Gujarat : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર મૂકી એક પોસ્ટ તો કમેન્ટમાં TET-TAT પાસ ઉમેદવારોએ કરી કાયમી શિક્ષકોની ભરતીની માગ!


  • Published By :
  • Published Date : 2024-05-25 15:33:45

ગુજરાતમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે.. અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે આપણે જાણીએ.. સોશિયલ મીડિયા પર ટેટ ટાટ પાસ ઉમેદવારો આ મુદ્દો ઉઠાવતા હોય છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ટ્વિટમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે.  

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે... 

શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય સેટ નહીં હોય તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકે છે. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલા તેમને અટકાવી દેવાતા..


શિક્ષણ મંત્રીએ પોસ્ટ મૂકી અને ઉમેદવારોએ કરી આ માગ

સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગે છે.. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી અને નીચે ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી.. અનેક ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવા રિપ્લાય આપ્યા. મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની માગ ઘણા સમયથી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે..   






ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે