Gujarat By Election : થોડા દિવસ પહેલા વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મધુ શ્રીવાસ્તવે પરત ખેંચી ઉમેદવારી, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 18:30:16

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ તો જામ્યો છે, ઉમેદવારો પ્રચાર માટે લાગી ગયા છે પરંતુ આ દિવસે ના માત્ર લોકસભા માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોએ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. અનેક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે ત્યારે આ બધા વચ્ચે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે ઉમેદવારી તો પરત ખેંચી પરંતુ સાથે સાથે કોંગ્રેસને ટેકો પણ જાહેર કર્યો છે. મહત્વનું છે કે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો હતો એવું માનવામાં આવતું પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. 


6 ધારાસભ્યોએ આપી દીધું હતું રાજીનામું 

થોડા સમય પહેલા ગુજરાતની રાજનીતિમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો હતો. થોડા સમયની અંદર 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા.. ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિસાવદર બેઠક પર કોર્ટ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી નથી ત્યારે બાકી રહેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 



અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે નોંધાવી દાવેદારી

વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ દાવેદારી થોડા દિવસો પહેલા નોંધાવી હતી. એવું લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમણે પોતાની દાવેદારી પરત લઈ લીધી છે. મહત્વનું છે કે 19 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 20 તારીખે ફોર્મની ચકાસણી થઈ અને 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકાતું હતું.  

ભાજપે આ બેઠક પર બદલ્યા છે ઉમેદવાર 

આની પહેલા સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા કે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.. મહત્વનું છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયા હતા ત્યારે તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું, મોટી સંખ્યામાં જનમેદની તેમના સમર્થનમાં ઉતરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારને બદલ્યા છે. પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ આ બેઠક માટે શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. ઉમેદવાર બદલાતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોની જીત થાય છે?  



ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.