હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-28 14:25:12

પાટીદાર અનામત આંદોલનથી લોકપ્રિય બનેલા હાર્દિક પટેલ કઈ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે તે રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલે વિરમગામ બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. 


હાર્દિક પટેલ વતી સમર્થકોએ નોંધાવી દાવેદારી


વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના નિરિક્ષકોએ આજે વિરમગામ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં  અનેક સ્થાનિક નેતાઓએ તેમની દાવેદારી રજૂ કરી હતી. જો કે સૌથી વધુ ધ્યાન તો હાર્દિક પટેલે આકર્ષ્યું હતું,  જો કે દાવેદારી નોંધાવવા હાર્દિક પટેલ નિરીક્ષકો સમક્ષ આવ્યા  ન હતા પણ તેમના સમર્થકોએ દાવેદારી નોંધાવી હતી.


અન્ય દાવેદારો પણ છે મેદાનમાં


વિરમગામ બેઠક માટે ભાજપમાં હાર્દિક પટેલ મુખ્ય દાવેદાર છે. ભાજપ પણ હાર્દિક પટેલને જ ટિકિટ આપશે કારણ કે તે સ્થાનિક ઉમેદવાર અને અગ્રણી પાટીદાર નેતા છે. જો કે તેમ છતાં પણ અન્ય ટિકિટવાંચ્છુંઓ પણ મેદાનમાં છે. જેમ  કે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના નેશનલ પ્રેસિડેન્ટે  પણ ટિકિટ માંગી છે. વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનના ડાયરેકટર અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ દિવ્યા પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જો કે સૌથી રસપ્રદ બાબત એ છે કે વિરમગામ સીટ હાલ કોંગ્રસના કબજામાં છે. કોંગ્રેસના નેતા લાખાભાઈ ભરવાડ આ બેઠક પરથી વર્ષ 2017માં ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાજપ નેતા તેજશ્રીબેન પટેલને હરાવ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.