ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારને મોંઘવારી, પેપરલીક સહિતના મુદ્દાઓને લઈ ઘેરી!, જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-03-13 17:20:15

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસે અનેક મુદ્દાઓ જેમ કે વધતી મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, સરકારી ભરતીના પેપર લીકને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, તે ઉપરાંત અનેક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  

વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા પેપરલીક થયું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત બેરોજગારીનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામાં આવા અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. માવઠાને કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકને નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસે હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. 


સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર 

કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકારની તાનાશાહી અને મિત્રોને ફાયદો પહોંચાડવાની નીતિ અદાણી કૌભાંડ, મોંઘવારી, સરકારી ભરતીનું કૌભાંડ, ખેડૂત માવઠાથી થયેલ નુકસાન સહાય આપવા, વધતી બેરોજગારી, મહિલા અત્યાર જેવા મુદ્દાઓ સાથે હાથ સે હાથ જોડો યાત્રા.             




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.