Gujarat By Election : થોડા દિવસ પહેલા વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મધુ શ્રીવાસ્તવે પરત ખેંચી ઉમેદવારી, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો!


  • Published By :
  • Published Date : 2024-04-22 18:30:16

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ તો જામ્યો છે, ઉમેદવારો પ્રચાર માટે લાગી ગયા છે પરંતુ આ દિવસે ના માત્ર લોકસભા માટે મતદાન થવાનું છે પરંતુ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોએ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. અનેક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે ત્યારે આ બધા વચ્ચે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે ઉમેદવારી તો પરત ખેંચી પરંતુ સાથે સાથે કોંગ્રેસને ટેકો પણ જાહેર કર્યો છે. મહત્વનું છે કે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો હતો એવું માનવામાં આવતું પરંતુ મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. 


6 ધારાસભ્યોએ આપી દીધું હતું રાજીનામું 

થોડા સમય પહેલા ગુજરાતની રાજનીતિમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો હતો. થોડા સમયની અંદર 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા.. ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિસાવદર બેઠક પર કોર્ટ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી નથી ત્યારે બાકી રહેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. 



અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે નોંધાવી દાવેદારી

વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ દાવેદારી થોડા દિવસો પહેલા નોંધાવી હતી. એવું લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમણે પોતાની દાવેદારી પરત લઈ લીધી છે. મહત્વનું છે કે 19 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 20 તારીખે ફોર્મની ચકાસણી થઈ અને 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકાતું હતું.  

ભાજપે આ બેઠક પર બદલ્યા છે ઉમેદવાર 

આની પહેલા સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા કે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.. મહત્વનું છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયા હતા ત્યારે તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું, મોટી સંખ્યામાં જનમેદની તેમના સમર્થનમાં ઉતરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારને બદલ્યા છે. પહેલા ભીખાજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી પરંતુ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ આ બેઠક માટે શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. ઉમેદવાર બદલાતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોની જીત થાય છે?  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.