ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારને મોંઘવારી, પેપરલીક સહિતના મુદ્દાઓને લઈ ઘેરી!, જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-13 17:20:15

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસે અનેક મુદ્દાઓ જેમ કે વધતી મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, સરકારી ભરતીના પેપર લીકને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, તે ઉપરાંત અનેક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા પેપરલીક થયું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત બેરોજગારીનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામાં આવા અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. માવઠાને કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકને નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. 


સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 

કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકારની તાનાશાહી અને મિત્રોને ફાયદો પહોંચાડવાની નીતિ અદાણી કૌભાંડ, મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, ખેડૂત માવઠાથી થયેલ નુકસાન સહાય આપવા, વધતી બેરોજગારી, મહિલા અત્યાર જેવા મુદ્દાઓ સાથે હાથ સે હાથ જોડો યાત્રા.             




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.