વિજયી ભવ: AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2022-12-01 13:43:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના મતદારો તેમના મધાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સામાન્ય મતદારોની સાથે ઉમેદવારો પણ મતદાન કરવા પહોચી રહ્યા છે. મતદાન મથકે હરિફ ઉમેદવારો આમને-સામને આવી ગયા હોય તેવું પણ બની રહ્યું છે. જેમ કે સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આપના અલ્પેશ કથિરીયા અને ભાજપના કુમાર કાનાણી સામ-સામે આવી ગયા ત્યારે અલ્પેશ કથિરીયા તેમના પ્રતિસ્પર્ધીને પગે લાગ્યા હતા.


અલ્પેશ કથીરિયા અને  કુમાર કાનાણીનો ભેટો


સુરતની વરાછા બેઠકના AAPના ઉમેદવાર અલ્પેશ કથીરિયા મત આપવા માટે જતા હતા ત્યારે મતદાન મથક પર જ કુમાર કાનાણી મળી ગયા હતા. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા કટ્ટર હરીફ એવા કાકા-ભત્રીજાએ આજે ગળે મળ્યા. બાદમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, કુમાર કાકા વડીલ છે એટલે તેમના આશીર્વાદ લેવા એ  મારી ફરજ છે. હું રાજનીતિમાં નવો છું એટલે આશીર્વાદ લેવા જરૂરી બને. વરાછાની જનતા જાગૃત છે સમજીને મતદાન કરશે.


કાકા-ભત્રીજા વચ્ચે જોરદાર ટક્કર


AAPના વરાછાના ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી વચ્ચે કાટાની ટક્કર છે. સુરતની આ બેઠક જીતશે તેવો આપના ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે કુમાર કાનાણી પણ રાજકારણના જુના ખેલાડી છે. આ બંને ઉમેદવારોને સૌરાષ્ટ્રના મતદારોનો ટેકો છે પણ હવે સૌથી વધુ મત કોણ મેળવે છે તેના પર મોટો આધાર છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.