EVMની કામગીરી પર કોંગ્રેસે ફરી કર્યા આક્ષેપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:46:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગામડાઓમાં છૂપી રીતે કામગીરી કરી રહ્યું છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર તો કંઈક અલગ જ વાત કહી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેઢા ગામમાં ઈવીએમ મશીન પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. 


EVM મશીન પર કોંગ્રેસે કર્યા આક્ષેપો 

અગાઉ કોંગ્રેસના નિવેદનોમાં જોવા મળ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઈવીએમ મશીન પર હારનો ટોપલો ઢોળતું આવ્યું છે પરંતુ આ વખતે કોંગ્રેસ ચૂંટણી પહેલા ઈવીએમ પર નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ જેટલા અને જેવા મશિનો લાવવા હોય તે લાવે અમે કોમ્પ્યુટર એન્જીનિયર રાખ્યા છે જેથી ભાજપનું ગજ વાગે નહીં. અમેં ઈવીએમ ફેક્ટરીમાંથી ગુજરાતઆવે ત્યાં સુધી ચોકી મૂકી છે. ચૂંટણી પંચથી કલેક્ટર અને ત્યાંથી મામલતદાર અને ત્યાંથી પણ વિવિધ વિસ્તારોમાં આવે ત્યાં સુધી ચોકી ગોઠવી છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ શું કરી શકે અને અમારે શું નથી થવા દેવું તેની તૈયારીઓ અમેં કરી લીધી છે. 


ભાજપ જેટલા અને જેવા EVM મશીન લાવવા હોય એવા લાવે: જગદીશ ઠાકોર 

ભારતમાં ચૂંટણીને પણ હર્ષોલ્લાસના પર્વની જેમ મનાવવામાં આવે છે. ઈવીએમ મશીનો આવ્યા ત્યારથી કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન અને સારું પ્રદર્શન જોઈએ તો એક વાત સમજવી પડે કે જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે ઈવીએમ પર એક શબ્દ પણ બોલવામાં નથી આવતો. જ્યારે કોંગ્રેસની હાર થાય છે ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળી દેવામાં આવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનથી દેખાય આવે છે કે તેમનું કહેવું છે ઈવીએમમાં ગરબડ છે. હમણાં ટૂંક સમય પહેલા એક રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે અરજીને તેવું કહીને ફગાવી દીધી હતી કે આવી અરજી કરીને સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય કેમ બગાડવામાં આવે છે? 





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.