ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારને મોંઘવારી, પેપરલીક સહિતના મુદ્દાઓને લઈ ઘેરી!, જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-13 17:20:15

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસે અનેક મુદ્દાઓ જેમ કે વધતી મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, સરકારી ભરતીના પેપર લીકને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, તે ઉપરાંત અનેક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા પેપરલીક થયું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત બેરોજગારીનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામાં આવા અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. માવઠાને કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકને નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. 


સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 

કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકારની તાનાશાહી અને મિત્રોને ફાયદો પહોંચાડવાની નીતિ અદાણી કૌભાંડ, મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, ખેડૂત માવઠાથી થયેલ નુકસાન સહાય આપવા, વધતી બેરોજગારી, મહિલા અત્યાર જેવા મુદ્દાઓ સાથે હાથ સે હાથ જોડો યાત્રા.             




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.