Gujarat : Congress બાકી રહેલી Loksabha Seat માટે આજે જાહેર કરી શકે છે ઉમેદવાર.. ઉમેદવારને લઈ બનેલા સસ્પેન્સનો આવશે અંત!


  • Published By :
  • Published Date : 2024-04-11 13:12:13

જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થયું ત્યારથી ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ભાજપમાં ઉમેદવારને લઈ સસ્પેન્સ હોય છે. ભાજપ કોને ટિકીટ આપશે તે સરપ્રાઈઝ હોય છે પરંતુ આ વખતે કંઈ અલગ થયું. ભાજપે ઘણા સમય પહેલા ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી પરંતુ કોંગ્રેસે હજી સુધી ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે આજે ગમે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. બે સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. 



કોંગ્રેસ ચાર બેઠકો માટે ઉમેદવાર કરી શકે છે જાહેર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વિરોધ થઈ રહ્યો છે અનેક બેઠકો પર. ભાજપના કાર્યકર્તાઓ જાણે ઉમેદવારથી નારાજ હોય તેવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવ્યા છે. બે બેઠકો પર તો ભાજપે ઉમેદવાર બદલ્યા. પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ આજે બાકી રહેલી ચાર લોકસભા બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. 


પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ જાહેર કરાશે ઉમેદવાર  

રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત આજે કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. ના માત્ર ચાર લોકસભા બેઠક પર પરંતુ પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. એવી માહિતી સામે આવી છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે... ત્યારે કોંગ્રેસ કોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. મહત્વનું છે કે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે