Gujarat:બાકી રહેલી Loksabha Seat માટે BJP આમને આપી શકે છે ટિકીટ, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા, ટિકીટ આપવા પાછળ શું છે BJPનું ગણિત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-19 13:04:18

લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન કરવામાં આવી ગયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા ચૂંટણી માટે પણ પેટા ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ગુજરાત માટે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 4 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. જે ચાર બેઠક પર ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા તે બેઠક છે મહેસાણા, અમરેલી, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર.એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ ઉપસ્થિત હતા.



ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની કરવામાં આવી છે જાહેરાત 

દર પાંચ વર્ષે આપણે લોકશાહીનો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ.પાંચ વર્ષે ઈલેક્શન યોજાય છે અને પછી લોકો દેશના વડાપ્રધાનને નક્કી કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે અને ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ તરફથી માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેચી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે અને તેમાં ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ હશે. ચાર બેઠકો પર કોને ઉમેદવાર બનાવવા તે માટે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું અને આજે ઉમેદવારો જાહેર ભાજપ કરી શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જો ઉમેદવારોના નામની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ચારમાંથી બે બેઠકો પરથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારી શકે છે. મળતી માહિતી અનુસાર અમરેલી, મહેસાણા બંન્નેમાંથી એક બેઠક પર મહિલા ઉમેદવારો હશે જ્યારે કડવા પાટીદાર ચહેરાને અમરેલીથી ઉતારવામાં આવશે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહેસાણાથી લેઉવા પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે.આ તો માત્ર અનુમાન છે સત્તાવાર જાહેરાત થાય તે બાદ ખબર પડે કે ભાજપે કોને ટિકીટ આપી છે.                



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..