મોદીના ગઢ ગુજરાતમાં નિતીશ કુમાર આપશે ભાજપને પડકાર, રાજ્યમાં કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-08 15:38:11

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે જાણીતા આદીવાસી નેતા છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) અને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની પાર્ટી JDU વચ્ચે ગઠબંધન થયું છે. આ સ્થિતીમાં આદીવાસી મતદારોના વોટ કોને મળે છે તે જોવાનું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતીશ કુમાર પણ BTP-JDU ગઠબંધન માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.


ભાજપ સામે નિતીશ કુમાર કરશે ચૂંટણી પ્રચાર


જેડીયુના નેતા અને રાષ્ટ્રિય મહાસચિવ અફાક અહેમદ ખાનના જણાવ્યા પ્રમાણે નિતીશ કુમાર મોદીના ગઢ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ખાને વધુમાં જણાવ્યું કે નિતીશ કુમારે ગુજરાતમાં ભાજપ સામે ચૂંટણી પ્રચાર કરવાની ઈચ્છા દર્શાવી છે. નિતીશ કુમાર બિહારની બહાર પણ જેડીયુની સ્થિતી મજબુત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, અને તે માટે તેઓ ચોક્કસપણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.