આજે રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠક, પ્રજાલક્ષી નિર્ણયોની થઈ શકે છે જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 12:36:17

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી ભાજપ સરકાર જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો તથા વર્ષ દરમિયાન 2 ગેસ સિલિન્ડર નિશુલ્ક આપવાની જાહેરાત કરી હતી. આજે રાજ્ય સરકાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. 


આજે રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠક


રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આજે છેલ્લી કેબિનેટ બેઠક મળશે. ગુજરાતમાં દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે મોટા નિર્ણયો લઈ શકાય નહીં, એવામાં આજની કેબિનેટ બેઠકમાં સરકાર કેટલાક મહત્વના પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરી શકે છે. 


રાજ્ય સરકાર કેબિનેટમાં શું નિર્ણયો લેશે?


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે. આજની બેઠકમાં અતિવૃષ્ટિથી પાક નુકસાન સામે ખેડૂતોને સહાય પેકેજ સહિત, સરકાર ભરતીથી શરૂ કરીને નાગરિકોને સ્પર્શતા નિર્ણયો જાહેર થાય તેવી શક્યતા છે. સામાન્ય વહીવટી વિભાગ, GEDA, ઈ-સરકાર, આદિજાતી, અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, તેમજ અલગ અલગ યોજના અંતર્ગત લાભાર્થીઓ અંગે પ્રેજન્ટેશન કરવામાં આવે તેવી સંભાવના છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.