. નાણા મંત્રી તરીકે કનુ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર નવા કાયદા રજૂ થશે જ્યારે જૂના કાયદામાં સુધારા કરશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.