Gujarat:બાકી રહેલી Loksabha Seat માટે BJP આમને આપી શકે છે ટિકીટ, જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા, ટિકીટ આપવા પાછળ શું છે BJPનું ગણિત?


  • Published By :
  • Published Date : 2024-03-19 13:04:18

લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન કરવામાં આવી ગયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા ચૂંટણી માટે પણ પેટા ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ગુજરાત માટે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 4 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. જે ચાર બેઠક પર ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા તે બેઠક છે મહેસાણા, અમરેલી, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર.એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ ઉપસ્થિત હતા.



ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની કરવામાં આવી છે જાહેરાત 

દર પાંચ વર્ષે આપણે લોકશાહીનો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ.પાંચ વર્ષે ઈલેક્શન યોજાય છે અને પછી લોકો દેશના વડાપ્રધાનને નક્કી કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે અને ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ તરફથી માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેચી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે અને તેમાં ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ હશે. ચાર બેઠકો પર કોને ઉમેદવાર બનાવવા તે માટે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું અને આજે ઉમેદવારો જાહેર ભાજપ કરી શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જો ઉમેદવારોના નામની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ચારમાંથી બે બેઠકો પરથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારી શકે છે. મળતી માહિતી અનુસાર અમરેલી, મહેસાણા બંન્નેમાંથી એક બેઠક પર મહિલા ઉમેદવારો હશે જ્યારે કડવા પાટીદાર ચહેરાને અમરેલીથી ઉતારવામાં આવશે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહેસાણાથી લેઉવા પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે.આ તો માત્ર અનુમાન છે સત્તાવાર જાહેરાત થાય તે બાદ ખબર પડે કે ભાજપે કોને ટિકીટ આપી છે.                



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.