ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગેસમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-01 13:35:16

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ એકબીજાના નેતાઓ અને કાર્યકરો માટે રીતસર ભરતી મેળો શરૂ કરી દીધો છે.  ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાતા રાજકરણ ગરમાયું છે.


ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ 


ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ કોંગ્રેસની ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. 


પુત્ર કે પુત્ર વધૂ માટે કોંગ્રેસની ટિકિટ માંગી શકે


પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા ચોક્કસપણે ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટો ફટકો પડ્યો છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ તેમના પુત્ર કે પુત્ર વધૂ માટે ટિકિટ માગશે તેવું મનાય છે. પ્રભાતસિંહના પુત્ર પ્રવીણ સિંહ કે પુત્રવધૂ સુમનબેન ચૌહાણ માટે શહેરા કે ગોધરા વિધાનસભા સીટ માટે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 


(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.)



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.