ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગેસમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-01 13:35:16

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ એકબીજાના નેતાઓ અને કાર્યકરો માટે રીતસર ભરતી મેળો શરૂ કરી દીધો છે.  ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાતા રાજકરણ ગરમાયું છે.


ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ 


ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ કોંગ્રેસની ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. 


પુત્ર કે પુત્ર વધૂ માટે કોંગ્રેસની ટિકિટ માંગી શકે


પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા ચોક્કસપણે ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટો ફટકો પડ્યો છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ તેમના પુત્ર કે પુત્ર વધૂ માટે ટિકિટ માગશે તેવું મનાય છે. પ્રભાતસિંહના પુત્ર પ્રવીણ સિંહ કે પુત્રવધૂ સુમનબેન ચૌહાણ માટે શહેરા કે ગોધરા વિધાનસભા સીટ માટે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 


(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.)



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.