વિજયી ભવ: AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2022-12-01 13:43:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના મતદારો તેમના મધાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સામાન્ય મતદારોની સાથે ઉમેદવારો પણ મતદાન કરવા પહોચી રહ્યા છે. મતદાન મથકે હરિફ ઉમેદવારો આમને-સામને આવી ગયા હોય તેવું પણ બની રહ્યું છે. જેમ કે સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આપના અલ્પેશ કથિરીયા અને ભાજપના કુમાર કાનાણી સામ-સામે આવી ગયા ત્યારે અલ્પેશ કથિરીયા તેમના પ્રતિસ્પર્ધીને પગે લાગ્યા હતા.


અલ્પેશ કથીરિયા અને  કુમાર કાનાણીનો ભેટો


સુરતની વરાછા બેઠકના AAPના ઉમેદવાર અલ્પેશ કથીરિયા મત આપવા માટે જતા હતા ત્યારે મતદાન મથક પર જ કુમાર કાનાણી મળી ગયા હતા. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા કટ્ટર હરીફ એવા કાકા-ભત્રીજાએ આજે ગળે મળ્યા. બાદમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, કુમાર કાકા વડીલ છે એટલે તેમના આશીર્વાદ લેવા એ  મારી ફરજ છે. હું રાજનીતિમાં નવો છું એટલે આશીર્વાદ લેવા જરૂરી બને. વરાછાની જનતા જાગૃત છે સમજીને મતદાન કરશે.


કાકા-ભત્રીજા વચ્ચે જોરદાર ટક્કર


AAPના વરાછાના ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી વચ્ચે કાટાની ટક્કર છે. સુરતની આ બેઠક જીતશે તેવો આપના ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે કુમાર કાનાણી પણ રાજકારણના જુના ખેલાડી છે. આ બંને ઉમેદવારોને સૌરાષ્ટ્રના મતદારોનો ટેકો છે પણ હવે સૌથી વધુ મત કોણ મેળવે છે તેના પર મોટો આધાર છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.