Gujarat Congressએ સંગઠનમાં કર્યા ધરખમ ફેરફાર, જિલ્લા પ્રમુખની કરાઈ નિમણૂક, જાણો કોનો કરાયો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:03:49

પાંચ રાજ્યો નાટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. પાંચ રાજ્યોમાંથી કોંગ્રેસે એક જ રાજ્યમાં જીત હાંસલ કરી. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ માત્ર અમુક સીટો પર સમેટાઈ ગઈ હતી. તાજેતરમાં થયેલી ચૂંટણી બાદ કોંગ્રેસ જાણે એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી હોય તેમ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. ઉપરાંત આવનાર સમયમાં કોંગ્રેસ પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી શકે છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. 



10 જિલ્લામાં કરાઈ નવા જિલ્લા પ્રમુખની નિમણૂક 

આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારી શરૂ કરવામાં આવી ગઈ હોય તેવું લાગે છે. ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ જેમાં માત્ર તેલંગાણામાં કોંગ્રેસ જીત હાંસલ કરી શકી. બાકી ચાર રાજ્યોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના સંગઠન એક્ટિવ મોડમાં આવી ગયું છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.



કોને ક્યાંની જવાબદારી સોંપાઈ? 

તે ઉપરાંત અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દૂધાત અને જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરાની પસંદગી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, ચેતનસિંહ પરમારને પંચમહાલ શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય પ્રદેશ ચૂંટણી સમિતીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ અગ્રણી નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.