શું ગુજરાત સરકારની બેદરકારીના કારણે ચૂંટણી જાહેર ન થઈ, ચૂંટણી પંચે શું ખુલાસો માંગ્યો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 14:28:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતમાં વિલંબ ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી તારીખ જાહેર કરવા માંગતું હતું પણ કેટલાક કારણોથી તે થઈ શક્યું નહીં. જેમાં સૌથી મોટું કારણ રાજ્યમાં IAS અને IPSઅધિકારીઓની બદલીની કાર્યવાહી સમયસર પૂર્ણ ન થઈ તે પણ છે.


ગુજરાત સરકારની ઘોર બેદરકારી


ગુજરાતમાં અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા IAS અને IPS અધિકારીઓ જેવા કે ડીએમ, એસપી અને એસએસપી સહિતના અધિકારીઓની બદલીનું કામ પૂર્ણ થયું નથી. ગુજરાત સરકારની આ  બેજવાબદારીના કારણે પર ચૂંટણી પંચે કડક વલણ દાખવ્યું છે. ચૂંટણીની તૈયારીઓને જોતા વહીવટી અધિકારીઓની ફરજિયાત અને યોગ્ય બદલીના આદેશ અંગેનો અહેવાલ રજૂ ન કરવા મામલે જવાબ માંગવામાં આવ્યો છે.


સરકારે જવાબ ન આપ્યો ચૂંટણીપંચે માંગ્યો ખુલાસો


ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં 1 ઓગસ્ટના પત્રનો ઉલ્લેખ કર્યો હતો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીની શરતોનું અનુપાલનનો રિપોર્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં સોંપવાનો હતો. અત્યાર સુધી રિપોર્ટ કેમ દાખલ કરવામાં આવ્યો નથી? તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે.


ઈસીઆઈએ ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને આ બાબતે રીમાઇન્ડર જારી કરવા છતાં નિર્ધારિત સમય મર્યાદા વીતી જવા છતાં હજુ સુધી અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરવામાં આવ્યો નથી તે અંગેના સંજોગોનો ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.