ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગેસમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-01 13:35:16

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ એકબીજાના નેતાઓ અને કાર્યકરો માટે રીતસર ભરતી મેળો શરૂ કરી દીધો છે.  ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આજે ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાતા રાજકરણ ગરમાયું છે.


ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ 


ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ કોંગ્રેસની ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પ્રભાતસિંહ ચૌહાણને કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. 


પુત્ર કે પુત્ર વધૂ માટે કોંગ્રેસની ટિકિટ માંગી શકે


પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા ચોક્કસપણે ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટો ફટકો પડ્યો છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ તેમના પુત્ર કે પુત્ર વધૂ માટે ટિકિટ માગશે તેવું મનાય છે. પ્રભાતસિંહના પુત્ર પ્રવીણ સિંહ કે પુત્રવધૂ સુમનબેન ચૌહાણ માટે શહેરા કે ગોધરા વિધાનસભા સીટ માટે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 


(આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.)



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.