AAPના અલ્પેશ કથીરિયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડી શકે, આ બેઠક પાટીદાર મત નિર્ણાયક


  • Published By :
  • Published Date : 2022-11-04 13:26:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને નેતાઓની આતુરતાનો અંત આવી ગયો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણીઓ તેમની બેઠકને લઈ રાજકીય સમીકરણો ગોઠવવા લાગ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઈને અટકણો લગાવવામાં આવી રહ્યા છે.


અલ્પેશ કથિરીયા ગોંડલ સીટ પરથી ચૂંટણી લડશે


અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્ટી ઓ પાટીદાર નેતાને ગોંડલ સીટ પરથી મેદાનમાં ઉતારે તેવું મનાય છે. જો કે હવે તેમાં પણ એક પેચ છે, આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર નીમીષા ખૂંટનું નામ જાહેર કર્યું છે.


શું નીમીષા ખૂંટનું પત્તુ કપાશે?


આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરીયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તો શું મનીષા ખૂંટનું પત્તુ કપાશે? જો કે તેવું પણ મનાય છે કે નીમીષા ખૂંટને AAP કોઈ બીજી સીટ માટે ટિકિટ આપશે ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. વળી સ્થાનિક સંગઠન યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાનું સમર્થન કરી શકે છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .