શું ગુજરાત સરકારની બેદરકારીના કારણે ચૂંટણી જાહેર ન થઈ, ચૂંટણી પંચે શું ખુલાસો માંગ્યો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 14:28:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતમાં વિલંબ ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી તારીખ જાહેર કરવા માંગતું હતું પણ કેટલાક કારણોથી તે થઈ શક્યું નહીં. જેમાં સૌથી મોટું કારણ રાજ્યમાં IAS અને IPSઅધિકારીઓની બદલીની કાર્યવાહી સમયસર પૂર્ણ ન થઈ તે પણ છે.


ગુજરાત સરકારની ઘોર બેદરકારી


ગુજરાતમાં અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા IAS અને IPS અધિકારીઓ જેવા કે ડીએમ, એસપી અને એસએસપી સહિતના અધિકારીઓની બદલીનું કામ પૂર્ણ થયું નથી. ગુજરાત સરકારની આ  બેજવાબદારીના કારણે પર ચૂંટણી પંચે કડક વલણ દાખવ્યું છે. ચૂંટણીની તૈયારીઓને જોતા વહીવટી અધિકારીઓની ફરજિયાત અને યોગ્ય બદલીના આદેશ અંગેનો અહેવાલ રજૂ ન કરવા મામલે જવાબ માંગવામાં આવ્યો છે.


સરકારે જવાબ ન આપ્યો ચૂંટણીપંચે માંગ્યો ખુલાસો


ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં 1 ઓગસ્ટના પત્રનો ઉલ્લેખ કર્યો હતો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીની શરતોનું અનુપાલનનો રિપોર્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં સોંપવાનો હતો. અત્યાર સુધી રિપોર્ટ કેમ દાખલ કરવામાં આવ્યો નથી? તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે.


ઈસીઆઈએ ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને આ બાબતે રીમાઇન્ડર જારી કરવા છતાં નિર્ધારિત સમય મર્યાદા વીતી જવા છતાં હજુ સુધી અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરવામાં આવ્યો નથી તે અંગેના સંજોગોનો ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.