મોદીના ગઢ ગુજરાતમાં નિતીશ કુમાર આપશે ભાજપને પડકાર, રાજ્યમાં કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-08 15:38:11

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે જાણીતા આદીવાસી નેતા છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) અને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની પાર્ટી JDU વચ્ચે ગઠબંધન થયું છે. આ સ્થિતીમાં આદીવાસી મતદારોના વોટ કોને મળે છે તે જોવાનું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતીશ કુમાર પણ BTP-JDU ગઠબંધન માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.


ભાજપ સામે નિતીશ કુમાર કરશે ચૂંટણી પ્રચાર


જેડીયુના નેતા અને રાષ્ટ્રિય મહાસચિવ અફાક અહેમદ ખાનના જણાવ્યા પ્રમાણે નિતીશ કુમાર મોદીના ગઢ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ખાને વધુમાં જણાવ્યું કે નિતીશ કુમારે ગુજરાતમાં ભાજપ સામે ચૂંટણી પ્રચાર કરવાની ઈચ્છા દર્શાવી છે. નિતીશ કુમાર બિહારની બહાર પણ જેડીયુની સ્થિતી મજબુત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, અને તે માટે તેઓ ચોક્કસપણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.