આજે રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠક, પ્રજાલક્ષી નિર્ણયોની થઈ શકે છે જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 12:36:17

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી ભાજપ સરકાર જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો તથા વર્ષ દરમિયાન 2 ગેસ સિલિન્ડર નિશુલ્ક આપવાની જાહેરાત કરી હતી. આજે રાજ્ય સરકાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. 


આજે રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠક


રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આજે છેલ્લી કેબિનેટ બેઠક મળશે. ગુજરાતમાં દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે મોટા નિર્ણયો લઈ શકાય નહીં, એવામાં આજની કેબિનેટ બેઠકમાં સરકાર કેટલાક મહત્વના પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરી શકે છે. 


રાજ્ય સરકાર કેબિનેટમાં શું નિર્ણયો લેશે?


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે. આજની બેઠકમાં અતિવૃષ્ટિથી પાક નુકસાન સામે ખેડૂતોને સહાય પેકેજ સહિત, સરકાર ભરતીથી શરૂ કરીને નાગરિકોને સ્પર્શતા નિર્ણયો જાહેર થાય તેવી શક્યતા છે. સામાન્ય વહીવટી વિભાગ, GEDA, ઈ-સરકાર, આદિજાતી, અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, તેમજ અલગ અલગ યોજના અંતર્ગત લાભાર્થીઓ અંગે પ્રેજન્ટેશન કરવામાં આવે તેવી સંભાવના છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.