ગતિશીલ ગુજરાતનું જાહેર દેવું રૂ. 3,20,812 કરોડ, વ્યાજનો દર અને મુદ્દલની ચૂકવણીની રકમ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-27 18:28:27

ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય છે. જો કે તેમ છતાં પણ ગુજરાતનું જાહેર દેવું ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે તેમ છતાં પણ દેવું જે રીતે વધ્યું છે તે સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં દેવા અંગે જાણકારી આપી હતી.


ઈમરાન ખેડાવાલાએ કર્યો સવાલ


કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્યના જાહેર દેવા અંગે વિધાનસભામાં સવાલ કર્યો હતો. તેમણે પેટા સવાલ પુછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં સરકારે દેવાના વ્યાજ અને મુદ્દલ પેટે કેટલી રકમ ચૂંકવી? તથા દરેક વર્ષે દેવાની રકમ કોની પાસેથી કેટલા વર્ષ માટે લેવામાં આવેલ છે?, તે અંગે સવાલ કર્યો હતો.  


ચોંકાવનારો આંકડો


રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર દેવા અંગે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2021-22ના અંતે રાજ્યનું જાહેર દેવું 3,20,812 કરોડ રૂપિયા જેટલું છે. રાજ્ય સરકારે જણાવ્યું કે વર્ષ 2020-21માં 22,023 કરોડ વ્યાજ પેટે 17,920 કરોડ મુદ્દલ પેટે ચુકવ્યા છે. જ્યારે વર્ષ 2021-22માં 23,063 કરોડ વ્યાજ પેટે અને 24, 454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવ્યા છે.


રાજ્ય સરકારે વિવિધ નાણાકિય સંસ્થાઓ, કેન્દ્ર સરકાર, N.S.S.F તથા માર્કેટમાંથી પણ મોટી લોન ઉઠાવી છે. સરકારે આ લોન લઘુત્તમ 2.75 ટકાથી માંડીને મહત્તમ 13 ટકા સુધી લોન મેળવી છે. આ લોન ચૂકવવાનો સમયગાળો લઘુત્તમ 2 વર્ષથી મહત્તમ 50 વર્ષ સુધીનો છે. સરકારે કેટલી મેળવી તે અંગેની વિગત નીચે મુજબ છે. 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.