વિજયી ભવ: AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2022-12-01 13:43:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના મતદારો તેમના મધાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સામાન્ય મતદારોની સાથે ઉમેદવારો પણ મતદાન કરવા પહોચી રહ્યા છે. મતદાન મથકે હરિફ ઉમેદવારો આમને-સામને આવી ગયા હોય તેવું પણ બની રહ્યું છે. જેમ કે સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આપના અલ્પેશ કથિરીયા અને ભાજપના કુમાર કાનાણી સામ-સામે આવી ગયા ત્યારે અલ્પેશ કથિરીયા તેમના પ્રતિસ્પર્ધીને પગે લાગ્યા હતા.


અલ્પેશ કથીરિયા અને  કુમાર કાનાણીનો ભેટો


સુરતની વરાછા બેઠકના AAPના ઉમેદવાર અલ્પેશ કથીરિયા મત આપવા માટે જતા હતા ત્યારે મતદાન મથક પર જ કુમાર કાનાણી મળી ગયા હતા. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા કટ્ટર હરીફ એવા કાકા-ભત્રીજાએ આજે ગળે મળ્યા. બાદમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, કુમાર કાકા વડીલ છે એટલે તેમના આશીર્વાદ લેવા એ  મારી ફરજ છે. હું રાજનીતિમાં નવો છું એટલે આશીર્વાદ લેવા જરૂરી બને. વરાછાની જનતા જાગૃત છે સમજીને મતદાન કરશે.


કાકા-ભત્રીજા વચ્ચે જોરદાર ટક્કર


AAPના વરાછાના ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી વચ્ચે કાટાની ટક્કર છે. સુરતની આ બેઠક જીતશે તેવો આપના ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે કુમાર કાનાણી પણ રાજકારણના જુના ખેલાડી છે. આ બંને ઉમેદવારોને સૌરાષ્ટ્રના મતદારોનો ટેકો છે પણ હવે સૌથી વધુ મત કોણ મેળવે છે તેના પર મોટો આધાર છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.