ગુજરાત કોંગ્રેસે ચૂંટણીના 8 વચનોમાં આપ્યું ગાંધીજીને સ્થાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:06:29

ગુજરાતમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યું છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને 8 વચનો આપવામાં આવ્યા છે. લોકો સુધી 8 વચનો પહોંચાડવા મારૂ બૂથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત પત્રક વહેંચી લોકો સુધી તેમના વચનો પહોંચાડવામાં આવશે. કોંગ્રેસે ગાંધી જયંતીનો લાભ લીધો છે. ગાંધીની વિચારધારા જોડે પોતાની વિચારધારાને જોડી લોકો સુધી પહોંચવાની કોશિશ કોંગ્રેસ કરી રહ્યું છે.  

ટ્વિટર પર ચાલતી 'ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન' મુહિમ

મતદારો સુધી પહોંચવા ગુજરાત કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યું છે. ટ્વિટર પર કોંગ્રેસ ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન મુહિમ ચલાવી રહી છે. પોતાના 8 વચનોને ગાંધી બાપુની વિચારધારા જોડે જોડી લોકોને આકર્ષવા માગે છે.  

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .