પોલીસને નહીં આપવી પડે એફિડેવિટ, સરકારે ઠરાવમાં કર્યા ફેરબદલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:18:51

છેલ્લા ઘણા સમયથી પોલીસ પોતાના ગ્રેડ પે મુદ્દાને લઈ સરકાર વિરૂધ આંદોલન કરી રહી હતી.આંદોલન સમેટવા રાજ્ય સરકારે પોલીસની માંગણી સ્વીકારતા એફિડેવિટ કરવાની શરત મુકી હતી. જેને લઈ નારાજ થયેલા પોલીસે સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. આંદોલન ઉગ્ર ન બને તે માટે રાજ્ય સરકારે નિયમોમાં ફેરબદલ કર્યા છે. હવે પગાર વધારા માટે પોલીસ કર્મચારીઓને કોઈ એફિડેવિટ આપવું નહીં પડે.


આંદોલન ઠારવા સરકારનો પ્રયાસ    

પોલીસે એફિડેવિટ આપવાનો ઈન્કાર કર્યો જેને કારણે છેવટે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. એ અંતર્ગત હવે પોલીસ કર્મચારીઓએ કોઈ એફિડેવિટ નહીં આપવું પડે. અગાઉના ઠરાવ પ્રમાણે ફિક્સ રકમ સ્વિકાર્યા બાદ અન્ય કોઈ લાભ તેમણે નહીં મળે. જેનો પોલીસ કર્મચારીઓએ ભારે વિરોધ કર્યો હતો. 

ગૃહવિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

ચૂંટણી સમયે આ મુદ્દાનો લાભ રાજકીય પાર્ટી ના લઈ જાય તે માટે અંતે ગૃહવિભાગે નવો પરપત્ર બહાર પાડી જૂના ઠરાવમાં ફેરફાર કર્યા છે. સરકાર દ્વારા કરાયેલા ફેર બદલને કારણે પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી