ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર, આ દિવસે જાહેર થશે ચૂંટણીની તારીખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 12:16:20

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની તારીખ આગામી 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ ગમે ત્યારે જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ડેપ્યુટી ઈલેક્શન કમિશન 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાતમાં આવી રહ્યા છે.


રાજ્ય વિધાનસભાની ચૂંટણી ક્યારે જાહેર થશે


રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. ચૂંટણીની તારીખને લઈને સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે માહિતી મળી રહી છે કે 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ આ તારીખની જાહેરાત થઈ શકે છે. 18થી 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. 24 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર છે. એવામાં 22 ઓક્ટોબરે આ એક્સપોની સમાપ્તિ બાદ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે.


ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી


રાજ્યમાં જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. ડેપ્યુટી ચૂંટણી કમિશનર આગામી 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાત આવી રહ્યા છે. તેઓ રાજ્યના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજશે અને ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. ગત ટર્મની ચૂંટણીની વાત કરીએ તો 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.