હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-28 14:25:12

પાટીદાર અનામત આંદોલનથી લોકપ્રિય બનેલા હાર્દિક પટેલ કઈ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે તે રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલે વિરમગામ બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. 


હાર્દિક પટેલ વતી સમર્થકોએ નોંધાવી દાવેદારી


વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના નિરિક્ષકોએ આજે વિરમગામ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં  અનેક સ્થાનિક નેતાઓએ તેમની દાવેદારી રજૂ કરી હતી. જો કે સૌથી વધુ ધ્યાન તો હાર્દિક પટેલે આકર્ષ્યું હતું,  જો કે દાવેદારી નોંધાવવા હાર્દિક પટેલ નિરીક્ષકો સમક્ષ આવ્યા  ન હતા પણ તેમના સમર્થકોએ દાવેદારી નોંધાવી હતી.


અન્ય દાવેદારો પણ છે મેદાનમાં


વિરમગામ બેઠક માટે ભાજપમાં હાર્દિક પટેલ મુખ્ય દાવેદાર છે. ભાજપ પણ હાર્દિક પટેલને જ ટિકિટ આપશે કારણ કે તે સ્થાનિક ઉમેદવાર અને અગ્રણી પાટીદાર નેતા છે. જો કે તેમ છતાં પણ અન્ય ટિકિટવાંચ્છુંઓ પણ મેદાનમાં છે. જેમ  કે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના નેશનલ પ્રેસિડેન્ટે  પણ ટિકિટ માંગી છે. વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનના ડાયરેકટર અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ દિવ્યા પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જો કે સૌથી રસપ્રદ બાબત એ છે કે વિરમગામ સીટ હાલ કોંગ્રસના કબજામાં છે. કોંગ્રેસના નેતા લાખાભાઈ ભરવાડ આ બેઠક પરથી વર્ષ 2017માં ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાજપ નેતા તેજશ્રીબેન પટેલને હરાવ્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.