વિપુલ ચૌધરી બાદ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સાણસામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 10:04:15

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ મોટી વાતો સામે આવી રહી છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ વિપુલ ચૌધરીના ગાંધીનગરના બંગલેથી તેની ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી પર 800 કરોડથી વધુનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. 


શંકરસિંહ બાપુ અને અર્જુન મોઢવાડિયાને સમન્સ  

શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોર્ટે સમન્સ પાઠવી 6 ઓક્ટોબરે હાજર રહેવાનો આદેશ કર્યો છે. જે તે સમયે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવાની ભલામણ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ કરી હતી. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સરકારી વકીલે મહેસાણા કોર્ટમાં હાજર રહેવાની જાણ કરી છે. 



વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?

દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. 


વિપુલ ચૌધરીની ધરપકડથી ચૌધરી સમાજ નારાજ 

વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજથી આવે છે. તેઓ ચૌધરી સમાજમાં મોટી વગ ધરાવે છે. તેમની ધરપકડ થવાના કારણે ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ ચૌધરીની ધરપકડથી નારાજથી ચૌધરી સમાજના અનેક આગેવાનોએ રાજીનામા આપી દીધા છે. 


વિપુલ ચૌધરીને અવાજ ઉંચો કરવાની સજા?

વિપુલ ચૌધરી વર્તમાન ભાજપ સરકારથી નારાજ છે. મહેસાણાની દૂધ સાગર ડેરી પરથી સત્તા ગુમાવ્યા વિપુલ ચૌધરીએ મહેસાણા, બનાસકાંઠા, પાટણ ખાતે સભાઓ યોજી હતી અને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતની રાજનીતિમાં શાંતિ જાળવી રાખવા માટે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


વિપુલ ચૌધરીએ 2005થી 2016ના સમયગાળા દરમિયાન સમયાંતરે મોટી ગેરરીતિ આચરી હોવાના સમાચારો મળી રહ્યા છે જેના આધારે એસીબીએ વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.