Gujarat:બાકી રહેલી Loksabha Seat માટે BJP આમને આપી શકે છે ટિકીટ, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા, ટિકીટ આપવા પાછળ શું છે BJPનું ગણિત?


  • Published By :
  • Published Date : 2024-03-19 13:04:18

લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન કરવામાં આવી ગયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા ચૂંટણી માટે પણ પેટા ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ગુજરાત માટે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 4 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. જે ચાર બેઠક પર ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા તે બેઠક છે મહેસાણા, અમરેલી, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર.એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ ઉપસ્થિત હતા.



ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની કરવામાં આવી છે જાહેરાત 

દર પાંચ વર્ષે આપણે લોકશાહીનો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ.પાંચ વર્ષે ઈલેક્શન યોજાય છે અને પછી લોકો દેશના વડાપ્રધાનને નક્કી કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે અને ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ તરફથી માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેચી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે અને તેમાં ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ હશે. ચાર બેઠકો પર કોને ઉમેદવાર બનાવવા તે માટે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું અને આજે ઉમેદવારો જાહેર ભાજપ કરી શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જો ઉમેદવારોના નામની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ચારમાંથી બે બેઠકો પરથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારી શકે છે. મળતી માહિતી અનુસાર અમરેલી, મહેસાણા બંન્નેમાંથી એક બેઠક પર મહિલા ઉમેદવારો હશે જ્યારે કડવા પાટીદાર ચહેરાને અમરેલીથી ઉતારવામાં આવશે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહેસાણાથી લેઉવા પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે.આ તો માત્ર અનુમાન છે સત્તાવાર જાહેરાત થાય તે બાદ ખબર પડે કે ભાજપે કોને ટિકીટ આપી છે.                



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે