ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 15 ફેબ્રુઆરી બાદ યોજાશે, કનુ દેસાઈ બજેટ રજૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-01-11 14:43:34

વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ વિધાનસભાના અધ્યક્ષની વરણી માટે માત્રે એક દિવસનું સત્ર 20 ડિસેમ્બરે મળ્યું હતું. એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠકો મળી હતી. પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કર્યું હતું. બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થઈ હતી. જે બાદ વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ પણ રજૂ કરવામાં આવ્યું હતું..


બજેટ 
સત્ર 15  ફેબ્રુઆરી બાદ મળશે 


રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 બન્યા પછી 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ થશે. નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. 15 ફેબ્રુઆરી બાદ વિધાનસભામા બજેટ સત્રનો આરંભ થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન સંદર્ભે  સિનિયર મંત્રીઓની કમિટી રચવામાં આવશે. નાણા મંત્રી તરીકે કનુ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર નવા કાયદા રજૂ થશે જ્યારે જૂના કાયદામાં સુધારા કરશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.