Gujarat Congressએ સંગઠનમાં કર્યા ધરખમ ફેરફાર, જિલ્લા પ્રમુખની કરાઈ નિમણૂક, જાણો કોનો કરાયો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:03:49

પાંચ રાજ્યો નાટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. પાંચ રાજ્યોમાંથી કોંગ્રેસે એક જ રાજ્યમાં જીત હાંસલ કરી. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ માત્ર અમુક સીટો પર સમેટાઈ ગઈ હતી. તાજેતરમાં થયેલી ચૂંટણી બાદ કોંગ્રેસ જાણે એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી હોય તેમ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. ઉપરાંત આવનાર સમયમાં કોંગ્રેસ પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી શકે છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. 



10 જિલ્લામાં કરાઈ નવા જિલ્લા પ્રમુખની નિમણૂક 

આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારી શરૂ કરવામાં આવી ગઈ હોય તેવું લાગે છે. ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ જેમાં માત્ર તેલંગાણામાં કોંગ્રેસ જીત હાંસલ કરી શકી. બાકી ચાર રાજ્યોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના સંગઠન એક્ટિવ મોડમાં આવી ગયું છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.



કોને ક્યાંની જવાબદારી સોંપાઈ? 

તે ઉપરાંત અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દૂધાત અને જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરાની પસંદગી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, ચેતનસિંહ પરમારને પંચમહાલ શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય પ્રદેશ ચૂંટણી સમિતીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ અગ્રણી નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.