EVMની કામગીરી પર કોંગ્રેસે ફરી કર્યા આક્ષેપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:46:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગામડાઓમાં છૂપી રીતે કામગીરી કરી રહ્યું છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર તો કંઈક અલગ જ વાત કહી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેઢા ગામમાં ઈવીએમ મશીન પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. 


EVM મશીન પર કોંગ્રેસે કર્યા આક્ષેપો 

અગાઉ કોંગ્રેસના નિવેદનોમાં જોવા મળ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઈવીએમ મશીન પર હારનો ટોપલો ઢોળતું આવ્યું છે પરંતુ આ વખતે કોંગ્રેસ ચૂંટણી પહેલા ઈવીએમ પર નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ જેટલા અને જેવા મશિનો લાવવા હોય તે લાવે અમે કોમ્પ્યુટર એન્જીનિયર રાખ્યા છે જેથી ભાજપનું ગજ વાગે નહીં. અમેં ઈવીએમ ફેક્ટરીમાંથી ગુજરાતઆવે ત્યાં સુધી ચોકી મૂકી છે. ચૂંટણી પંચથી કલેક્ટર અને ત્યાંથી મામલતદાર અને ત્યાંથી પણ વિવિધ વિસ્તારોમાં આવે ત્યાં સુધી ચોકી ગોઠવી છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ શું કરી શકે અને અમારે શું નથી થવા દેવું તેની તૈયારીઓ અમેં કરી લીધી છે. 


ભાજપ જેટલા અને જેવા EVM મશીન લાવવા હોય એવા લાવે: જગદીશ ઠાકોર 

ભારતમાં ચૂંટણીને પણ હર્ષોલ્લાસના પર્વની જેમ મનાવવામાં આવે છે. ઈવીએમ મશીનો આવ્યા ત્યારથી કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન અને સારું પ્રદર્શન જોઈએ તો એક વાત સમજવી પડે કે જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે ઈવીએમ પર એક શબ્દ પણ બોલવામાં નથી આવતો. જ્યારે કોંગ્રેસની હાર થાય છે ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળી દેવામાં આવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનથી દેખાય આવે છે કે તેમનું કહેવું છે ઈવીએમમાં ગરબડ છે. હમણાં ટૂંક સમય પહેલા એક રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે અરજીને તેવું કહીને ફગાવી દીધી હતી કે આવી અરજી કરીને સુપ્રીમ કોર્ટનો કિંમતી સમય કેમ બગાડવામાં આવે છે? 





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે