કાયમી શિક્ષકોની માગ સાથે Gujarat Congressએ કર્યું ટ્વિટ, Gujaratની શાળામાં શિક્ષકોની ઘટ અંગે આપી જાણકારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 12:31:36

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. વિરોધનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા તો આ મામલે રેલી કાઢવામાં આવી હતી. દાંડી યાત્રા 2.0નું આયોજન કરી તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસે કાયમી શિક્ષકોની ભરતીને લઈ ટ્વિટ કર્યું છે.

   

ન્યુઝ પેપર કટિંગ સાથે ગુજરાત કોંગ્રેસે કરી ટ્વિટ

કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું છે તે આપણે જાણીએ છીએ. ઢસેડી ઢસેડીને ઉમેદવારોને લઈ જવામાં આવ્યા. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. ગુજરાત કોંગ્રેસે એક ન્યુઝ પેપર કટિંગ સાથે ટ્વિટ કર્યું છે જેમાં ગુજરાતની શાળાઓમાં કેટલા શિક્ષકોની ઘટ છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 30 હજાર શિક્ષકોની ઘટ સામે ભરતી માત્ર 9 ટકા જ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.  


કવિતા લખી ઉમેદવારોએ ઠાલવી વેદના  

મહત્વનું છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અનેક વખત ગાંધીનગર આંદોલન કરવા જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. યુવરાજસિંહ પણ આ મામલે આક્રામક દેખાયા છે. અનેક વખત આ મુદ્દો તેમણે ઉઠાવ્યો છે. થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારે એક કવિતા મોકલી હતી જેમાં ઉમેદવારોની વેદના વ્યક્ત થતી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.