ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર, આ દિવસે જાહેર થશે ચૂંટણીની તારીખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 12:16:20

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની તારીખ આગામી 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ ગમે ત્યારે જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ડેપ્યુટી ઈલેક્શન કમિશન 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાતમાં આવી રહ્યા છે.


રાજ્ય વિધાનસભાની ચૂંટણી ક્યારે જાહેર થશે


રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. ચૂંટણીની તારીખને લઈને સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે માહિતી મળી રહી છે કે 20 ઓક્ટોબર પછીના અઠવાડિયામાં જ આ તારીખની જાહેરાત થઈ શકે છે. 18થી 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. 24 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર છે. એવામાં 22 ઓક્ટોબરે આ એક્સપોની સમાપ્તિ બાદ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે.


ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી


રાજ્યમાં જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. ડેપ્યુટી ચૂંટણી કમિશનર આગામી 16થી 20 ઓક્ટોબર સુધી ગુજરાત આવી રહ્યા છે. તેઓ રાજ્યના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજશે અને ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. ગત ટર્મની ચૂંટણીની વાત કરીએ તો 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.