Gujaratના મુખ્યમંત્રીએ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને આપ્યો એક કરોડનો ચેક, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-13 09:50:35

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં અમદાવાદના વીર મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. જ્યારે નશ્વર દેહને અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો ત્યારે જનમેદની ઉમટી હતી. પતિને જ્યારે પત્નીએ અંતિમ વિદાય આપી ત્યારે તે ગર્ભવતી હતા. થોડા સમય બાદ વાળા પરિવારમાં પુત્રીનો જન્મ થયો હતો જેને વિરલબા નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને એક કરોડ રુપિયાનો ચેક અર્પણ કર્યો છે. અમદાવાદ સ્થિત શહીદના નિવાસસ્થાને મુખ્યમંત્રી ગયા અને પરિવારજનોને ચેક અર્પણ કર્યો હતો. વિરલબાને મુખ્યમંત્રીએ રમાડી હતી.


અશ્રુભીનિ આંખે પરિવારે આપી હતી શહીદને અંતિમ વિદાય

દેશની રક્ષા માટે દેશના જવાન સીમા પર તૈનાત હોય છે. દેશમાં રહેતા લોકો શાંતીથી અને સુખે રહી શકે તે માટે દુશ્મોની ગોળી છાતી પર ખાતા હોય છે. સરહદ પર તૈનાત અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે શહીદ થઈ ગયા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ વાળા આતંકવાદી સાથે થયેલી અથડામણમાં તે શહીદ થયા હતા. જ્યારે મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને ગુજરાત લાવવામાં આવ્યો ત્યારે અંતિમ સંસ્કાર દરમિયાન ભારે જનમેદની ઉમટી હતી. અશ્રુભીનિ આંખે પરિવારે પોતાના સંતાનને અંતિમ વિદાય આપી હતી. પરિવારે દીકરાને તો ગુમાવ્યો પરંતુ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો. 



શહીદના પરિવારને મુખ્યમંત્રીએ આપ્યો એક કરોડને ચેક 

વીર શહીદની શહીદીને યાદ કરવા માટે શાળાનું નામ પણ બદલાવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરના પરિવારને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. શહીદના ઘરે  જઈ મુખ્યમંત્રીએ પરિવારજનોને ચેક આપ્યો હતો. શહીદને પુષ્પાંજલી અર્પણ કર્યા હતા અને તે બાદ વિરલબાને વ્હાલ પણ કર્યું હતું. શહીદ વીરના પરિવારને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે બે કરોડ રૂપિયાની સહાય મળવાની છે ત્યારે પરિવારને એક કરોડનો ચેક આપવામાં આવ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.