કાયમી શિક્ષકોની માગ સાથે Gujarat Congressએ કર્યું ટ્વિટ, Gujaratની શાળામાં શિક્ષકોની ઘટ અંગે આપી જાણકારી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-30 12:31:36

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. વિરોધનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા તો આ મામલે રેલી કાઢવામાં આવી હતી. દાંડી યાત્રા 2.0નું આયોજન કરી તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસે કાયમી શિક્ષકોની ભરતીને લઈ ટ્વિટ કર્યું છે.

   

ન્યુઝ પેપર કટિંગ સાથે ગુજરાત કોંગ્રેસે કરી ટ્વિટ

કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું છે તે આપણે જાણીએ છીએ. ઢસેડી ઢસેડીને ઉમેદવારોને લઈ જવામાં આવ્યા. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. ગુજરાત કોંગ્રેસે એક ન્યુઝ પેપર કટિંગ સાથે ટ્વિટ કર્યું છે જેમાં ગુજરાતની શાળાઓમાં કેટલા શિક્ષકોની ઘટ છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 30 હજાર શિક્ષકોની ઘટ સામે ભરતી માત્ર 9 ટકા જ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.  


કવિતા લખી ઉમેદવારોએ ઠાલવી વેદના  

મહત્વનું છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અનેક વખત ગાંધીનગર આંદોલન કરવા જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. યુવરાજસિંહ પણ આ મામલે આક્રામક દેખાયા છે. અનેક વખત આ મુદ્દો તેમણે ઉઠાવ્યો છે. થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારે એક કવિતા મોકલી હતી જેમાં ઉમેદવારોની વેદના વ્યક્ત થતી હતી.  



જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..