બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સહાય જાહેર, કપડા, ઘરવખરી, મકાન, ઝુંપડાની નુકસાની પેટે ચૂકવાશે આટલી રકમ


  • Published By :
  • Published Date : 2023-06-22 21:53:29

ગુજરાત પર ત્રાટકેલા વિનાશકારી બિપોરજોય વાવાઝોડાથી સામાન્ય લોકો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ સૌથી વધુ વિનાશ વેર્યો છે. જો કે બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઇ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સરકાર પર આશ લગાવીને બેઠા હતા ત્યારે આજે તેમની આશા ફળીભૂત થઈ છે. 



સરકારે કરી આ જાહેરાત


ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાથી નુકસાની થતા સહાય માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોર જોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર દ્વારા એક મોટી સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કપડા અને ઘરવખરી નુકશાન માટે સરકાર 7000 રૂપિયા ચુકવશે. જ્યારે સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે 1,20,000 ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય, આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય, સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય, ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની અપાશે સહાય, તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે. 


આ પૂર્વે અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવાઈ હતી


અગાઉ બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો હતો, ખાસ વાત એ છે કે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.