બિપોરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત લોકો માટે કેશડોલની જાહેરાત, નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા થશે રકમ


  • Published By :
  • Published Date : 2023-06-16 22:25:10

વિનાશક ચક્રવાત બિપોરજોય ગુજરાતને ધમરોળીને પસાર થઈ ગયું. જો કે આ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. જે નાગરિકો ભયજનક વિસ્તારમાં હતા તેમને સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવામાં આવતા તેમની રોજી-રોટી પણ બંધ થઈ ગઈ હતી. જો કે હવે આ લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.


8 હજાર લોકોને 5 દિવસ માટે કેશડોલ


ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપોરજોય ભારે પ્રમાણમાં તબાહી મચાવી છે, ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ 8 હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવવાની જાહેરાત કરી છે.  સરકાર આ લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ મળી રહે માટે કેશડોલની રકમ ચૂકવશે. જેમાં પુખ્ય વયના નાગરિકોને રૂપિયા 100 જ્યારે બાળક દિઠ રૂપિયા 60 પ્રતિદિનનું ચૂકવણું કરવામાં આવશે. આ રકમ પાંચ દિવસ સુધીની જ ચૂકવવાની રહેશે. આ કેશડોલની રકમ નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવશે. હાલ વાવાઝોડાથી થયેલા નુકશાનના કારણે મુશ્કેલ હોય તે રકમ રોકડેથી ચૂકવવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.