EVMની કામગીરી પર કોંગ્રેસે ફરી કર્યા આક્ષેપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:46:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગામડાઓમાં છૂપી રીતે કામગીરી કરી રહ્યું છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર તો કંઈક અલગ જ વાત કહી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેઢા ગામમાં ઈવીએમ મશીન પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. 


EVM મશીન પર કોંગ્રેસે કર્યા આક્ષેપો 

અગાઉ કોંગ્રેસના નિવેદનોમાં જોવા મળ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઈવીએમ મશીન પર હારનો ટોપલો ઢોળતું આવ્યું છે પરંતુ આ વખતે કોંગ્રેસ ચૂંટણી પહેલા ઈવીએમ પર નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ જેટલા અને જેવા મશિનો લાવવા હોય તે લાવે અમે કોમ્પ્યુટર એન્જીનિયર રાખ્યા છે જેથી ભાજપનું ગજ વાગે નહીં. અમેં ઈવીએમ ફેક્ટરીમાંથી ગુજરાતઆવે ત્યાં સુધી ચોકી મૂકી છે. ચૂંટણી પંચથી કલેક્ટર અને ત્યાંથી મામલતદાર અને ત્યાંથી પણ વિવિધ વિસ્તારોમાં આવે ત્યાં સુધી ચોકી ગોઠવી છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ શું કરી શકે અને અમારે શું નથી થવા દેવું તેની તૈયારીઓ અમેં કરી લીધી છે. 


ભાજપ જેટલા અને જેવા EVM મશીન લાવવા હોય એવા લાવે: જગદીશ ઠાકોર 

ભારતમાં ચૂંટણીને પણ હર્ષોલ્લાસના પર્વની જેમ મનાવવામાં આવે છે. ઈવીએમ મશીનો આવ્યા ત્યારથી કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન અને સારું પ્રદર્શન જોઈએ તો એક વાત સમજવી પડે કે જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે ઈવીએમ પર એક શબ્દ પણ બોલવામાં નથી આવતો. જ્યારે કોંગ્રેસની હાર થાય છે ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળી દેવામાં આવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનથી દેખાય આવે છે કે તેમનું કહેવું છે ઈવીએમમાં ગરબડ છે. હમણાં ટૂંક સમય પહેલા એક રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે અરજીને તેવું કહીને ફગાવી દીધી હતી કે આવી અરજી કરીને સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય કેમ બગાડવામાં આવે છે? 





સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"