Gujaratના મુખ્યમંત્રીએ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને આપ્યો એક કરોડનો ચેક, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-13 09:50:35

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં અમદાવાદના વીર મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. જ્યારે નશ્વર દેહને અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો ત્યારે જનમેદની ઉમટી હતી. પતિને જ્યારે પત્નીએ અંતિમ વિદાય આપી ત્યારે તે ગર્ભવતી હતા. થોડા સમય બાદ વાળા પરિવારમાં પુત્રીનો જન્મ થયો હતો જેને વિરલબા નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને એક કરોડ રુપિયાનો ચેક અર્પણ કર્યો છે. અમદાવાદ સ્થિત શહીદના નિવાસસ્થાને મુખ્યમંત્રી ગયા અને પરિવારજનોને ચેક અર્પણ કર્યો હતો. વિરલબાને મુખ્યમંત્રીએ રમાડી હતી.


અશ્રુભીનિ આંખે પરિવારે આપી હતી શહીદને અંતિમ વિદાય

દેશની રક્ષા માટે દેશના જવાન સીમા પર તૈનાત હોય છે. દેશમાં રહેતા લોકો શાંતીથી અને સુખે રહી શકે તે માટે દુશ્મોની ગોળી છાતી પર ખાતા હોય છે. સરહદ પર તૈનાત અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે શહીદ થઈ ગયા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ વાળા આતંકવાદી સાથે થયેલી અથડામણમાં તે શહીદ થયા હતા. જ્યારે મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને ગુજરાત લાવવામાં આવ્યો ત્યારે અંતિમ સંસ્કાર દરમિયાન ભારે જનમેદની ઉમટી હતી. અશ્રુભીનિ આંખે પરિવારે પોતાના સંતાનને અંતિમ વિદાય આપી હતી. પરિવારે દીકરાને તો ગુમાવ્યો પરંતુ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો. 



શહીદના પરિવારને મુખ્યમંત્રીએ આપ્યો એક કરોડને ચેક 

વીર શહીદની શહીદીને યાદ કરવા માટે શાળાનું નામ પણ બદલાવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરના પરિવારને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. શહીદના ઘરે  જઈ મુખ્યમંત્રીએ પરિવારજનોને ચેક આપ્યો હતો. શહીદને પુષ્પાંજલી અર્પણ કર્યા હતા અને તે બાદ વિરલબાને વ્હાલ પણ કર્યું હતું. શહીદ વીરના પરિવારને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે બે કરોડ રૂપિયાની સહાય મળવાની છે ત્યારે પરિવારને એક કરોડનો ચેક આપવામાં આવ્યો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.