ગતિશીલ ગુજરાતનું જાહેર દેવું રૂ. 3,20,812 કરોડ, વ્યાજનો દર અને મુદ્દલની ચૂકવણીની રકમ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-27 18:28:27

ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય છે. જો કે તેમ છતાં પણ ગુજરાતનું જાહેર દેવું ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે તેમ છતાં પણ દેવું જે રીતે વધ્યું છે તે સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં દેવા અંગે જાણકારી આપી હતી.


ઈમરાન ખેડાવાલાએ કર્યો સવાલ


કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્યના જાહેર દેવા અંગે વિધાનસભામાં સવાલ કર્યો હતો. તેમણે પેટા સવાલ પુછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં સરકારે દેવાના વ્યાજ અને મુદ્દલ પેટે કેટલી રકમ ચૂંકવી? તથા દરેક વર્ષે દેવાની રકમ કોની પાસેથી કેટલા વર્ષ માટે લેવામાં આવેલ છે?, તે અંગે સવાલ કર્યો હતો.  


ચોંકાવનારો આંકડો


રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર દેવા અંગે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2021-22ના અંતે રાજ્યનું જાહેર દેવું 3,20,812 કરોડ રૂપિયા જેટલું છે. રાજ્ય સરકારે જણાવ્યું કે વર્ષ 2020-21માં 22,023 કરોડ વ્યાજ પેટે 17,920 કરોડ મુદ્દલ પેટે ચુકવ્યા છે. જ્યારે વર્ષ 2021-22માં 23,063 કરોડ વ્યાજ પેટે અને 24, 454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવ્યા છે.


રાજ્ય સરકારે વિવિધ નાણાકિય સંસ્થાઓ, કેન્દ્ર સરકાર, N.S.S.F તથા માર્કેટમાંથી પણ મોટી લોન ઉઠાવી છે. સરકારે આ લોન લઘુત્તમ 2.75 ટકાથી માંડીને મહત્તમ 13 ટકા સુધી લોન મેળવી છે. આ લોન ચૂકવવાનો સમયગાળો લઘુત્તમ 2 વર્ષથી મહત્તમ 50 વર્ષ સુધીનો છે. સરકારે કેટલી મેળવી તે અંગેની વિગત નીચે મુજબ છે. 

 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.