જયરામ રમેશે એક્ઝિટ પોલને નકાર્યા, કહ્યું "અમને ખબર છે કોણ કરાવે છે આવા એક્ઝિટ પોલ"


  • Published By :
  • Published Date : 2022-12-06 19:23:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂંર્ણ થયા બાદ સોમવારે સાંજે એક્ઝિટ પોલ આવ્યા હતા. આ તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપની સરકાર આવી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશનું નિવેદન આવ્યું છે. તેમણે એક્ઝિટ પોલને પાયાવિહોણા ગણાવ્યા હતા.


એક્ઝિટ પોલ અંગે જયરામ રમેશે શું કહ્યું?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બહાર આવેલા એક્ઝિટ પોલને નકારતા કહ્યું કે ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતી શકશે નહીં અને હું તેમ પણ નથી કહેતો કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. પરંતું હું જોઈ રહ્યો છું કે આપણા લોકતાંત્રિક સંસ્થાઓને નિષ્ક્રિય કરવામાં આવી રહી છે અને ગુજરાતના લોકોની ચિંતાઓની અવગણના કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ અંગે વધુમાં તેમણે કહ્યું કે "હવે એક્ઝિટ પોલનો એક્ઝિટ થવાનો સમય આવી ગયો છે. એક્ઝિટ પોલ પર આધારીત સવાલ અયોગ્ય છે. એક્ઝિટ પોલની પોલ ખોલતા તેમણે કટાક્ષમાં કહ્યું કે અમને ખબર છે કે આ પ્રકારના એક્ઝિટ પોલ કોણ કરાવે છે? હું એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી, મને ખબર છે કે એક્ઝિટ પોલ કોના પ્રભાવથી અને કોણ કરાવે છે?"



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.