Gujarat By Election : થોડા દિવસ પહેલા વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મધુ શ્રીવાસ્તવે પરત ખેંચી ઉમેદવારી, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો!


  • Published By :
  • Published Date : 2024-04-22 18:30:16

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ તો જામ્યો છે, ઉમેદવારો પ્રચાર માટે લાગી ગયા છે પરંતુ આ દિવસે ના માત્ર લોકસભા માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોએ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. અનેક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે ત્યારે આ બધા વચ્ચે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે ઉમેદવારી તો પરત ખેંચી પરંતુ સાથે સાથે કોંગ્રેસને ટેકો પણ જાહેર કર્યો છે. મહત્વનું છે કે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો હતો એવું માનવામાં આવતું પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. 


6 ધારાસભ્યોએ આપી દીધું હતું રાજીનામું 

થોડા સમય પહેલા ગુજરાતની રાજનીતિમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો હતો. થોડા સમયની અંદર 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા.. ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિસાવદર બેઠક પર કોર્ટ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી નથી ત્યારે બાકી રહેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 



અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે નોંધાવી દાવેદારી

વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ દાવેદારી થોડા દિવસો પહેલા નોંધાવી હતી. એવું લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમણે પોતાની દાવેદારી પરત લઈ લીધી છે. મહત્વનું છે કે 19 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 20 તારીખે ફોર્મની ચકાસણી થઈ અને 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકાતું હતું.  

ભાજપે આ બેઠક પર બદલ્યા છે ઉમેદવાર 

આની પહેલા સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા કે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.. મહત્વનું છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયા હતા ત્યારે તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું, મોટી સંખ્યામાં જનમેદની તેમના સમર્થનમાં ઉતરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારને બદલ્યા છે. પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ આ બેઠક માટે શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. ઉમેદવાર બદલાતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોની જીત થાય છે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે