BTP-JDUના ગઠબંધનથી ભાજપ અને કોંગ્રેસની ચિંતા વધી, આદિવાસી મતદારો કોના પર ઢોળશે પસંદગીનો કળશ?


  • Published By :
  • Published Date : 2022-11-07 14:58:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન પણ તેજ બનાવી દીધુ છે. હવે સમાન વિચાસરણી ધરાવતી પાર્ટીઓ ગઠબંધન કરીને ચૂંટણી જીતવાની વ્યૂરચનાઓ ઘડી રહી છે. જેમ કે જાણીતા આદિવાસી નેતા છોટુ વસાવાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. 


ગુજરાતમાં BTP-JDU સાથે મળીને ચૂંટણી લડશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવાની પાર્ટી BTPએ અને JDU સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં હવે અરવિંદ કેજરીવાલ AAP બાદ ગુજરાતમાં નીતીશકુમારની પાર્ટી JDU પણ એન્ટ્રી થઈ છે. BTPના કાર્યાલયમાં છોટુભાઈ વસાવાની હાજરીમાં BTP પ્રદેશ અધ્યક્ષ અને JDUના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી. JDU અને BTP ભેગા થઈને ચૂંટણી લડશે એવો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે  JDUની મદદથી અમે ચૂંટણી લડીશું અને ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ચૂંટણી પ્રચાર કરવા આવશે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું. છોટુભાઈ વસાવાએ કહ્યું કે જનતાદળ અમારો જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક થઈ છે. બંને પક્ષો સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.


2017માં BTPએ બે સીટ જીતી હતી


વર્ષ 2017માં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં BTP ને બે સીટ મળી હતી. જેમાં ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર  છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.  


ગઈકાલે BTPના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર 


BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ગઈ કાલે રવિવારે જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી. BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નાંદોદ બેઠક પર મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.