પરિવર્તન સંકલ્પ યાત્રાથી મતોનું પરિવર્તન કરશે કોંગ્રેસ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:51



ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મતદારોને જગાવવા અને તમામ શહેરી લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. ગઈકાલથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કર્યા બાદ આજે પણ અમદાવાદની આઠ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કરવાનું કોંગ્રેસનું આયોજન છે. 


અમદાવાદની વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પદયાત્રા 

અમદાવાદની મણિનગર, અમરાઈવાડી, વટવા, અસારવા, ઠક્કરબાપાનગર, બાપુનગર, નરોડા વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ ગઈ છે. તમામ વિધાનસભા બેઠકો માટે ખાસ કોંગ્રેસી નેતાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યોને હાજર રહેવા માટે કોંગ્રેસે પરિપત્ર કરીને જાણકારી આપી હતી. 


કયા વિધાનસભા ક્ષેત્રો પર કયા નેતાને જવાબદારી?

તમામ ક્ષેત્રો પર વિશેષ સંચાલન માટે કોંગ્રેસના નેતાઓને જવાબદારી આપી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરને ઠક્કરબાપાનગરમાં, અસારવામાં જિગ્નેશ મેવાણીને, અમરાઈવાડીમાં ભરતસિંહ સોલંકી, નિકોલમાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે. 


આજે સવારે 9 વાગ્યાથી બપોરના સુધી 4 વિધાનસભા ક્ષેત્રો પર કોંગ્રેસે પરિવર્તન સંકલ્પયાત્રા કરી હતી અને બપોર બાદ બાકીના ચાર વિસ્તારમાં જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને રોહન ગુપ્તા સહિતના નેતા વિધાનસભા ક્ષેત્રોમાં ઘરે-ઘરે જઈ પદયાત્રા કરશે. 


2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી થોડી જ ઓછી બેઠકો મળી હતી. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહેનત કરી રહી છે કે તેમનાથી બને તેટલી વધારે બેઠકો પર તેઓ જીત મેળવી શકે. આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ જામવાનો છેત્યારે હવે જોવાનું રહેશે કઈ પાર્ટી મતદારોને રીજવવા માટે શું કરી શકશે. કોંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસના અનેક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે ત્યારે આગામી સમયમાં પણ ભાજપ કોંગ્રેસને મોટું નુકસાન કરી શકે છે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .