ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારને મોંઘવારી, પેપરલીક સહિતના મુદ્દાઓને લઈ ઘેરી!, જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-13 17:20:15

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસે અનેક મુદ્દાઓ જેમ કે વધતી મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, સરકારી ભરતીના પેપર લીકને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, તે ઉપરાંત અનેક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા પેપરલીક થયું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત બેરોજગારીનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામાં આવા અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. માવઠાને કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકને નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. 


સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 

કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકારની તાનાશાહી અને મિત્રોને ફાયદો પહોંચાડવાની નીતિ અદાણી કૌભાંડ, મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, ખેડૂત માવઠાથી થયેલ નુકસાન સહાય આપવા, વધતી બેરોજગારી, મહિલા અત્યાર જેવા મુદ્દાઓ સાથે હાથ સે હાથ જોડો યાત્રા.             




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.