AAPના અલ્પેશ કથીરિયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડી શકે, આ બેઠક પાટીદાર મત નિર્ણાયક


  • Published By :
  • Published Date : 2022-11-04 13:26:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને નેતાઓની આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણીઓ તેમની બેઠકને લઈ રાજકીય સમીકરણો ગોઠવવા લાગ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઈને અટકણો લગાવવામાં આવી રહ્યા છે.


અલ્પેશ કથિરીયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડશે


અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટી ઓ પાટીદાર નેતાને ગોંડલ સીટ પરથી મેદાનમાં ઉતારે તેવું મનાય છે. જો કે હવે તેમાં પણ એક પેચ છે, આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર નીમીષા ખૂંટનું નામ જાહેર કર્યું છે.


શું નીમીષા ખૂંટનું પત્તુ કપાશે?


આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરીયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તો શું મનીષા ખૂંટનું પત્તુ કપાશે? જો કે તેવું પણ મનાય છે કે નીમીષા ખૂંટને AAP કોઈ બીજી સીટ માટે ટિકિટ આપશે ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. વળી સ્થાનિક સંગઠન યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાનું સમર્થન કરી શકે છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"