પરિવર્તન સંકલ્પ યાત્રાથી મતોનું પરિવર્તન કરશે કોંગ્રેસ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:51



ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મતદારોને જગાવવા અને તમામ શહેરી લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. ગઈકાલથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કર્યા બાદ આજે પણ અમદાવાદની આઠ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કરવાનું કોંગ્રેસનું આયોજન છે. 


અમદાવાદની વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પદયાત્રા 

અમદાવાદની મણિનગર, અમરાઈવાડી, વટવા, અસારવા, ઠક્કરબાપાનગર, બાપુનગર, નરોડા વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ ગઈ છે. તમામ વિધાનસભા બેઠકો માટે ખાસ કોંગ્રેસી નેતાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યોને હાજર રહેવા માટે કોંગ્રેસે પરિપત્ર કરીને જાણકારી આપી હતી. 


કયા વિધાનસભા ક્ષેત્રો પર કયા નેતાને જવાબદારી?

તમામ ક્ષેત્રો પર વિશેષ સંચાલન માટે કોંગ્રેસના નેતાઓને જવાબદારી આપી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરને ઠક્કરબાપાનગરમાં, અસારવામાં જિગ્નેશ મેવાણીને, અમરાઈવાડીમાં ભરતસિંહ સોલંકી, નિકોલમાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે. 


આજે સવારે 9 વાગ્યાથી બપોરના સુધી 4 વિધાનસભા ક્ષેત્રો પર કોંગ્રેસે પરિવર્તન સંકલ્પયાત્રા કરી હતી અને બપોર બાદ બાકીના ચાર વિસ્તારમાં જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને રોહન ગુપ્તા સહિતના નેતા વિધાનસભા ક્ષેત્રોમાં ઘરે-ઘરે જઈ પદયાત્રા કરશે. 


2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી થોડી જ ઓછી બેઠકો મળી હતી. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહેનત કરી રહી છે કે તેમનાથી બને તેટલી વધારે બેઠકો પર તેઓ જીત મેળવી શકે. આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ જામવાનો છેત્યારે હવે જોવાનું રહેશે કઈ પાર્ટી મતદારોને રીજવવા માટે શું કરી શકશે. કોંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસના અનેક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે ત્યારે આગામી સમયમાં પણ ભાજપ કોંગ્રેસને મોટું નુકસાન કરી શકે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.