હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-28 14:25:12

પાટીદાર અનામત આંદોલનથી લોકપ્રિય બનેલા હાર્દિક પટેલ કઈ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે તે રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલે વિરમગામ બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. 


હાર્દિક પટેલ વતી સમર્થકોએ નોંધાવી દાવેદારી


વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના નિરિક્ષકોએ આજે વિરમગામ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં  અનેક સ્થાનિક નેતાઓએ તેમની દાવેદારી રજૂ કરી હતી. જો કે સૌથી વધુ ધ્યાન તો હાર્દિક પટેલે આકર્ષ્યું હતું,  જો કે દાવેદારી નોંધાવવા હાર્દિક પટેલ નિરીક્ષકો સમક્ષ આવ્યા  ન હતા પણ તેમના સમર્થકોએ દાવેદારી નોંધાવી હતી.


અન્ય દાવેદારો પણ છે મેદાનમાં


વિરમગામ બેઠક માટે ભાજપમાં હાર્દિક પટેલ મુખ્ય દાવેદાર છે. ભાજપ પણ હાર્દિક પટેલને જ ટિકિટ આપશે કારણ કે તે સ્થાનિક ઉમેદવાર અને અગ્રણી પાટીદાર નેતા છે. જો કે તેમ છતાં પણ અન્ય ટિકિટવાંચ્છુંઓ પણ મેદાનમાં છે. જેમ  કે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના નેશનલ પ્રેસિડેન્ટે  પણ ટિકિટ માંગી છે. વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનના ડાયરેકટર અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ દિવ્યા પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જો કે સૌથી રસપ્રદ બાબત એ છે કે વિરમગામ સીટ હાલ કોંગ્રસના કબજામાં છે. કોંગ્રેસના નેતા લાખાભાઈ ભરવાડ આ બેઠક પરથી વર્ષ 2017માં ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાજપ નેતા તેજશ્રીબેન પટેલને હરાવ્યા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.