પરિવર્તન સંકલ્પ યાત્રાથી મતોનું પરિવર્તન કરશે કોંગ્રેસ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:51



ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મતદારોને જગાવવા અને તમામ શહેરી લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. ગઈકાલથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કર્યા બાદ આજે પણ અમદાવાદની આઠ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કરવાનું કોંગ્રેસનું આયોજન છે. 


અમદાવાદની વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પદયાત્રા 

અમદાવાદની મણિનગર, અમરાઈવાડી, વટવા, અસારવા, ઠક્કરબાપાનગર, બાપુનગર, નરોડા વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ ગઈ છે. તમામ વિધાનસભા બેઠકો માટે ખાસ કોંગ્રેસી નેતાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યોને હાજર રહેવા માટે કોંગ્રેસે પરિપત્ર કરીને જાણકારી આપી હતી. 


કયા વિધાનસભા ક્ષેત્રો પર કયા નેતાને જવાબદારી?

તમામ ક્ષેત્રો પર વિશેષ સંચાલન માટે કોંગ્રેસના નેતાઓને જવાબદારી આપી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરને ઠક્કરબાપાનગરમાં, અસારવામાં જિગ્નેશ મેવાણીને, અમરાઈવાડીમાં ભરતસિંહ સોલંકી, નિકોલમાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે. 


આજે સવારે 9 વાગ્યાથી બપોરના સુધી 4 વિધાનસભા ક્ષેત્રો પર કોંગ્રેસે પરિવર્તન સંકલ્પયાત્રા કરી હતી અને બપોર બાદ બાકીના ચાર વિસ્તારમાં જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને રોહન ગુપ્તા સહિતના નેતા વિધાનસભા ક્ષેત્રોમાં ઘરે-ઘરે જઈ પદયાત્રા કરશે. 


2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી થોડી જ ઓછી બેઠકો મળી હતી. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહેનત કરી રહી છે કે તેમનાથી બને તેટલી વધારે બેઠકો પર તેઓ જીત મેળવી શકે. આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ જામવાનો છેત્યારે હવે જોવાનું રહેશે કઈ પાર્ટી મતદારોને રીજવવા માટે શું કરી શકશે. કોંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસના અનેક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે ત્યારે આગામી સમયમાં પણ ભાજપ કોંગ્રેસને મોટું નુકસાન કરી શકે છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી