ગતિશીલ ગુજરાતનું જાહેર દેવું રૂ. 3,20,812 કરોડ, વ્યાજનો દર અને મુદ્દલની ચૂકવણીની રકમ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-27 18:28:27

ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય છે. જો કે તેમ છતાં પણ ગુજરાતનું જાહેર દેવું ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે તેમ છતાં પણ દેવું જે રીતે વધ્યું છે તે સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં દેવા અંગે જાણકારી આપી હતી.


ઈમરાન ખેડાવાલાએ કર્યો સવાલ


કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્યના જાહેર દેવા અંગે વિધાનસભામાં સવાલ કર્યો હતો. તેમણે પેટા સવાલ પુછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં સરકારે દેવાના વ્યાજ અને મુદ્દલ પેટે કેટલી રકમ ચૂંકવી? તથા દરેક વર્ષે દેવાની રકમ કોની પાસેથી કેટલા વર્ષ માટે લેવામાં આવેલ છે?, તે અંગે સવાલ કર્યો હતો.  


ચોંકાવનારો આંકડો


રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર દેવા અંગે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2021-22ના અંતે રાજ્યનું જાહેર દેવું 3,20,812 કરોડ રૂપિયા જેટલું છે. રાજ્ય સરકારે જણાવ્યું કે વર્ષ 2020-21માં 22,023 કરોડ વ્યાજ પેટે 17,920 કરોડ મુદ્દલ પેટે ચુકવ્યા છે. જ્યારે વર્ષ 2021-22માં 23,063 કરોડ વ્યાજ પેટે અને 24, 454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવ્યા છે.


રાજ્ય સરકારે વિવિધ નાણાકિય સંસ્થાઓ, કેન્દ્ર સરકાર, N.S.S.F તથા માર્કેટમાંથી પણ મોટી લોન ઉઠાવી છે. સરકારે આ લોન લઘુત્તમ 2.75 ટકાથી માંડીને મહત્તમ 13 ટકા સુધી લોન મેળવી છે. આ લોન ચૂકવવાનો સમયગાળો લઘુત્તમ 2 વર્ષથી મહત્તમ 50 વર્ષ સુધીનો છે. સરકારે કેટલી મેળવી તે અંગેની વિગત નીચે મુજબ છે. 

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.