Gujaratના મુખ્યમંત્રીએ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને આપ્યો એક કરોડનો ચેક, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-13 09:50:35

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં અમદાવાદના વીર મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. જ્યારે નશ્વર દેહને અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો ત્યારે જનમેદની ઉમટી હતી. પતિને જ્યારે પત્નીએ અંતિમ વિદાય આપી ત્યારે તે ગર્ભવતી હતા. થોડા સમય બાદ વાળા પરિવારમાં પુત્રીનો જન્મ થયો હતો જેને વિરલબા નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને એક કરોડ રુપિયાનો ચેક અર્પણ કર્યો છે. અમદાવાદ સ્થિત શહીદના નિવાસસ્થાને મુખ્યમંત્રી ગયા અને પરિવારજનોને ચેક અર્પણ કર્યો હતો. વિરલબાને મુખ્યમંત્રીએ રમાડી હતી.


અશ્રુભીનિ આંખે પરિવારે આપી હતી શહીદને અંતિમ વિદાય

દેશની રક્ષા માટે દેશના જવાન સીમા પર તૈનાત હોય છે. દેશમાં રહેતા લોકો શાંતીથી અને સુખે રહી શકે તે માટે દુશ્મોની ગોળી છાતી પર ખાતા હોય છે. સરહદ પર તૈનાત અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે શહીદ થઈ ગયા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ વાળા આતંકવાદી સાથે થયેલી અથડામણમાં તે શહીદ થયા હતા. જ્યારે મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને ગુજરાત લાવવામાં આવ્યો ત્યારે અંતિમ સંસ્કાર દરમિયાન ભારે જનમેદની ઉમટી હતી. અશ્રુભીનિ આંખે પરિવારે પોતાના સંતાનને અંતિમ વિદાય આપી હતી. પરિવારે દીકરાને તો ગુમાવ્યો પરંતુ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો. 



શહીદના પરિવારને મુખ્યમંત્રીએ આપ્યો એક કરોડને ચેક 

વીર શહીદની શહીદીને યાદ કરવા માટે શાળાનું નામ પણ બદલાવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરના પરિવારને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. શહીદના ઘરે  જઈ મુખ્યમંત્રીએ પરિવારજનોને ચેક આપ્યો હતો. શહીદને પુષ્પાંજલી અર્પણ કર્યા હતા અને તે બાદ વિરલબાને વ્હાલ પણ કર્યું હતું. શહીદ વીરના પરિવારને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે બે કરોડ રૂપિયાની સહાય મળવાની છે ત્યારે પરિવારને એક કરોડનો ચેક આપવામાં આવ્યો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી