હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-28 14:25:12

પાટીદાર અનામત આંદોલનથી લોકપ્રિય બનેલા હાર્દિક પટેલ કઈ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે તે રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલે વિરમગામ બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. 


હાર્દિક પટેલ વતી સમર્થકોએ નોંધાવી દાવેદારી


વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના નિરિક્ષકોએ આજે વિરમગામ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં  અનેક સ્થાનિક નેતાઓએ તેમની દાવેદારી રજૂ કરી હતી. જો કે સૌથી વધુ ધ્યાન તો હાર્દિક પટેલે આકર્ષ્યું હતું,  જો કે દાવેદારી નોંધાવવા હાર્દિક પટેલ નિરીક્ષકો સમક્ષ આવ્યા  ન હતા પણ તેમના સમર્થકોએ દાવેદારી નોંધાવી હતી.


અન્ય દાવેદારો પણ છે મેદાનમાં


વિરમગામ બેઠક માટે ભાજપમાં હાર્દિક પટેલ મુખ્ય દાવેદાર છે. ભાજપ પણ હાર્દિક પટેલને જ ટિકિટ આપશે કારણ કે તે સ્થાનિક ઉમેદવાર અને અગ્રણી પાટીદાર નેતા છે. જો કે તેમ છતાં પણ અન્ય ટિકિટવાંચ્છુંઓ પણ મેદાનમાં છે. જેમ  કે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના નેશનલ પ્રેસિડેન્ટે  પણ ટિકિટ માંગી છે. વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનના ડાયરેકટર અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ દિવ્યા પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જો કે સૌથી રસપ્રદ બાબત એ છે કે વિરમગામ સીટ હાલ કોંગ્રસના કબજામાં છે. કોંગ્રેસના નેતા લાખાભાઈ ભરવાડ આ બેઠક પરથી વર્ષ 2017માં ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાજપ નેતા તેજશ્રીબેન પટેલને હરાવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.