ગુજરાત કોંગ્રેસે ચૂંટણીના 8 વચનોમાં આપ્યું ગાંધીજીને સ્થાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:06:29

ગુજરાતમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યું છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને 8 વચનો આપવામાં આવ્યા છે. લોકો સુધી 8 વચનો પહોંચાડવા મારૂ બૂથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત પત્રક વહેંચી લોકો સુધી તેમના વચનો પહોંચાડવામાં આવશે. કોંગ્રેસે ગાંધી જયંતીનો લાભ લીધો છે. ગાંધીની વિચારધારા જોડે પોતાની વિચારધારાને જોડી લોકો સુધી પહોંચવાની કોશિશ કોંગ્રેસ કરી રહ્યું છે.  

ટ્વિટર પર ચાલતી 'ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન' મુહિમ

મતદારો સુધી પહોંચવા ગુજરાત કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યું છે. ટ્વિટર પર કોંગ્રેસ ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન મુહિમ ચલાવી રહી છે. પોતાના 8 વચનોને ગાંધી બાપુની વિચારધારા જોડે જોડી લોકોને આકર્ષવા માગે છે.  

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.