Gujarat : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર મૂકી એક પોસ્ટ તો કમેન્ટમાં TET-TAT પાસ ઉમેદવારોએ કરી કાયમી શિક્ષકોની ભરતીની માગ!


  • Published By :
  • Published Date : 2024-05-25 15:33:45

ગુજરાતમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે.. અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે આપણે જાણીએ.. સોશિયલ મીડિયા પર ટેટ ટાટ પાસ ઉમેદવારો આ મુદ્દો ઉઠાવતા હોય છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ટ્વિટમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે.  

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે... 

શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય સેટ નહીં હોય તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકે છે. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલા તેમને અટકાવી દેવાતા..


શિક્ષણ મંત્રીએ પોસ્ટ મૂકી અને ઉમેદવારોએ કરી આ માગ

સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગે છે.. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી અને નીચે ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી.. અનેક ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવા રિપ્લાય આપ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની માગ ઘણા સમયથી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે..   






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.