ગુજરાત સરકારે જંત્રીનો દર બમણો કર્યો, સોમવારથી અમલ, ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બનશે


  • Published By :
  • Published Date : 2023-02-05 13:16:36

ગુજરાત સરકારે જંત્રીના દર બમણી કરવાનો ઠરાવ કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યના  મહેસૂલ વિભાગ દ્વારા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  મહેસૂલ વિભાગે આ નિર્ણય અંગે જણાવ્યું કે, વર્ષ 2011માં છેલ્લે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા હતા. ત્યારે 5 ટકા જંત્રી લેવામાં આવતી હતી. આમ તો જંત્રીના ભાવમાં દર વર્ષે વધારો થવો જોઈએ, પરંતુ કેટલાક કારણોથી આ ભાવ વધારો અમલી બન્યો નહોતો. જંત્રીના નવા ભાવ આવતીકાલે (સોમવાર)થી અમલી બનશે.  


બમણી જંત્રીથી બિલ્ડર લોબી નારાજ


રાજ્ય સરકારે અચાનક જ જંત્રી બમણી કરવાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર કરતા બિલ્ડરોને ફટકો સહન કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી જંત્રીના નવા દરો લાગુ થશે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલ્ડર એસોસિએશનને વાંધા ઉઠાવ્યા છે. એસોસિએશનના કહેવા મુજબ સરકારના એકાએક નિર્ણયને કારણે એન્ડ યુઝર અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થશે. ક્રેડાઈ, ગાહેડ, બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયના અમલીકરણમાં થોડા સમયની છૂટછાટ આપવામાં આવે તેવી સોમવારના રોજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ એસોસિએશન પ્રમુખે જણાવ્યું છે.  જંત્રી બમણી થતાં પ્રોજેક્ટ કોસ્ટ વધી જશે અને ભાવ વધારવા પડશે તેમજ આ બોજ પ્રજાને પડશે. રાજ્યમાં હવેથી ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે. 



જંત્રી શું છે? 


ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011 ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.