EVMની કામગીરી પર કોંગ્રેસે ફરી કર્યા આક્ષેપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:46:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગામડાઓમાં છૂપી રીતે કામગીરી કરી રહ્યું છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર તો કંઈક અલગ જ વાત કહી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેઢા ગામમાં ઈવીએમ મશીન પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. 


EVM મશીન પર કોંગ્રેસે કર્યા આક્ષેપો 

અગાઉ કોંગ્રેસના નિવેદનોમાં જોવા મળ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઈવીએમ મશીન પર હારનો ટોપલો ઢોળતું આવ્યું છે પરંતુ આ વખતે કોંગ્રેસ ચૂંટણી પહેલા ઈવીએમ પર નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ જેટલા અને જેવા મશિનો લાવવા હોય તે લાવે અમે કોમ્પ્યુટર એન્જીનિયર રાખ્યા છે જેથી ભાજપનું ગજ વાગે નહીં. અમેં ઈવીએમ ફેક્ટરીમાંથી ગુજરાતઆવે ત્યાં સુધી ચોકી મૂકી છે. ચૂંટણી પંચથી કલેક્ટર અને ત્યાંથી મામલતદાર અને ત્યાંથી પણ વિવિધ વિસ્તારોમાં આવે ત્યાં સુધી ચોકી ગોઠવી છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ શું કરી શકે અને અમારે શું નથી થવા દેવું તેની તૈયારીઓ અમેં કરી લીધી છે. 


ભાજપ જેટલા અને જેવા EVM મશીન લાવવા હોય એવા લાવે: જગદીશ ઠાકોર 

ભારતમાં ચૂંટણીને પણ હર્ષોલ્લાસના પર્વની જેમ મનાવવામાં આવે છે. ઈવીએમ મશીનો આવ્યા ત્યારથી કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન અને સારું પ્રદર્શન જોઈએ તો એક વાત સમજવી પડે કે જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે ઈવીએમ પર એક શબ્દ પણ બોલવામાં નથી આવતો. જ્યારે કોંગ્રેસની હાર થાય છે ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળી દેવામાં આવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનથી દેખાય આવે છે કે તેમનું કહેવું છે ઈવીએમમાં ગરબડ છે. હમણાં ટૂંક સમય પહેલા એક રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે અરજીને તેવું કહીને ફગાવી દીધી હતી કે આવી અરજી કરીને સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય કેમ બગાડવામાં આવે છે? 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.