AAPના અલ્પેશ કથીરિયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડી શકે, આ બેઠક પાટીદાર મત નિર્ણાયક


  • Published By :
  • Published Date : 2022-11-04 13:26:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને નેતાઓની આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણીઓ તેમની બેઠકને લઈ રાજકીય સમીકરણો ગોઠવવા લાગ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઈને અટકણો લગાવવામાં આવી રહ્યા છે.


અલ્પેશ કથિરીયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડશે


અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટી ઓ પાટીદાર નેતાને ગોંડલ સીટ પરથી મેદાનમાં ઉતારે તેવું મનાય છે. જો કે હવે તેમાં પણ એક પેચ છે, આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર નીમીષા ખૂંટનું નામ જાહેર કર્યું છે.


શું નીમીષા ખૂંટનું પત્તુ કપાશે?


આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરીયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તો શું મનીષા ખૂંટનું પત્તુ કપાશે? જો કે તેવું પણ મનાય છે કે નીમીષા ખૂંટને AAP કોઈ બીજી સીટ માટે ટિકિટ આપશે ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. વળી સ્થાનિક સંગઠન યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાનું સમર્થન કરી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.