જયરામ રમેશે એક્ઝિટ પોલને નકાર્યા, કહ્યું "અમને ખબર છે કોણ કરાવે છે આવા એક્ઝિટ પોલ"


  • Published By :
  • Published Date : 2022-12-06 19:23:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂંર્ણ થયા બાદ સોમવારે સાંજે એક્ઝિટ પોલ આવ્યા હતા. આ તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપની સરકાર આવી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશનું નિવેદન આવ્યું છે. તેમણે એક્ઝિટ પોલને પાયાવિહોણા ગણાવ્યા હતા.


એક્ઝિટ પોલ અંગે જયરામ રમેશે શું કહ્યું?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બહાર આવેલા એક્ઝિટ પોલને નકારતા કહ્યું કે ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતી શકશે નહીં અને હું તેમ પણ નથી કહેતો કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. પરંતું હું જોઈ રહ્યો છું કે આપણા લોકતાંત્રિક સંસ્થાઓને નિષ્ક્રિય કરવામાં આવી રહી છે અને ગુજરાતના લોકોની ચિંતાઓની અવગણના કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ અંગે વધુમાં તેમણે કહ્યું કે "હવે એક્ઝિટ પોલનો એક્ઝિટ થવાનો સમય આવી ગયો છે. એક્ઝિટ પોલ પર આધારીત સવાલ અયોગ્ય છે. એક્ઝિટ પોલની પોલ ખોલતા તેમણે કટાક્ષમાં કહ્યું કે અમને ખબર છે કે આ પ્રકારના એક્ઝિટ પોલ કોણ કરાવે છે? હું એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી, મને ખબર છે કે એક્ઝિટ પોલ કોના પ્રભાવથી અને કોણ કરાવે છે?"



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.