પોલીસને નહીં આપવી પડે એફિડેવિટ, સરકારે ઠરાવમાં કર્યા ફેરબદલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:18:51

છેલ્લા ઘણા સમયથી પોલીસ પોતાના ગ્રેડ પે મુદ્દાને લઈ સરકાર વિરૂધ આંદોલન કરી રહી હતી.આંદોલન સમેટવા રાજ્ય સરકારે પોલીસની માંગણી સ્વીકારતા એફિડેવિટ કરવાની શરત મુકી હતી. જેને લઈ નારાજ થયેલા પોલીસે સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. આંદોલન ઉગ્ર ન બને તે માટે રાજ્ય સરકારે નિયમોમાં ફેરબદલ કર્યા છે. હવે પગાર વધારા માટે પોલીસ કર્મચારીઓને કોઈ એફિડેવિટ આપવું નહીં પડે.


આંદોલન ઠારવા સરકારનો પ્રયાસ    

પોલીસે એફિડેવિટ આપવાનો ઈન્કાર કર્યો જેને કારણે છેવટે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. એ અંતર્ગત હવે પોલીસ કર્મચારીઓએ કોઈ એફિડેવિટ નહીં આપવું પડે. અગાઉના ઠરાવ પ્રમાણે ફિક્સ રકમ સ્વિકાર્યા બાદ અન્ય કોઈ લાભ તેમણે નહીં મળે. જેનો પોલીસ કર્મચારીઓએ ભારે વિરોધ કર્યો હતો. 

ગૃહવિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

ચૂંટણી સમયે આ મુદ્દાનો લાભ રાજકીય પાર્ટી ના લઈ જાય તે માટે અંતે ગૃહવિભાગે નવો પરપત્ર બહાર પાડી જૂના ઠરાવમાં ફેરફાર કર્યા છે. સરકાર દ્વારા કરાયેલા ફેર બદલને કારણે પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .