શું ગુજરાત સરકારની બેદરકારીના કારણે ચૂંટણી જાહેર ન થઈ, ચૂંટણી પંચે શું ખુલાસો માંગ્યો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 14:28:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતમાં વિલંબ ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી તારીખ જાહેર કરવા માંગતું હતું પણ કેટલાક કારણોથી તે થઈ શક્યું નહીં. જેમાં સૌથી મોટું કારણ રાજ્યમાં IAS અને IPSઅધિકારીઓની બદલીની કાર્યવાહી સમયસર પૂર્ણ ન થઈ તે પણ છે.


ગુજરાત સરકારની ઘોર બેદરકારી


ગુજરાતમાં અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા IAS અને IPS અધિકારીઓ જેવા કે ડીએમ, એસપી અને એસએસપી સહિતના અધિકારીઓની બદલીનું કામ પૂર્ણ થયું નથી. ગુજરાત સરકારની આ  બેજવાબદારીના કારણે પર ચૂંટણી પંચે કડક વલણ દાખવ્યું છે. ચૂંટણીની તૈયારીઓને જોતા વહીવટી અધિકારીઓની ફરજિયાત અને યોગ્ય બદલીના આદેશ અંગેનો અહેવાલ રજૂ ન કરવા મામલે જવાબ માંગવામાં આવ્યો છે.


સરકારે જવાબ ન આપ્યો ચૂંટણીપંચે માંગ્યો ખુલાસો


ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં 1 ઓગસ્ટના પત્રનો ઉલ્લેખ કર્યો હતો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીની શરતોનું અનુપાલનનો રિપોર્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં સોંપવાનો હતો. અત્યાર સુધી રિપોર્ટ કેમ દાખલ કરવામાં આવ્યો નથી? તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે.


ઈસીઆઈએ ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને આ બાબતે રીમાઇન્ડર જારી કરવા છતાં નિર્ધારિત સમય મર્યાદા વીતી જવા છતાં હજુ સુધી અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરવામાં આવ્યો નથી તે અંગેના સંજોગોનો ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.