Gujarat : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર મૂકી એક પોસ્ટ તો કમેન્ટમાં TET-TAT પાસ ઉમેદવારોએ કરી કાયમી શિક્ષકોની ભરતીની માગ!


  • Published By :
  • Published Date : 2024-05-25 15:33:45

ગુજરાતમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે.. અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે આપણે જાણીએ.. સોશિયલ મીડિયા પર ટેટ ટાટ પાસ ઉમેદવારો આ મુદ્દો ઉઠાવતા હોય છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ટ્વિટમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે.  

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે... 

શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય સેટ નહીં હોય તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકે છે. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલા તેમને અટકાવી દેવાતા..


શિક્ષણ મંત્રીએ પોસ્ટ મૂકી અને ઉમેદવારોએ કરી આ માગ

સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગે છે.. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી અને નીચે ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી.. અનેક ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવા રિપ્લાય આપ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની માગ ઘણા સમયથી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે..   






હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.