Gujarat : Congress બાકી રહેલી Loksabha Seat માટે આજે જાહેર કરી શકે છે ઉમેદવાર.. ઉમેદવારને લઈ બનેલા સસ્પેન્સનો આવશે અંત!


  • Published By :
  • Published Date : 2024-04-11 13:12:13

જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થયું ત્યારથી ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ભાજપમાં ઉમેદવારને લઈ સસ્પેન્સ હોય છે. ભાજપ કોને ટિકીટ આપશે તે સરપ્રાઈઝ હોય છે પરંતુ આ વખતે કંઈ અલગ થયું. ભાજપે ઘણા સમય પહેલા ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી પરંતુ કોંગ્રેસે હજી સુધી ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે આજે ગમે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. બે સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. 



કોંગ્રેસ ચાર બેઠકો માટે ઉમેદવાર કરી શકે છે જાહેર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વિરોધ થઈ રહ્યો છે અનેક બેઠકો પર. ભાજપના કાર્યકર્તાઓ જાણે ઉમેદવારથી નારાજ હોય તેવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવ્યા છે. બે બેઠકો પર તો ભાજપે ઉમેદવાર બદલ્યા. પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ આજે બાકી રહેલી ચાર લોકસભા બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. 


પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ જાહેર કરાશે ઉમેદવાર  

રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત આજે કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. ના માત્ર ચાર લોકસભા બેઠક પર પરંતુ પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. એવી માહિતી સામે આવી છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે... ત્યારે કોંગ્રેસ કોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. મહત્વનું છે કે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.