Gujarat By Election : Arjun Modhwadia, C.J.Chawda સહિત જીતેલા પાંચેય ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ 161 થયું..


  • Published By :
  • Published Date : 2024-06-11 15:29:39

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીને 156 સીટો મળી..ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી.. એવું લાગતું હતું કે ભાજપને આટલી સીટોથી સંતોષ હશે પરંતુ સમય જતા જતા ગુજરાતમાં રાજીનામાનો દોર શરૂ થયો. 6 ધારાસભ્યોએ એક બાદ એક રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય પાંય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ.. આજે વિધાનસભા અધ્યક્ષે પાંચેય ધારાસભ્યને શપથ લેવડાવ્યા છે.. ભાજપનું સંખ્યા બળ વધીને 161 થઈ ગયું છે.  



વિજેતા ઉમેદવારે લીધા ધારાસભ્ય તરીકેના શપથ  

2024માં જ્યારે લોકસભા ચૂંટણી માટે જ્યારે મતદાન થયું તેની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. લોકસભાના પરિણામ જે દિવસે આવ્યા તે દિવસે પેટા ચૂંટણીના પરિણામ આવ્યા. પાંચેય પાંચ વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જીત હાંસલ કરી.. પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા, વિજાપુરથી સી.જે.ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આજે શપથવિધિ યોજાઈ હતી જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.. મહત્વનું છે કે એક વિધાનસભા બેઠક ખાલી છે..



જ્યારે ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપી દે છે ત્યારે..,

ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને ઉતાર્યા હતા ચૂંટણી મેદાનમાં તેઓ એ જ ધારાસભ્યો હતા જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.. મતદાતાએ પહેલા જેમને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા તેમને જ ફરીથી પસંદ કર્યા.. લોકસભાની ચૂંટણી સાથે સાથે ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી માટે મતદાતાઓએ મતદાન કર્યું હતું, મહત્વનું છે કે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે ત્યારે મતદાતાઓના મનમાં રોષની લાગણી જોવા મળતી હોય છે.  




મંત્રી મંડળનું થશે વિસ્તરણ? 

મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિસ્તરણ થઈ શકે છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે અર્જુન મોઢવાડિયા તેમજ સી.જે.ચાવડાનો સમાવેશ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં થઈ શકે છે.. મહત્વનું છે કે એવું ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓમાં એ લાગણી કદાચ પ્રવર્તિ શકે છે કે કોંગ્રેસમાંથી આવતા લોકોને મંત્રી પદ મળી જાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા, કાર્યકર્તાઓ મંત્રી પદથી વંચિત રહી જાય છે..  



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.