જયરામ રમેશે એક્ઝિટ પોલને નકાર્યા, કહ્યું "અમને ખબર છે કોણ કરાવે છે આવા એક્ઝિટ પોલ"


  • Published By :
  • Published Date : 2022-12-06 19:23:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂંર્ણ થયા બાદ સોમવારે સાંજે એક્ઝિટ પોલ આવ્યા હતા. આ તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપની સરકાર આવી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશનું નિવેદન આવ્યું છે. તેમણે એક્ઝિટ પોલને પાયાવિહોણા ગણાવ્યા હતા.


એક્ઝિટ પોલ અંગે જયરામ રમેશે શું કહ્યું?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બહાર આવેલા એક્ઝિટ પોલને નકારતા કહ્યું કે ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતી શકશે નહીં અને હું તેમ પણ નથી કહેતો કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. પરંતું હું જોઈ રહ્યો છું કે આપણા લોકતાંત્રિક સંસ્થાઓને નિષ્ક્રિય કરવામાં આવી રહી છે અને ગુજરાતના લોકોની ચિંતાઓની અવગણના કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ અંગે વધુમાં તેમણે કહ્યું કે "હવે એક્ઝિટ પોલનો એક્ઝિટ થવાનો સમય આવી ગયો છે. એક્ઝિટ પોલ પર આધારીત સવાલ અયોગ્ય છે. એક્ઝિટ પોલની પોલ ખોલતા તેમણે કટાક્ષમાં કહ્યું કે અમને ખબર છે કે આ પ્રકારના એક્ઝિટ પોલ કોણ કરાવે છે? હું એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી, મને ખબર છે કે એક્ઝિટ પોલ કોના પ્રભાવથી અને કોણ કરાવે છે?"



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.