Gujarat By Election : થોડા દિવસ પહેલા વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મધુ શ્રીવાસ્તવે પરત ખેંચી ઉમેદવારી, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો!


  • Published By :
  • Published Date : 2024-04-22 18:30:16

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ તો જામ્યો છે, ઉમેદવારો પ્રચાર માટે લાગી ગયા છે પરંતુ આ દિવસે ના માત્ર લોકસભા માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોએ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. અનેક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે ત્યારે આ બધા વચ્ચે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે ઉમેદવારી તો પરત ખેંચી પરંતુ સાથે સાથે કોંગ્રેસને ટેકો પણ જાહેર કર્યો છે. મહત્વનું છે કે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો હતો એવું માનવામાં આવતું પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. 


6 ધારાસભ્યોએ આપી દીધું હતું રાજીનામું 

થોડા સમય પહેલા ગુજરાતની રાજનીતિમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો હતો. થોડા સમયની અંદર 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા.. ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિસાવદર બેઠક પર કોર્ટ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી નથી ત્યારે બાકી રહેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 



અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે નોંધાવી દાવેદારી

વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ દાવેદારી થોડા દિવસો પહેલા નોંધાવી હતી. એવું લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમણે પોતાની દાવેદારી પરત લઈ લીધી છે. મહત્વનું છે કે 19 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 20 તારીખે ફોર્મની ચકાસણી થઈ અને 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકાતું હતું.  

ભાજપે આ બેઠક પર બદલ્યા છે ઉમેદવાર 

આની પહેલા સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા કે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.. મહત્વનું છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયા હતા ત્યારે તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું, મોટી સંખ્યામાં જનમેદની તેમના સમર્થનમાં ઉતરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારને બદલ્યા છે. પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ આ બેઠક માટે શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. ઉમેદવાર બદલાતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોની જીત થાય છે?  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.