કાયમી શિક્ષકોની માગ સાથે Gujarat Congressએ કર્યું ટ્વિટ, Gujaratની શાળામાં શિક્ષકોની ઘટ અંગે આપી જાણકારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 12:31:36

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. વિરોધનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા તો આ મામલે રેલી કાઢવામાં આવી હતી. દાંડી યાત્રા 2.0નું આયોજન કરી તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસે કાયમી શિક્ષકોની ભરતીને લઈ ટ્વિટ કર્યું છે.

   

ન્યુઝ પેપર કટિંગ સાથે ગુજરાત કોંગ્રેસે કરી ટ્વિટ

કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું છે તે આપણે જાણીએ છીએ. ઢસેડી ઢસેડીને ઉમેદવારોને લઈ જવામાં આવ્યા. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. ગુજરાત કોંગ્રેસે એક ન્યુઝ પેપર કટિંગ સાથે ટ્વિટ કર્યું છે જેમાં ગુજરાતની શાળાઓમાં કેટલા શિક્ષકોની ઘટ છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 30 હજાર શિક્ષકોની ઘટ સામે ભરતી માત્ર 9 ટકા જ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.  


કવિતા લખી ઉમેદવારોએ ઠાલવી વેદના  

મહત્વનું છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અનેક વખત ગાંધીનગર આંદોલન કરવા જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. યુવરાજસિંહ પણ આ મામલે આક્રામક દેખાયા છે. અનેક વખત આ મુદ્દો તેમણે ઉઠાવ્યો છે. થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારે એક કવિતા મોકલી હતી જેમાં ઉમેદવારોની વેદના વ્યક્ત થતી હતી.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.