Gujarat Congressએ સંગઠનમાં કર્યા ધરખમ ફેરફાર, જિલ્લા પ્રમુખની કરાઈ નિમણૂક, જાણો કોનો કરાયો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:03:49

પાંચ રાજ્યો નાટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. પાંચ રાજ્યોમાંથી કોંગ્રેસે એક જ રાજ્યમાં જીત હાંસલ કરી. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ માત્ર અમુક સીટો પર સમેટાઈ ગઈ હતી. તાજેતરમાં થયેલી ચૂંટણી બાદ કોંગ્રેસ જાણે એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી હોય તેમ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. ઉપરાંત આવનાર સમયમાં કોંગ્રેસ પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી શકે છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. 



10 જિલ્લામાં કરાઈ નવા જિલ્લા પ્રમુખની નિમણૂક 

આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારી શરૂ કરવામાં આવી ગઈ હોય તેવું લાગે છે. ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ જેમાં માત્ર તેલંગાણામાં કોંગ્રેસ જીત હાંસલ કરી શકી. બાકી ચાર રાજ્યોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના સંગઠન એક્ટિવ મોડમાં આવી ગયું છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.



કોને ક્યાંની જવાબદારી સોંપાઈ? 

તે ઉપરાંત અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દૂધાત અને જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરાની પસંદગી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, ચેતનસિંહ પરમારને પંચમહાલ શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય પ્રદેશ ચૂંટણી સમિતીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ અગ્રણી નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.