શું તમારે પણ અડધા ખર્ચે ખેતરમાં કાંટાળી વાડ નાખવી છે? ખેડૂતને આર્થિક ફટકાથી બચાવવા સરકારની યોજનામાં ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-09-09 16:11:46

ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીલગાય, રોઝ, જંગલી સૂવર જેવા જનાવરોના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થતું હોય છે આ મામલે ધ્યાન રાખીને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે યોજના બહાર પાડી છે કે હવે નાના ખેડૂતોને પણ ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવી આપવામાં આવશે જેના કારણે જંગલી જનાવર ખેતરમાં ઉભા પાકને નુકસાન નહીં પહોંચાડી શકે. 

2 હેક્ટર સુધીના ખેતરમાં અડધા ખર્ચે લગાવે કાંટાળી વાડ

દેશનો ખેડૂત આમ પર વરસાદ અને પાકની સમસ્યા જેવી અનેક મુશ્કેલીનો સામનો કરતો હોય છે એવામાં અમુકવાર જંગલી ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો ખેતરમાં પહોંચી પાકને નુકસાન પહોંચાડીને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ ઉભી કરી દેતા હોય છે. આ મામલે સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 10 હેક્ટરથી વધારે ખેતર હોય તેમને કાંટાળી વાડ કરવા માટે સહાય કરવામાં આવશે. આ યોજનાનો લાભ મોટા ખેડૂતોને તો મળી ગયો પણ નાના ખેડૂતોની સમસ્યા હતી ત્યાંને ત્યાં જ રહી. જેના કારણે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હવેથી નાના ખેડૂતોને પણ ખેતર ફરતે કાંટાળી વાડ લગાવવા માટે સહાય કરશે. ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો રાત્રે ખેતરમાં નુકસાન પહોંચાડતા હોય છે માટે સરકારે જાહેરાત કરી છે કે હવેથી 2 હેક્ટરથી વધુ જમીન હોય તેમાં સરકાર કાંટાળી વાડ લગાવવામાં 50 ટકાની સહાય કરશે. પહેલા એવું થતું હતું કે ખેડૂતોને પોતાના ઘરના રૂપિયા ખર્ચીને જનાવરથી પાકને બચાવવા માટે કાંટાળી જાળ ખેતર ફરતે નખાવવી પડતી હતી. આના કારણે ખેડૂતો પર આર્થિક બોજો આવતો હતો આથી રાજ્ય સરકારે જાહેરાત કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. 

તમે પણ સરકારની યોજનાનો લાભ લો અને પાકને જંગલી જનાવરથી બચાવો

ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં જમીનની સીમા ઘટાડવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સરકારની આ જાહેરાતના કારણે ગુજરાતમાં લાખો ટન બગડતો પાક બચી શકશે અને ખેડૂતોને એમની મહેનતનું મહેનતાણું મળશે. તો જો તમારે પણ 2 હેક્ટર જેટલું ખેતર હોય અને જંગલી જનાવરો ખેતરમાં તમારા પાકને નુકસાન પહોંચાડે છે તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લો અને તમારા ખેતરમાં અડધે ખર્ચે કાંટાળી વાડ લગાવી જંગલી જનાવરથી તમારા પાકને બચાવો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી