ગતિશીલ ગુજરાતનું જાહેર દેવું રૂ. 3,20,812 કરોડ, વ્યાજનો દર અને મુદ્દલની ચૂકવણીની રકમ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-27 18:28:27

ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય છે. જો કે તેમ છતાં પણ ગુજરાતનું જાહેર દેવું ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે તેમ છતાં પણ દેવું જે રીતે વધ્યું છે તે સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં દેવા અંગે જાણકારી આપી હતી.


ઈમરાન ખેડાવાલાએ કર્યો સવાલ


કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્યના જાહેર દેવા અંગે વિધાનસભામાં સવાલ કર્યો હતો. તેમણે પેટા સવાલ પુછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં સરકારે દેવાના વ્યાજ અને મુદ્દલ પેટે કેટલી રકમ ચૂંકવી? તથા દરેક વર્ષે દેવાની રકમ કોની પાસેથી કેટલા વર્ષ માટે લેવામાં આવેલ છે?, તે અંગે સવાલ કર્યો હતો.  


ચોંકાવનારો આંકડો


રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર દેવા અંગે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2021-22ના અંતે રાજ્યનું જાહેર દેવું 3,20,812 કરોડ રૂપિયા જેટલું છે. રાજ્ય સરકારે જણાવ્યું કે વર્ષ 2020-21માં 22,023 કરોડ વ્યાજ પેટે 17,920 કરોડ મુદ્દલ પેટે ચુકવ્યા છે. જ્યારે વર્ષ 2021-22માં 23,063 કરોડ વ્યાજ પેટે અને 24, 454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવ્યા છે.


રાજ્ય સરકારે વિવિધ નાણાકિય સંસ્થાઓ, કેન્દ્ર સરકાર, N.S.S.F તથા માર્કેટમાંથી પણ મોટી લોન ઉઠાવી છે. સરકારે આ લોન લઘુત્તમ 2.75 ટકાથી માંડીને મહત્તમ 13 ટકા સુધી લોન મેળવી છે. આ લોન ચૂકવવાનો સમયગાળો લઘુત્તમ 2 વર્ષથી મહત્તમ 50 વર્ષ સુધીનો છે. સરકારે કેટલી મેળવી તે અંગેની વિગત નીચે મુજબ છે. 

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.